ધરપકડથી બચવા ઘરેથી ફરાર ઈમરાન ખાન? પોલીસનું આવ્યું નિવેદન

પોલીસ બિનજામીનપાત્ર વોરંટ સાથે પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનના ઘરે પહોંચી અને ખાલી હાથે પરત ફરી હતી. જ્યારે પોલીસ અધિક્ષક ઈમરાનના ઘરે પહોંચ્યા તો પૂર્વ PM ત્યાં જોવા મળ્યા ન હતા. શોધખોળ બાદ પોલીસ પરત ફરી હતી. ઈમરાન પર ધરપકડની તલવાર લટકી રહી છે. ઈસ્લામાબાદના IGએ આજે જ ઈમરાન ખાનની ધરપકડનો આદેશ આપ્યો છે. જો કે આજે ઈમરાનની ધરપકડ થાય તેવી શક્યતા નથી. ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે સંકેત આપ્યા છે કે, આજે ધરપકડની કોઈ શક્યતા નથી. કોર્ટને હવે આ મામલે તાજેતરની સ્થિતિ વિશે જણાવવામાં આવશે.

મળતી માહિતી મુજબ, કોર્ટના આદેશના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ઈસ્લામાબાદ પોલીસ પાસે ધરપકડ વોરંટ છે. પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે SP અને પોલીસની ટીમ ઈમરાનના ઘરે પહોંચી તો તેમને રૂમમાં મળ્યા ન હતા. અહીં જણાવી દઈએ કે, કોર્ટે પોલીસને 7 માર્ચ સુધીમાં ઈમરાનને હાજર કરવા કહ્યું છે. જ્યારે, ઇમરાનના સમર્થકો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ઈમરાનના ઘરની બહાર તેમના સમર્થકોનો જમાવડો જોવા મળી રહ્યો છે.

અહીં તમને જણાવી દઈએ કે, 28 ફેબ્રુઆરીના રોજ એડિશનલ સેશન જજ ઝફર ઈકબાલે પૂર્વ PMનું બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ બહાર પડ્યું હતું. આ સંબંધમાં ઈસ્લામાબાદ પોલીસ રવિવારે તોશખાના કેસમાં ધરપકડ વોરંટ લઈને ઈમરાન ખાનના જમા પાર્ક સ્થિત ઘરે પહોંચી હતી.

અહીં, PTIના વરિષ્ઠ ઉપાધ્યક્ષ ફવાદ ચૌધરીએ ટ્વીટ કર્યું છે કે કોર્ટનું વોરંટ હાજરી માટે હતું. ધરપકડ કરવાનો પોલીસનો પ્રયાસ ગેરકાયદેસર હતો.

ધરપકડના સમાચાર પર પ્રતિક્રિયા આપતા PTIના વરિષ્ઠ ઉપાધ્યક્ષ ફવાદ ચૌધરીએ ચેતવણી આપી હતી કે, જો સરકાર પૂર્વ PM વિરુદ્ધ કાર્યવાહી કરશે તો દેશની સ્થિતિ વધુ ખરાબ થશે. ફવાદે કહ્યું, 'ઈમરાન ખાનની ધરપકડ કરવાનો કોઈપણ પ્રયાસ પરિસ્થિતિને ગંભીરતાથી બગાડશે, હું આ અસમર્થ અને પાકિસ્તાન વિરોધી સરકારને ચેતવણી આપવા માંગુ છું કે, તે પાકિસ્તાનને વધુ મુશ્કેલીમાં ન નાખે અને સમજદારીથી કામ કરે.'

અહીં તમને જણાવી દઈએ કે, 28 ફેબ્રુઆરીના રોજ ઈમરાનને ઘણા મામલામાં રજૂ કરવામાં આવ્યા હતા, જેની સુનાવણી અલગ-અલગ કોર્ટમાં થઈ હતી. ઘણી જગ્યાએથી તેમને રાહત મળી, પરંતુ તોશખાના કેસમાં તેમના પર ધરપકડની તલવાર લટકી ગઈ. કોર્ટે ઈમરાન વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ બહાર પાડ્યું હતું. હકીકતમાં 28 ફેબ્રુઆરીએ ઈમરાન ખાન ચાર અલગ-અલગ કેસમાં હાજર થવાના હતા. તે અન્ય સ્થળોએ સુનાવણી માટે પહોંચ્યા હતા, પરંતુ તોશખાના કેસ દરમિયાન સુનાવણીમાં હાજર રહ્યા ન હતા.

આ કેસમાં ઈમરાન અગાઉ પણ કોર્ટની સુનાવણીમાં હાજર રહ્યા ન હતા. આ કારણથી આ વખતે કોર્ટ ગુસ્સે થઈ ગઈ અને ઈમરાન ખાન વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ બહાર પાડ્યું હતું. સુનાવણીનો દિવસ ઈમરાન માટે સારા સમાચાર અને આઘાત બંને લઈને આવ્યો. ઈમરાનને વિદેશી ફંડિંગ કેસમાં હાજર થવું પડ્યું, આતંકવાદ સંબંધિત કેસમાં હાજર થવું પડ્યું, હત્યાના પ્રયાસના કેસમાં હાજર થવું હતું અને તોશખાના કેસમાં તેની હાજરી ચિહ્નિત કરવી પડી.

PTI ચીફને આતંકવાદ કેસમાં રાહત મળી, તેમની જામીન અરજી પણ સ્વીકારવામાં આવી. એ જ રીતે વિદેશી ફંડિંગ કેસમાં પણ ઈમરાનની જામીન અરજી સ્વીકારવામાં આવી હતી. પરંતુ તોશખાનાના કેસે તેમની મુશ્કેલીઓમાં વધારો કર્યો.

તોશખાના એ કેબિનેટનો એક વિભાગ છે જ્યાં સરકારો, રાજ્યના વડાઓ અને અન્ય દેશોના વિદેશી મહેમાનો દ્વારા આપવામાં આવતી મૂલ્યવાન ભેટો રાખવામાં આવે છે. નિયમો અનુસાર અન્ય દેશોના વડાઓ કે મહાનુભાવો પાસેથી મળેલી ભેટ તોશખાનામાં રાખવી જરૂરી છે. ઈમરાન ખાન 2018માં પાકિસ્તાનના PM બન્યા હતા. આરબ દેશોની મુલાકાત દરમિયાન તેમને ત્યાંના શાસકો પાસેથી મોંઘીદાટ ભેટો મળી હતી. તેને યુરોપના ઘણા દેશોના રાષ્ટ્રાધ્યક્ષો તરફથી કિંમતી ભેટો પણ મળી હતી, જે ઈમરાન દ્વારા તોશખાનામાં જમા કરવામાં આવી હતી. પરંતુ ત્યાર પછી ઈમરાન ખાને તેમને તોશખાનામાંથી સસ્તા ભાવે ખરીદી અને મોટા નફામાં વેચી દીધી. તેમની સરકારે આ સમગ્ર પ્રક્રિયાને કાયદાકીય પરવાનગી આપી હતી.

About The Author

Related Posts

Top News

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.