નોબલ પ્રાઇઝ માટે ટ્રમ્પનું વધુ એક નામાંકન, જાણો હવે કોણે અને કેમ કર્યું સમર્થન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 2025ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે. આ નામાંકન તેમની અસાધારણ અને ઐતિહાસિક ભૂમિકા માટે છે, જે હેઠળ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સીઝફાયર કરવવામાં આવ્યું. ફોક્સ ન્યૂઝના એક રિપોર્ટ મુજબ, અમેરિકન સંસદ સભ્ય બડી કાર્ટરે ટ્રમ્પને આ પુરસ્કાર માટે પસંદ કર્યા છે. કાર્ટરે નોબેલ શાંતિ પુરસ્કાર સમિતિને લખેલા પત્રમાં કહ્યું કે, ‘રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વએ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે 12 દિવસ સુધી ચાલેલા યુદ્ધનો અંત લાવવામાં મદદ મળી. 

trump
facebook.com/DonaldTrump

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે આ સીઝફાયરની સમજૂતીની જાહેરાત ટ્રમ્પ દ્વારા સોમવારે મોડી રાત્રે કરવામાં આવી હતી, જે તાત્કાલિક લાગૂ થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે, આ અગાઉ ઇઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો, જેના જવાબમાં ઈરાને રોકેટ છોડ્યા હતા. બાદમાં, અમેરિકાએ પણ ઈરાનના 3 મુખ્ય પરમાણુ ઠેકાણાઓ પર હવાઈ હુમલા પણ કર્યા હતા. ઈરાને કતારમાં અમેરિકન એરબેઝ પર રોકેટથી હુમલો કર્યો હતો, પરંતુ અગાઉથી ચેતવણી આપવાને કારણે કોઈ નુકસાન થયું નહોતું. કાર્ટરે ટ્રમ્પની પ્રશંસા કરતા કહ્યું કે, તેમની નિર્ણાયક કાર્યવાહી અને પ્રભાવે એવી સમજૂતી કરાવી, જેને ઘણા લોકો અસંભાવ માનતા હતા.' ટ્રમ્પના પ્રયાસો શાંતિ, યુદ્ધ રોકવા અને આંતરરાષ્ટ્રીય એકતાના આદર્શોને દર્શાવે કરે છે જેમને નોબેલ શાંતિ પુરસ્કાર સન્માનિત કરે છે.

trump3
facebook.com/DonaldTrump

આ પહેલી વખત નથી જ્યારે ટ્રમ્પને નોબેલ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હોય. આ વર્ષની શરૂઆતમાં, અમેરિકન ધારાસભ્ય ડેરેલ ઇસ્સાએ પણ ટ્રમ્પને વર્ષ 2024ના તેમના વૈશ્વિક પ્રભાવ અને ચૂંટણી જીત માટે નામાંકિત કર્યા હતા. નોબેલની સત્તાવાર વેબસાઇટ અનુસાર, વર્ષ 2025ના શાંતિ પુરસ્કાર માટે કુલ 305 લોકો અને સંગઠનોને નામાંકિત કરવામાં આવ્યા છે. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે પણ થોડા દિવસ અગાઉ નોબેલ સમિતિને પત્ર લખીને ટ્રમ્પને પુરસ્કાર આપવાની ભલામણ કરી હતી. તેમણે ભારત-પાકિસ્તાનના હાલના તણાવમાં ટ્રમ્પના નિર્ણાયક કૂટનીતિક હસ્તક્ષેપની પ્રશંસા કરી હતી.

About The Author

Related Posts

Top News

બંગાળ-આસામની ચૂંટણીમાં BSF જવાનોને હાથમાં ફક્ત 'લાઠી' રાખવાનો આદેશ! DGના આ હુકમ પર પ્રશ્નો ઉભા થયા

પશ્ચિમ બંગાળ અને આસામમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની નિમણૂંકને વધુ ઝડપી બનાવવામાં આવી છે. નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ...
National 
બંગાળ-આસામની ચૂંટણીમાં BSF જવાનોને હાથમાં ફક્ત 'લાઠી' રાખવાનો આદેશ! DGના આ હુકમ પર પ્રશ્નો ઉભા થયા

સરકાર દેશની કંપનીઓને વિદેશમાં મોટી કરે, લાભ આપે એમાં કશું ખોટું નથી

(ઉત્કર્ષ પટેલ)આજના વૈશ્વિકયુગમાં કોઈ પણ દેશની સમૃદ્ધિ તેની કંપનીઓની વૈશ્વિક હાજરી પર આધારિત છે. સરકાર દ્વારા પોતાની કંપનીઓને વિદેશમાં...
Opinion 
સરકાર દેશની કંપનીઓને વિદેશમાં મોટી કરે, લાભ આપે એમાં કશું ખોટું નથી

ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી પરીક્ષામાં 'પંડિત' શબ્દને લઇને બબાલ; નાયબ મુખ્યમંત્રી નારાજ

ફિલ્મ ‘ઘૂસખોર પંડત’ના શીર્ષકને લઈને થયેલા વિવાદ બાદ, 'પંડિત' શબ્દ ફરી એકવાર ચર્ચામાં આવ્યો...
National 
 ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી પરીક્ષામાં 'પંડિત' શબ્દને લઇને બબાલ; નાયબ મુખ્યમંત્રી નારાજ

ભેળસેળ અને ભ્રષ્ટાચાર ભેગા મળીને ગુજરાતને બરબાદ કરવા બેઠા

આપણું ગુજરાત જેને આપણે સૌ ગુજરાતીઓ આપણી ‘કર્મભૂમિ’ કહીએ છીએ, જ્યાં મહેનતના પરસેવાનું ટીપું પણ હીરો અને સોનું બની જાય...
Opinion 
ભેળસેળ અને ભ્રષ્ટાચાર ભેગા મળીને ગુજરાતને બરબાદ કરવા બેઠા
Copyright (c) Khabarchhe All Rights Reserved.