નોબલ પ્રાઇઝ માટે ટ્રમ્પનું વધુ એક નામાંકન, જાણો હવે કોણે અને કેમ કર્યું સમર્થન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 2025ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે. આ નામાંકન તેમની અસાધારણ અને ઐતિહાસિક ભૂમિકા માટે છે, જે હેઠળ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સીઝફાયર કરવવામાં આવ્યું. ફોક્સ ન્યૂઝના એક રિપોર્ટ મુજબ, અમેરિકન સંસદ સભ્ય બડી કાર્ટરે ટ્રમ્પને આ પુરસ્કાર માટે પસંદ કર્યા છે. કાર્ટરે નોબેલ શાંતિ પુરસ્કાર સમિતિને લખેલા પત્રમાં કહ્યું કે, ‘રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વએ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે 12 દિવસ સુધી ચાલેલા યુદ્ધનો અંત લાવવામાં મદદ મળી. 

trump
facebook.com/DonaldTrump

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે આ સીઝફાયરની સમજૂતીની જાહેરાત ટ્રમ્પ દ્વારા સોમવારે મોડી રાત્રે કરવામાં આવી હતી, જે તાત્કાલિક લાગૂ થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે, આ અગાઉ ઇઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો, જેના જવાબમાં ઈરાને રોકેટ છોડ્યા હતા. બાદમાં, અમેરિકાએ પણ ઈરાનના 3 મુખ્ય પરમાણુ ઠેકાણાઓ પર હવાઈ હુમલા પણ કર્યા હતા. ઈરાને કતારમાં અમેરિકન એરબેઝ પર રોકેટથી હુમલો કર્યો હતો, પરંતુ અગાઉથી ચેતવણી આપવાને કારણે કોઈ નુકસાન થયું નહોતું. કાર્ટરે ટ્રમ્પની પ્રશંસા કરતા કહ્યું કે, તેમની નિર્ણાયક કાર્યવાહી અને પ્રભાવે એવી સમજૂતી કરાવી, જેને ઘણા લોકો અસંભાવ માનતા હતા.' ટ્રમ્પના પ્રયાસો શાંતિ, યુદ્ધ રોકવા અને આંતરરાષ્ટ્રીય એકતાના આદર્શોને દર્શાવે કરે છે જેમને નોબેલ શાંતિ પુરસ્કાર સન્માનિત કરે છે.

trump3
facebook.com/DonaldTrump

આ પહેલી વખત નથી જ્યારે ટ્રમ્પને નોબેલ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હોય. આ વર્ષની શરૂઆતમાં, અમેરિકન ધારાસભ્ય ડેરેલ ઇસ્સાએ પણ ટ્રમ્પને વર્ષ 2024ના તેમના વૈશ્વિક પ્રભાવ અને ચૂંટણી જીત માટે નામાંકિત કર્યા હતા. નોબેલની સત્તાવાર વેબસાઇટ અનુસાર, વર્ષ 2025ના શાંતિ પુરસ્કાર માટે કુલ 305 લોકો અને સંગઠનોને નામાંકિત કરવામાં આવ્યા છે. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે પણ થોડા દિવસ અગાઉ નોબેલ સમિતિને પત્ર લખીને ટ્રમ્પને પુરસ્કાર આપવાની ભલામણ કરી હતી. તેમણે ભારત-પાકિસ્તાનના હાલના તણાવમાં ટ્રમ્પના નિર્ણાયક કૂટનીતિક હસ્તક્ષેપની પ્રશંસા કરી હતી.

About The Author

Top News

‘મારું કામ ટ્રોફી જીતવાનું છે, લાઈક્સ અને વ્યૂઝ નહીં...’, ટીકાકારો પર વરસ્યા ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર

ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ રવિવાર (23 ઓગસ્ટ)થી કોલંબોના સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ (SSC)માં રમાઈ રહી...
Sports 
‘મારું કામ ટ્રોફી જીતવાનું છે, લાઈક્સ અને વ્યૂઝ નહીં...’, ટીકાકારો પર વરસ્યા ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર

42 વર્ષ જીવવાનું છે... હાઈ કોર્ટે મહિલાનું ભરણપોષણ 10 લાખથી વધારીને 40 લાખ કર્યું

ઝારખંડ હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં 28 વર્ષીય મહિલાને આપવામાં આવતા કાયમી ભરણપોષણની રકમ ₹10 લાખથી વધારીને ₹40 લાખ કરી દીધી...
National 
42 વર્ષ જીવવાનું છે... હાઈ કોર્ટે મહિલાનું ભરણપોષણ 10 લાખથી વધારીને 40 લાખ કર્યું

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 25-08-2026 દિવસ: મંગળવાર મેષ: દરેક કાર્ય ધીરે ધીરે પૂર્ણ થતા લાગે, કૌટુંબિક પ્રશ્નોમાં ઉકેલ મળે, સ્વજનો અંગેની ચિંતા દૂર...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

વડોદરામાં હિન્દુ ડૉક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું, માતા બોલી- દીકરી પાછી લાવી આપો

વડોદરા જિલ્લામાંથી લવ-જેહાદનો મામલો સામે આવ્યો છે. કરજણ તાલુકાના કિયા ગામના ફૈઝલ મજીદ દિવાન નામના યુવક સામે જંબુસરની હિન્દુ ડૉક્ટર...
Gujarat 
વડોદરામાં હિન્દુ ડૉક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું, માતા બોલી-  દીકરી પાછી લાવી આપો

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.