ભારતે આ મુદ્દે પાકિસ્તાનનું કર્યું યુનાઇટેડ નેશન્સમાં સમર્થન

સ્વીડનમાં પવિત્ર કુરાન સળગાવવાની ઘટના વેગ પકડી ચૂકી છે. આખા વિશ્વમાં આ ઘટના પર ચર્ચા કરવામાં આવી રહી છે. હાલમાં જ પાકિસ્તાન પવિત્ર કુરાન સળગાવવાની ઘટના વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ધાર્મિક ધૃણા સાથે જોડાયેલો પ્રસ્તાવ લાવ્યું હતું. ડ્રાફ્ટ પ્રસ્તાવને બુધવારે મંજૂરી આપી દેવામાં આવી. ખાસ વાત એ છે કે ભારતે પણ પાકિસ્તાનના આ પ્રસ્તાવાનું UNમાં સમર્થન કર્યું છે. સંયુક્ત માનવાધિકાર પરિષદ (UNHRC) તરફથી બતાવવામાં આવ્યું કે, 57 ઈસ્લામિક દેશોના સંગઠન OIC તરફથી પાકિસ્તાને ડ્રાફ્ટ રજૂ કર્યો હતો, જેમાં કેટલાક યુરોપીય અને અન્ય દેશોમાં પવિત્ર કુરાન સાથે જોડાયેલી કેટલીક ખોટી ઘટનાઓની નિંદા કરવામાં આવી હતી.

UNHRCમાં રજૂ કરવામાં આવેલા આ પ્રસ્તાવ પર કુલ 47 સભ્ય દેશોમાંથી 12 દેશોએ વિરોધ કર્યો. આ દેશોમાં અમેરિકા, બ્રિટન, બેલ્જિયમ, જર્મની રોમાનિયા, લિથુઆનિયા, કોસ્ટા રિકા અને ફિનલેન્ડ સામેલ છે, જ્યારે ભારત અને ચીન સહિત કુલ 28 દેશોએ પાકિસ્તાનના પ્રસ્તાવનું સમર્થન કર્યું. 7 દેશ એવા પણ હતા, જેમણે કોઈનું પણ સમર્થન ન કર્યું. આ દેશોમાં નેપાળ પણ સામેલ છે. UNHRCમાં પ્રસ્તાવ પર બહેસ દરમિયાન મુસ્લિમ દેશોનું કહેવું હતું કે, કુરાન સળગાવવા જેવી ઘટનાઓ નફરતને વધારવાનું કામ કરે છે.

ફ્રીડમ ઓફ સ્પીચના નામ પર એવી ઘટનાઓને પ્રોત્સાહન નહીં આપી શકાય. તો પશ્ચિમી દેશોએ આ પ્રકારની ઘટનાઓની નિંદા જરૂર કરી, પરંતુ તર્ક આપતા કહ્યું કે, ફ્રીડમ ઓફ સ્પીચનો અર્થ ક્યારેક ક્યારેક અસહનીય વિચારોને સહવાનું પણ હોય છે. પાકિસ્તાનના આ પ્રસ્તાવ માટે ઘણા દેશોએ અમેરિકા અને બ્રિટન જેવા પશ્ચિમી દેશો વિરુદ્ધ જઈને સમર્થન આપ્યું. UNHRCમાં પાકિસ્તાનને મળેલા 28 દેશોના ભારે સમર્થનને પાકિસ્તાની અખબાર ડૉને પશ્ચિમી દેશીની હાર બનાવી. સાથે જ અખબારે જણાવ્યું કે, UNHRCમાં OICનો દબદબો છે.

બીજી તરફ UNHRCમાં અમેરિકાના સ્થાયી પ્રતિનિધિ મિશેલ ટેલરે કહ્યું કે, અમેરિકાએ ચિંતાઓને ગંભીરતા સાથે લીધી નથી. તેમનું માનવું છે કે એક ખુલ્લી ચર્ચા અને થોડો સમય આપ્યા બાદ આપણે બધા આ પ્રસ્તાવ પર એક સાથે આગળ વધવાનો રસ્તો શોધી શકીએ છીએ. મતદાન બાદ પાકિસ્તાનના રાજદૂત ખલીલ હાશમીએ ભાર આપીને કહ્યું કે આ પ્રસ્તાવ સ્વતંત્ર ભાષણના અધિકારને ઓછો કરવાનો પ્રયાસ કરતો નથી, પરંતુ તેના અને વિશેષ કર્તવ્યો અને જવાબદારીઓ વચ્ચે એક વિવેકપૂર્ણ સંતુલન બનાવવાનો પ્રયાસ કરે છે.

કુરાનના અપમાનની નિંદા કરવાની તેમની અનિચ્છાથી ઉત્પન્ન થયું છે. તેમની પાસે આ કૃત્યની નિંદા કરવા માટે રાજનીતિક, કાયદાકીય અને નૈતિક સાહસની કમી છે અને પરિષદ તેમની પાસે ઓછામાં ઓછી આશા રાખી શકે છે. જો કે, એક દિવસ અગાઉ પરિષદમાં અમેરિકા રાજદૂત મિશેલ ટેલરે કહ્યું હતું કે, સંયુક્ત રાજ્ય અમેરિકા આ કૃત્યોની સખત નિંદા કરે છે જે આજની ચર્ચાનું કારણ બન્યા. જેમાં 28 જૂનના રોજ થયેલું કુરાનનું અપમાન પણ સામેલ છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.