નોબલ પ્રાઇઝ માટે ટ્રમ્પનું વધુ એક નામાંકન, જાણો હવે કોણે અને કેમ કર્યું સમર્થન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 2025ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે. આ નામાંકન તેમની અસાધારણ અને ઐતિહાસિક ભૂમિકા માટે છે, જે હેઠળ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સીઝફાયર કરવવામાં આવ્યું. ફોક્સ ન્યૂઝના એક રિપોર્ટ મુજબ, અમેરિકન સંસદ સભ્ય બડી કાર્ટરે ટ્રમ્પને આ પુરસ્કાર માટે પસંદ કર્યા છે. કાર્ટરે નોબેલ શાંતિ પુરસ્કાર સમિતિને લખેલા પત્રમાં કહ્યું કે, ‘રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વએ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે 12 દિવસ સુધી ચાલેલા યુદ્ધનો અંત લાવવામાં મદદ મળી. 

trump
facebook.com/DonaldTrump

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે આ સીઝફાયરની સમજૂતીની જાહેરાત ટ્રમ્પ દ્વારા સોમવારે મોડી રાત્રે કરવામાં આવી હતી, જે તાત્કાલિક લાગૂ થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે, આ અગાઉ ઇઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો, જેના જવાબમાં ઈરાને રોકેટ છોડ્યા હતા. બાદમાં, અમેરિકાએ પણ ઈરાનના 3 મુખ્ય પરમાણુ ઠેકાણાઓ પર હવાઈ હુમલા પણ કર્યા હતા. ઈરાને કતારમાં અમેરિકન એરબેઝ પર રોકેટથી હુમલો કર્યો હતો, પરંતુ અગાઉથી ચેતવણી આપવાને કારણે કોઈ નુકસાન થયું નહોતું. કાર્ટરે ટ્રમ્પની પ્રશંસા કરતા કહ્યું કે, તેમની નિર્ણાયક કાર્યવાહી અને પ્રભાવે એવી સમજૂતી કરાવી, જેને ઘણા લોકો અસંભાવ માનતા હતા.' ટ્રમ્પના પ્રયાસો શાંતિ, યુદ્ધ રોકવા અને આંતરરાષ્ટ્રીય એકતાના આદર્શોને દર્શાવે કરે છે જેમને નોબેલ શાંતિ પુરસ્કાર સન્માનિત કરે છે.

trump3
facebook.com/DonaldTrump

આ પહેલી વખત નથી જ્યારે ટ્રમ્પને નોબેલ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હોય. આ વર્ષની શરૂઆતમાં, અમેરિકન ધારાસભ્ય ડેરેલ ઇસ્સાએ પણ ટ્રમ્પને વર્ષ 2024ના તેમના વૈશ્વિક પ્રભાવ અને ચૂંટણી જીત માટે નામાંકિત કર્યા હતા. નોબેલની સત્તાવાર વેબસાઇટ અનુસાર, વર્ષ 2025ના શાંતિ પુરસ્કાર માટે કુલ 305 લોકો અને સંગઠનોને નામાંકિત કરવામાં આવ્યા છે. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે પણ થોડા દિવસ અગાઉ નોબેલ સમિતિને પત્ર લખીને ટ્રમ્પને પુરસ્કાર આપવાની ભલામણ કરી હતી. તેમણે ભારત-પાકિસ્તાનના હાલના તણાવમાં ટ્રમ્પના નિર્ણાયક કૂટનીતિક હસ્તક્ષેપની પ્રશંસા કરી હતી.

About The Author

Related Posts

Top News

‘ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે નહીં તો દિલ્હી કૂચ કરીશું’, સંતોની ધર્મસભામાં નિર્ણય, સરકારને 3 મહિનાનું અલ્ટિમેટમ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં દેશના અનેક મોટા સંતો, મહાત્માઓ, વિવિધ અખાડાઓના...
National 
‘ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે નહીં તો દિલ્હી કૂચ કરીશું’, સંતોની ધર્મસભામાં નિર્ણય, સરકારને 3 મહિનાનું અલ્ટિમેટમ

મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

રાજસ્થાન સરકારના કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી ડૉ. કિરોડી લાલ મીણાએ ભરતપુર અને દૌસા જિલ્લાની સીમા પર આવેલા કમાલપુરા ગામ...
National  Politics 
મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-01-2026 વાર- બુધવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો

દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન (UNMISS)માં તૈનાત ભારતીય સૈન્ય અધિકારી મેજર સ્વાતિ શાંતિ કુમારને 2025નો UN સેક્રેટરી...
World 
મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.