કોરોના મૃતકોના દેહનો કંઈ રીતે નિકાલ કરી રહ્યું છે ચીન? એક્સપર્ટે કર્યો ખુલાસો

ચીને કોરોના મહામારીને લઈને શરૂઆતથી જ સમગ્ર દુનિયાને ખોટું કહ્યું છે. ચીનમાં કોરોનાથી કેટલા મોત થયા તેનો આંકડો પણ ચીન સરકાર સતત છુપાવી રહી છે. આ દરમિયાન એક માનવાધિકાર કાર્યકર્તાએ કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના અંતિમ સંસ્કારને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

ચીનમાં કોરોનાથી સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ચીનનું નેશનલ હેલ્થ કમિશન કહી ચૂક્યું છે કે, તે હવે નવા કોરોના કેસની માહિતી નહીં આપશે. જો કે, દેશની હેલ્થ એજન્સી છેલ્લા 3 વર્ષથી દરરોજ કોરોના કેસનો ડેલી રિપોર્ટ જારી કરતી હતી. આ દરમિયાન, કોરોનાથી થયેલા મોતને લઈને એક ચીનના માનવાધિકાર કાર્યકર્તાએ આ દાવો કર્યો છે કે, ચીન દરરોજ હજારોની સંખ્યામાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના દેહોનું અંતિમ સંસ્કાર કઈ રીતે કરી રહ્યું છે.

માનવાધિકાર કાર્યકર્તા જેનિફર ઝેંગનો (Jennifer Zeng) દાવો

ચીનમાં કોરોનાનો આતંક યથાવત છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે ઝડપથી થઈ રહેલા લોકોના મોત બાદ ચીનના સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર માટે લોકોની કતાર લાગી છે. જ્યારે, ચીન સરકાર પર મોતના આંકડાઓ છુપાવવાનો આરોપ લાગી રહ્યો છે. ચાઈનીઝ બ્લોગર અને વ્હિસલ બ્લોઅર જેનિફર ઝેંગના ટ્વિટર પોસ્ટ મુજબ, કોરોનાથી થયેલા ઝડપી અને અસંખ્ય મૃત્યુથી પરેશાન ચીને હવે કોવિડના મૃતકોનું અંતિમ સંસ્કાર કરવા માટે જે ટેકનિકનો ઉપયોગ કર્યો છે તે થોડી જ સેકન્ડમાં મૃત શરીરને પાઉડરમાં બદલી નાખે છે.

કેવી રીતે કામ કરે છે આ ટેકનિક તમે પણ જુઓ

આઈસ બ્યૂરિયલ ટેકનિકથી અંતિમ સંસ્કાર

જેનિફરના જણાવ્યા મુજબ, આ પ્રકારનું અંતિમ સંસ્કાર પરીક્ષણ માટે વુહાન શહેરમાં શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયામાં, દેહોને તરત જ પ્રવાહી નાઇટ્રોજનમાં માઇનસ 196 ડિગ્રી પર જમાવવામાં આવી શકે છે, અને પછી મશીન તેને ઓછામાં ઓછા સમયમાં પાઉડરના રૂપમાં બદલી શકે છે. આ ખાસ પ્રક્રિયામાં કોઈ મૃતદેહના અગ્નિસંસ્કાર અથવા દફનવિધિ કરવામાં લાગતાં સમય કરતાં ખૂબ જ ઓછો સમય લાગે છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.