કેમ વિરોધ વચ્ચે એક લાખ વાંદરા ચીન મોકલી રહ્યું છે શ્રીલંકા?

આર્થિક સંકટથી ઝઝૂમી રહેલું શ્રીલંકા એક લાખ ટોક મકાક વાંદરા ચીન મોકલવાનું છે. જો કે, આ નિર્ણયનો પર્યાવરણ ગ્રુપ વિરોધ કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, શ્રીલંકાના કૃષિ મંત્રાલયના એક અધિકારી ગુણદાસા સમરસિંઘેએ કહ્યું કે, એવું ઝૂલોજિકલ ગાર્ડન સાથે જોડાયેલી એક ચીની કંપનીના અનુરોધ બાદ કરવામાં આવી રહ્યું છે. અમે એક લાખ વાંદરા એક સાથે મોકલવાના નથી. એમ કરવામાં આવી રહ્યું છે કેમ કે દેશના ઘણા હિસ્સામાં વાંદરાઓના કારણે પાકને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. વધુ ખેતીવાળા વિસ્તારથી જ વાંદરા મોકલવામાં આવશે.

ટોક મકાક શ્રીલંકન સ્થાનિક વાંદરા છે, જ્યાં સ્થાનિક રૂપે તેને ‘રિલેવા’ નામથી ઓળખવામાં આવે છે. શ્રીલંકાની યોજના 1 લાખ ટોક મકાક વાંદરા ચીન મોકલવાની છે. ગયા અઠવાડિયે શ્રીલંકન કૃષિ મંત્રી મહિન્દા અમરવીરાએ કહ્યું હતું કે, એક લાખથી વધારે વાંદરાઓને ચીની પ્રાણીસંગ્રહાલયમાં સેટલ કરવાનો પ્લાન બનાવવામાં આવી રહ્યો છે. તે (ચીન) આ વાંદરાઓને પોતાના પ્રાણીસંગ્રહાલયો માટે ઇચ્છે છે. જો કે, શ્રીલંકા લગભગ બધા જીવિત પ્રાણીઓના નિકાસ પર પ્રતિબંધ લગાવે છે, પરંતુ પ્રસ્તાવિત વેચાણ એવા સમયમાં થયું છે, જ્યારે દેશ પોતાના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.

ભયંકર આર્થિક સંકટથી ઝઝૂમી રહેલા શ્રીલંકાએ આ વર્ષે પોતાની સંરક્ષિત લિસ્ટમાંથી ઘણી પ્રજાતિઓને હટાવી દીધી હતી, જેમાંથી તેમની ત્રણેય વાંદરાની પ્રજાતિઓ સાથે મોર અને જંગલી ડુક્કર પણ સામેલ છે. કહેવામાં આવે છે કે વાંદરા આ આર્થિક સંકટ વચ્ચે પાકોને ખાવા માટે પણ ચર્ચામાં આવ્યા હતા. જો કે, વાંદરાઓને ચીન મોકલવાના નિર્ણયનો મોટા પ્રમાણમાં વિરોધ જોવા મળી રહ્યો છે. શ્રીલંકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, વાંદરાઓની સંખ્યા 2-3 મિલિયન છે.

આ નિર્ણયને લઈને કોલંબોમાં ઉપસ્થિત ચીની એમ્બેસીએ કહ્યું કે, તેઓ આ બાબતને લઈને કોઈ પ્રકારની જાણકારી રાખતા નથી. વન્યજીવ સંરક્ષણ કાયદો અને કાયદાનું પ્રવર્તન બાબતોમાં ચીનને દુનિયાના ટોપ દેશોમાંથી એકના રૂપમાં જોવામાં આવે છે. શ્રીલંકાથી એક લાખ વાંદરા ચીન મોકલવાની અટકળો દરમિયાન કેટલાક લોકોએ આશંકા વ્યક્ત કરી છે કે ચીન આ વાંદરાઓનો ઉપયોગ માંસ માટે કરી શકે છે. જો કે, કૃષિ મંત્રી મહિન્દાએ એવી કોઈ સંભાવનાથી ઇનકાર કર્યો છે. શ્રીલંકામાં વાંદરાઓને પકડવાથી લઈને ચીન લઈને જવા સુધીનો બધો ખર્ચ ચીન ઉઠાવશે?

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.