પાકિસ્તાનમાં ફરી રાજકીય રમખાણ! શાહબાઝના 'મિત્રો' જ સરકારની સામે

એવું લાગે છે કે પાકિસ્તાનમાં ક્યારેય શાંતિ નથી. ક્યારેક રાજકીય કટોકટી ઊભી થાય છે, તો ક્યારેક બીજો કોઈ વિવાદ ઊભો થાય છે. હવે તાજેતરનો વિવાદ સિંધુ નદી પર નહેરોના બાંધકામને લઈને છે. આનાથી પેદા થયેલા આક્રોશ વચ્ચે, પાકિસ્તાન સરકારના ગઠબંધન ભાગીદાર પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)'સરમુખત્યાર સંઘીય સરકાર'ની યોજના સામે 25 માર્ચે સિંધ પ્રાંતના તમામ જિલ્લાઓમાં વિરોધ રેલીઓ યોજવાની જાહેરાત કરી છે.

Pakistan-Sindhu-River2
socialnews.xyz

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, શુક્રવારે સિંધ એસેમ્બલી સંકુલમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, PPP-સિંધના પ્રમુખ નિસાર અહેમદ ખુહરોએ સંઘીય સરકાર સામે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી. ગઠબંધન સરકારમાં વધતા આંતરિક ઝઘડા અને વિરોધાભાસી વલણ વચ્ચે, ખુહરોએ શરીફ સરકારની ટીકા કરી અને તેને 'સરમુખત્યારશાહી સંઘીય સરકાર' ગણાવી. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, ખુહરોએ ચેતવણી પણ આપી હતી કે, PPPના વિરોધ પ્રદર્શનો સરકારને નહેર પ્રોજેક્ટ્સ છોડી દેવાની ફરજ પાડશે.

ખુહરોએ કહ્યું, 'PPP 25 માર્ચે સિંધના તમામ જિલ્લા મુખ્યાલયોમાં વિવાદાસ્પદ છ નહેર પ્રોજેક્ટ સામે રેલીઓ અને વિરોધ પ્રદર્શન કરશે. હું સિંધના લોકોને એક થવા અને આ નહેરો સામે લડવા અપીલ કરું છું.' નહેર સામેના સંઘર્ષમાં જોડાવા માટે લોકો અને તમામ પક્ષોને અપીલ કરતા તેમણે વધુમાં કહ્યું કે, સિંધનો એકીકૃત અવાજ પ્રભાવ પાડશે.

Aston-Martin-Vanquish
amarujala.com

પાકિસ્તાનના એક સ્થાનિક અખબારના અહેવાલ મુજબ, PPP નેતાએ કહ્યું કે, સંઘીય સરકારે કોઈપણ બંધારણીય મંચની મંજૂરી વિના પંજાબ પ્રાંતમાં ચોલિસ્તાન નહેરનું બાંધકામ શરૂ કરીને સરમુખત્યારશાહીની યાદોને તાજી કરી છે. અગાઉ, PPP સિંધ કાઉન્સિલે પણ સિંધુ નદી પર છ નવી નહેરો બનાવવાની સંઘીય સરકારની યોજનાને નકારી કાઢી હતી. આ અઠવાડિયાની શરૂઆતમાં, પાકિસ્તાન સરકારના નહેર પ્રોજેક્ટ સામે પ્રાંતવ્યાપી વિરોધ પ્રદર્શનના ભાગ રૂપે, પાકિસ્તાનના સિંધમાં ઘણી રેલીઓ યોજાઈ હતી.

Aston-Martin-Vanquish7
aajtak.in

વિરોધીઓએ ચેતવણી આપી હતી કે, ચોલિસ્તાન અને અન્ય નહેરો સિંધને તેના પાણીથી કાયમ માટે વંચિત રાખશે, કારણ કે સિંધનું અસ્તિત્વ સીધુ સિંધુ નદી સાથે જોડાયેલું છે.

About The Author

Related Posts

Top News

ઈરાન યુદ્ધની ભારતના ઓટો ઉદ્યોગ પર મોટી અસરનો ભય, કાર ઉત્પાદન પર પડી શકે અસર

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ અને પશ્ચિમ એશિયાના તણાવના કારણે ભારતના ઓટો ઉદ્યોગને ટૂંકા ગાળામાં પડકારોનો સામનો કરવો પડી શકે...
Tech and Auto 
ઈરાન યુદ્ધની ભારતના ઓટો ઉદ્યોગ પર મોટી અસરનો ભય, કાર ઉત્પાદન પર પડી શકે અસર

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 15-04-2026 વાર- બુધવાર મેષ -  પાણીજન્ય રોગમાં ધ્યાન રાખવું,  બચતની ચિંતા છોડી પુષ્કળ ભક્તિમાં આજે હનુમાનજીને મીઠી વસ્તુ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ વધવાની આશંકાથી ક્રૂડ ઓઈલના ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થયો

પાકિસ્તાનમાં અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી વધારો થવા પામ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ...
Business 
હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ વધવાની આશંકાથી ક્રૂડ ઓઈલના ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થયો

વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયા માટે પસંદગી નક્કી, કોનું પત્તું કપાશે?

અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ આયર્લેન્ડ સામેની T20 શ્રેણી માટે મોટો નિર્ણય લેવા માટે તૈયાર છે. તેઓ વૈભવ સૂર્યવંશીને...
Sports 
વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયા માટે પસંદગી નક્કી, કોનું પત્તું કપાશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.