ટોક્યો છોડીને જતા પરિવારને 6.5 લાખ આપી રહી છે જાપાન સરકાર? ચોંકાવી દેશે કારણ

વધતી જતી વસ્તીને નિયંત્રિત કરવા માટે, સમગ્ર દુનિયાની સરકારો સમય સમય પર અનેક પગલાંઓ લેતી રહે છે. આ દરમિયાન, પોતાના શહેરોમાં વસ્તીનું યોગ્ય સંતુલન જાળવવા માટે જાપાને જે રસ્તો કાઢ્યો છે તેની ચર્ચા જોર પકડી રહી છે.

જાપાન સરકારનો નિર્ણય

જાપાનની સરકાર લાંબા સમયથી ટોક્યોમાં રહેતા લોકોને રાજધાની છોડવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. આ માટે તે પરિવારોને પ્રોત્સાહન રકમ પણ આપી રહી હતી, જેને હવે વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોત્સાહન નીતિને વર્ષ 2019મા શરૂ કરવામાં આવી હતી, જેનો હેતુ બાળકોનો એવા વિસ્તારમાં ઉછેર કરવાનો છે જ્યાં જન્મ દર પહેલેથી જ ઓછો છે અને ત્યાંની બાકીની વસ્તી વૃદ્ધ થઈ રહી છે. પહેલા, જાપાનની સરકાર આ યોજનામાં ભાગ લેતા લોકોને 7 લાખ યેન પ્રતિ બાળકની પ્રોત્સાહન રકમ આપતી હતી, હવે તેને વધારીને 10 લાખ યેન એટલે કે લગભગ 6.5 લાખ રૂપિયા પ્રતિ બાળક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારનો ટારગેટ

એક મીડિયા રિપોર્ટ મુજબ, 2019મા માત્ર 71 પરિવારો જ આ યોજનાનો ભાગ બન્યા હતા, જે 2020 આવતા આવતા 290 થઈ ગયા હતા. હવે જાપાનની સરકારનો પ્રયાસ આ યોજનામાં ભાગ લેનારા પરિવારોની સંખ્યા આગામી 5 વર્ષમાં વધારીને 10 હજારને પાર પહોંચાડવાની છે. આ માટે જાપાનની સરકાર દૂરસ્થ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓમાં ઝડપથી વધારો કરી રહી છે.

આ શરતોને પૂર્ણ કરવી પડશે

આ યોજનાનો લાભ લેતા લોકોએ નવી જગ્યા પર જઈને સ્થાનિક વહીવટીતંત્ર પાસે આગામી ત્રણ મહિનાથી એક વર્ષની વચ્ચે પહોંચવું પડશે અને ત્યાં રહેવાના પોતાના હેતુની જાણકારી આપતા એ સોગંદનામું આપવું પડશે કે તેઓ ત્યાં પાંચ વર્ષ સુધી રહેશે. જો તેઓ પાંચ વર્ષ સુધી એ જગ્યાએ જ નહીં રહશે તો તેમની પાસેથી આ પ્રોત્સાહન રકમ સરકાર પાછી લઈ લેશે. આ કાર્યક્રમમાં એવા પરિવારોને વધુ આર્થિક સહાય આપવામાં આવશે જેમાં એક કરતાં વધુ બાળકો છે. વર્ષ 2021મા, 1184 પરિવારોએ ટોક્યો છોડ્યું હતું જેમને મદદ આપવામાં આવી હતી. આ યોજનાનો લાભ લેનાર વ્યક્તિએ પોતાના રોજગારની જવાબદારી પોતે ઉઠાવવાની રહેશે. પરંતુ યોગ્યતાની માત્ર આટલી જ શરતો નથી. માતા-પિતા નાની અને મધ્યમ કદની કંપનીમાં કામ કરતાં હોવા જોઈએ જે તે જ વિસ્તારમાં પણ હોય જ્યાં તેઓ જઈ રહ્યા છે જેથી તેઓ તેમનું જૂનું કામ ચાલુ રાખી શકે. અથવા પછી એવું હોવું જોઈએ કે તેઓ ઈન્ટરનેટ દ્વારા તેમનું જૂનું કામ ચાલુ રાખી શકે અને અથવા પછી એવા લોકો હોવા જોઈએ કે જેઓ નવા વિસ્તારમાં નાના વ્યવસાય શરૂ કરી શકે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.