તીવ્ર ગરમી, અનાજ કટોકટી, મોત, બદલાતું હવામાનની જિંદગી પર ઊંડી અસર, UNને ચિંતા

હવામાનના બદલાતા મિજાજને કારણે સામાન્ય લોકોના જનજીવનને ઘણી અસર થઈ છે. એપ્રિલના બીજા સપ્તાહમાં જ લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રના ક્લાઈમેટ ચેન્જ રિપોર્ટમાં હવામાનની ખરાબ અસરો અંગે ચિંતા વધી છે. વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (WMO)ના આ રિપોર્ટ અનુસાર, વર્ષ 2022માં, સમગ્ર વિશ્વએ દુષ્કાળ, પૂર અને ગરમીના મોજાની ઘટનાઓનો સામનો કરવો પડ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે, WMO એ સંયુક્ત રાષ્ટ્ર (UN)નું સંગઠન છે. તેણે તેના રિપોર્ટમાં કહ્યું છે કે વર્ષ 2022માં ત્રણ ગ્રીનહાઉસ ગેસ - કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને નાઈટ્રસ ઓક્સાઇડનું સ્તર સતત વધ્યું છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગત વર્ષ દરમિયાન વિશ્વના વિવિધ ભાગોમાં લોકો પૂર, દુષ્કાળ અને હીટવેવનો સામનો કરી રહ્યા હતા. આમાં ભારત પણ સામેલ હતું. જેના કારણે કરોડો ડૉલરનું નુકસાન વેઠવું પડ્યું હતું. એન્ટાર્કટિક સમુદ્રી બરફનું સ્તર તેના સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે. જ્યારે, કેટલાક યુરોપિયન ગ્લેશિયર્સ પણ ઘણાં પીગળી ગયા. જ્યારે, છેલ્લા આઠ વર્ષથી, વૈશ્વિક સરેરાશ તાપમાન રેકોર્ડ પર સૌથી વધુ છે. વર્ષ 2022માં, તે 1850-1900ની સરેરાશની સરખામણીમાં 1.15° સે વધ્યું હતું. WMOના મહાસચિવ પીટરી તાલાશે જણાવ્યું હતું કે, ગ્રીનહાઉસ ગેસ અને ક્લાઈમેટ ચેન્જમાં સતત વધારો થવાને કારણે, સમગ્ર વિશ્વની વસ્તીને ભારે હવામાનની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. WMO સેક્રેટરીએ કહ્યું કે, ઉદાહરણ તરીકે વર્ષ 2022માં પૂર્વ આફ્રિકામાં સતત દુષ્કાળ રહ્યો હતો. જ્યારે, પાકિસ્તાનમાં રેકોર્ડ બ્રેક વરસાદ, ચીન અને યુરોપમાં તીવ્ર ગરમીનું મોજું હતું. આના પરિણામે ખાદ્યપદાર્થોની ભારે અછત, લોકોનું મોટા પાયે વિસ્થાપન અને કરોડો ડૉલરનું નુકસાન થયું.

રિપોર્ટમાં ભારત વિશે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 2022માં ભારતમાં ચોમાસું સમય પહેલા આવી ગયું હતું અને ચાલ્યું પણ ગયું હતું. આ સિવાય ભારત અને પાકિસ્તાનમાં ચોમાસા પહેલાનો સમયગાળો પણ ખૂબ જ ગરમ રહ્યો હતો. આત્યંતિક ગરમીએ પાકના ઉત્પાદનમાં અવરોધ ઊભો કર્યો અને અનેક જંગલોમાં આગ લાગી. આ ખાસ કરીને ઉત્તરાખંડના પહાડી રાજ્યમાં જોવા મળ્યું હતું. નિવેદનમાં એમ જણાવવામાં આવ્યું છે કે, યુક્રેનમાં સંઘર્ષની શરૂઆત પછી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ અને ભારતમાં ચોખાની નિકાસ પર પ્રતિબંધની સાથે, આનાથી આંતરરાષ્ટ્રીય ખાદ્ય બજારોમાં મુખ્ય ખાદ્યપદાર્થોની ઉપલબ્ધતા, સુલભતા અને સ્થિરતા જોખમમાં આવી છે. જ્યારે, તે મુખ્ય ખોરાકની અછતથી પ્રભાવિત દેશોને પણ ઊંડી અસર કરે છે. આ સિવાય ભારતમાં ચોમાસાની સિઝન દરમિયાન અનેક તબક્કે પૂરની ઘટનાઓ પણ જોવા મળી હતી. ખાસ કરીને જૂન 2022માં ઉત્તર-પૂર્વમાં પૂર અને લેન્ડ સ્લાઈડિંગના કારણે 700થી વધુ લોકોના મોત પણ થયા હતા. આ સિવાય વીજળી પડવાથી 900 લોકોના મોત થયા હતા.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.