માલદીવના રાષ્ટ્રપતિની આડોડાઈ, ભારતને સૈનિકો પાછા બોલાવવા કહ્યું

માલદીવના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ શપથ લેતાની સાથે જ પોતાનું વલણ બતાવવાનું શરૂ કરી દીધું છે, તેણે ભારતને તેની સૈન્ય હાજરી પાછી ખેંચવા કહ્યું છે. મુઈઝુના કાર્યાલયે શનિવારે જાહેરાત કરી હતી કે, સરકારે સત્તાવાર રીતે ભારતને દેશમાંથી તેની સૈન્ય હાજરી પાછી ખેંચી લેવા જણાવ્યું છે.

જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ મુઇઝુએ ઔપચારિક રીતે વિનંતી કરી હતી જ્યારે તેઓ દિવસ દરમિયાન રાષ્ટ્રપતિ કાર્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુને મળ્યા હતા. ભારત સરકારના મંત્રી રિજિજુ માલદીવના રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા આવ્યા હતા.

હકીકતમાં માલદીવમાં ભારતના લગભગ 70 સૈનિકો છે, જેઓ રડાર અને સર્વેલન્સ એરક્રાફ્ટ તૈનાત કરે છે. ભારતીય યુદ્ધ જહાજો દેશના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં પેટ્રોલિંગ કરવામાં પણ મદદ કરે છે.

ભારત સરકારના સૂત્રોએ જણાવ્યું કે, જ્યારે રિજિજુ મુઇઝુને મળ્યા ત્યારે રાષ્ટ્રપતિએ માલદીવમાં હાજર ભારતીય સૈન્ય કર્મચારીઓને મેડિકલ ઈવેક્યુએશન અને ડ્રગ હેરફેર વિરોધી હેતુઓ માટે વિમાન ચલાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિ મુઈઝુએ માલદીવના નાગરિકોના તબીબી સ્થળાંતરમાં આ ભારતીય હેલિકોપ્ટર અને વિમાનોના યોગદાનને સ્વીકાર્યું. દૂરના ટાપુઓ પર રોકાણ દરમિયાન આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સેવા અંગે પણ ચર્ચા થઈ હતી. એ વાત પર સહમતિ સધાઈ હતી કે બંને સરકારો આ પ્લેટફોર્મના ઉપયોગ દ્વારા સતત સહકાર માટે વ્યવહારુ ઉકેલો પર ચર્ચા કરશે, કારણ કે તે માલદીવના લોકોના હિતોની સેવા કરે છે.

અહીં તમને જણાવી દઈએ કે, માલદીવમાંથી વિદેશી સૈનિકોને પાછા હટાવવા એ નવા રાષ્ટ્રપતિના મુખ્ય વચનોમાંથી એક છે. શુક્રવારે શપથ ગ્રહણ કર્યા પછી રાષ્ટ્રને પોતાના પ્રથમ ભાષણમાં તેમણે આમ કરવાનો પોતાનો સંકલ્પ પુનરોચ્ચાર કર્યો હતો. ભારતનું નામ લીધા વિના મુઈઝુએ કહ્યું હતું કે, 'માલદીવમાં કોઈ વિદેશી સૈન્ય કર્મચારી નહીં હોય.'

મીડિયા સૂત્રોને ઉલ્લેખીને તેમણે કહ્યું, 'જ્યારે અમારી સુરક્ષાની વાત આવે છે, ત્યારે હું લાલ રેખા દોરીશ. માલદીવ અન્ય દેશોની લાલ રેખાઓનું પણ સન્માન કરશે.'

ઉલ્લેખનીય છે કે મુઈઝુ ચીનના સમર્થક તરીકે ઓળખાય છે. તાજેતરમાં જ તેમણે મીડિયા સૂત્રોને જણાવ્યું હતું કે, તેમનો ઈરાદો ભારતીય સેનાની જગ્યાએ ચીની સૈનિકોને તૈનાત કરીને પ્રાદેશિક સંતુલનને ખલેલ પહોંચાડવાનો નથી. તેમણે કહ્યું હતું કે, 'ભૌગોલિક રાજકીય હરીફાઈમાં ફસાઈ જવા માટે માલદીવ ખૂબ નાનું છે. મને આમાં માલદીવની વિદેશ નીતિને સામેલ કરવામાં બહુ રસ નથી.'

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 04-06-2025 દિવસ: બુધવાર મેષ:  તમે દિવસનો થોડો સમય માતા-પિતાની સેવામાં પણ પસાર કરશો. તમે તમારા પરિવારના સભ્યોને પિકનિક પર...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા વિશ્વના મુખ્ય દેશોમાં બે સરકારી પ્રતિનિધિમંડળો મોકલવામાં આવશે. આ પ્રતિનિધિમંડળો પર જવાબદારી હશે કે, ભારત સાથે...
World 
પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...

ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટરે ગિલને આપ્યો જીતનો મંત્ર, ઈંગ્લેન્ડ સીરિઝ માટે આ ખેલાડીને X ફેક્ટર ગણાવ્યો

ટીમ ઈન્ડિયા 20 જૂનથી ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણી ઘણી રીતે ખાસ બનવાની છે. આગામી ઈંગ્લેન્ડ...
Sports 
ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટરે ગિલને આપ્યો જીતનો મંત્ર, ઈંગ્લેન્ડ સીરિઝ માટે આ ખેલાડીને X ફેક્ટર ગણાવ્યો

કોરોનાની નાકની રસીનું શું થયું? શું હમણાંની નવી લહેરમાં ઉપયોગી થશે? જાણો કંઈ કંપનીઓએ તેને તૈયાર કરી છે

દેશમાં ફરી એકવાર કોરોના ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે. સોમવાર સુધીમાં, દેશભરમાં કોરોનાના લગભગ ચાર હજાર કેસ નોંધાયા છે...
National 
કોરોનાની નાકની રસીનું શું થયું? શું હમણાંની નવી લહેરમાં ઉપયોગી થશે? જાણો કંઈ કંપનીઓએ તેને તૈયાર કરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.