ચીન સાથે નજીકતા વધારી રહ્યો છે નિત્યાનંદનો દેશ કૈલાસા! કરી આ ટ્વીટ

વિવાદાસ્પદ ભાગેડુ ધર્મગુરુ નિત્યાનંદ ભારત વિરુદ્ધ વધુ એક નવું ષડયંત્ર રચી રહ્યો છે. તે પોતાનો તથાકથિત દેશ 'યુનાઈટેડ સ્ટેટ ઓફ કૈલાસા' સ્થાપિત કર્યા બાદ ભારતના દુશ્મન દેશો સાથે પોતાની નજીકતા વધારવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તેણે તેની શરૂઆત ચીનથી કરી છે. શી જિનપિંગને ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે. તો ભાગેડુ નિત્યાનંદ દ્વારા પોતાના તથાકથિત દેશ તરફથી શી જિનપિંગને રાષ્ટ્રપતિ બનવા પર શુભેચ્છા આપવામાં આવી છે.

નિત્યાનંદે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરી કે, અમે તમને રાષ્ટ્રપતિના રૂપમાં એક સફળ કાર્યકાળ પૂરો કરવા માટે હાર્દિક શભેચ્છાઓ પાઠવીએ છીએ. તમારા મહાન દેશ, અહીંના લોકો અને કૈલાસા વચ્ચે લાંબા સમય સુધી ચાલનારા મૈત્રીપૂર્ણ સંબંધોની આશા રાખું છું. પરમશિવનો આશીર્વાદ ચીનના લોકો પર બન્યો રહે. ઉલ્લેખનીય છે કે, નિત્યાનંદ અપહરણ અને બળાત્કારનો આરોપી છે. તે વર્ષ 2019માં દેશ છોડીને ભાગી ગયો હતો. થોડા વર્ષ બાદ ખબર પડી કે, તેણે પોતાનો અલગ દેશ ‘યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ કૈલાસા’ બનાવી લીધો છે.

ન્યૂઝ રિપોર્ટ્સ મુજબ, ભારતથી ભાગ્યા બાદ નિત્યાનંદે દક્ષિણ અમેરિકાના ઇક્વાડોરમાં જમીન ખરીદી અને તેને અલગ દેશ ‘કૈલાસા’ જાહેર કરી દીધો. જો કે, અત્યાર સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. ગયા મહિને આ તથાકઠિત દેશના પ્રતિનિધિઓએ સંયુક્ત રાષ્ટ્ર (UN)ની બેઠકમાં પણ હિસ્સો લીધો હતો, ત્યારબાદ નિત્યાનંદ ફરીથી ચર્ચામાં આવી ગયો છે. કૈલાસાની પ્રતિનિધિ વિજયપ્રિયા નિત્યાનંદે દાવો કર્યો હતો કે નિત્યાનંદના દેશની વસ્તી 20 લાખ છે અને દુનિયાના 150 દેશોમાં કૈલાસાની એમ્બેસી કે NGO છે. તો વસ્તીને લઈને કૈલાસની વેબસાઇટ પર દાવો કરવામાં આવ્યો છે કે હિન્દુ ધર્મને માનનારા 200 કરોડ લોકો તેમના દેશના નાગરિક છે.

1 જાન્યુઆરી 1978ના રોજ નિત્યાનંદનો જન્મ તામિલનાડુમાં થયો હતો. 12 વર્ષની ઉંમરમાં તેણે રામકૃષ્ણ મઠમાં શિક્ષણ લેવાનું શરૂ કર્યું. 1 જાન્યુઆરી 2003ના રોજ નિત્યાનંદે બેંગ્લોર પાસે બિદાદીમાં પોતાનો પહેલો આશ્રમ ખોલ્યો. ત્યારબાદ નિત્યાનંદ વર્ષ 2010માં એ સમયે સૌથી વધુ ચર્ચામાં આવ્યો, જ્યારે તેની એક અશ્લીલ CD સામે આવી હતી. આ કેસમાં તેના પર અશ્લીલતા અને છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો. ધરપકડ કર્યા બાદ તે જામીન પર બહાર આવી ગયો.

એ જ વર્ષે એક અમેરિકન મહિલાએ નિત્યાનંદ પર આરોપ લગાવ્યો કે, ધર્મના નામ પર તેણે 5 વર્ષ સુધી તેનો રેપ કર્યો. બિદાદી પોલીસ સ્ટેશનમાં કેસ થયો. વર્ષ 2018માં એ કેસની સુનાવણી શરૂ થઈ, પરંતુ નિત્યનાંદ કોર્ટમાં હાજર ન થયો. 2012માં નિત્યાનંદ પર ફરીથી રેપના આરોપ લાગ્યા. તેને સજા સંભળાવવામાં આવી, પરંતુ તે ફરાર થઈ ગયો. પછી થોડા દિવસ બાદ સરેન્ડર કરી દીધું. ત્યારબાદ વર્ષ 2019માં ગુજરાતના જનાર્દન શર્મા અને તેની પત્નીએ હાઇ કોર્ટમાં અરજી દાખલ કરીને તેના પર પોતાની બે છોકરીઓનું અપહરન અને તેમણે બંદી બનાવી રાખવાનો કેસ દાખલ કરાવ્યો, ત્યારબાદ તે દેશ છોડીને ભાગી નીકળ્યો.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.