આ દેશમાં સરકારી કર્મચારીઓને બિઝનેસ શરૂ કરવા માટે 1 વર્ષની પેડ લીવ મળશે

સંયુક્ત અરબ અમીરાત એટલે કે, UAEએ પોતાના કર્મચારીઓ માટે એક વર્ષનું શાનદાર ગીફ્ટનું એલાન કર્યું છે. સરકારના આ પ્લાનનો ફાયદો સરકારી કર્મચારીઓને 2જી જાન્યુઆરીથી મળશે. સરકાર પોતાના કર્મચારોને બિઝનેસ કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. બિઝનેસ કરવા માટે સરકારી કર્મચારી એક વર્ષ સુધી રજા લઇ શકે છે. આ દરમિયાન તેમને પગાર પણ મળતો રહેશે અને નોકરી પણ ચાલુ રહેશે. એટલે કે, એક વર્ષ પછીથી નોકરી શરૂ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, UAE સરકાર તરફથી હાલ આ પ્રકારની ઘોષણા કરવામાં આવી છે.

દુબઇના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે એલાન કર્યું છે કે, દેશમાં મંત્રી મંડળે વધારેમાં વધારે બિઝનેસને પ્રોત્સાહિત કરવાના હેતુથી આ વાતની મંજૂરી આપી છે. UAEએ થોડા દિવસો પહેલા જ પોતાની સ્થાનિક આબાદી માટે એક સામાજિક કલ્યાણ કાર્યક્રમ ચલાવ્યું હતું. હવે આ યોજના હેઠળ સરકારી કર્મચારીઓને આ ઓફર આપવામાં આવી છે.

શેખ મોહમ્મદે કહ્યું કે, અમે સરકારમાં કામ કરનારા કર્મચારીઓ માટે આ મોટો નિર્ણય લીધો છે. જો તેઓ પોતાનો બિઝનેસ શરૂ કરવા માગે છે તો એક વર્ષની રજા મળશે. તેમણે કહ્યુંકે, આ નિર્ણયનો હેતુ આપણા દેશના યુવાઓને આપણી રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા તરફથી મળી રહેલા બિઝનેસના અવસરોનો લાભ ઊઠાવવા માટે પ્રોત્સાહિત કરવાનું છે. રજા દરમિયાન કર્મચારીઓને અડધો પગાર મળશે. આ દરમિયાન તેની નોકરી પણ ચાલુ જ રહેશે. એટલે કર્મચારી એક વર્ષ પછી ફરીથી પોતાની નોકરી જોઇન કરી શકશે. આ રજા કર્મચારીઓ જેના માટે કામ કરે છે તેમના ફેડરલ ઓથોરિટીના પ્રમુખ મંજૂર કરશે.

સરકારના આ પગલાની કેટલાક એક્સપર્ટ્સે સરાહના પણ કરી છે. જ્યારે કેટલાક લોકો સલાહ પણ આપી રહ્યા છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે, આ યોજનાના શરૂ થવા પર મોટી સંખ્યામાં લોકો વર્કફોર્સથી બહાર નીકળી શકે છે. એવામાં સરકારને આ ગેપને ભરવાની જરૂર પડશે. સરકારનું આ પગલું સારું છે. એવામાં વધારેમાં વધારે લોકોને રોજગાર મળશે. તેની સાથે જ લોકોને પોતાનું પેશન ફોલો કરવાનો પણ મોકો મળશે. આ યોજનાથી લોકોને એ વિશ્વાસ રહેશે કે, તેમની નોકરીને કોઇ પ્રકારનું જોખમ નથી. એવામાં તેઓ આત્મવિશ્વાસની સાથે પોતાનો કારોબાર શરૂ કરી શકશે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.