પાકિસ્તાનમાં ફરી રાજકીય રમખાણ! શાહબાઝના 'મિત્રો' જ સરકારની સામે

એવું લાગે છે કે પાકિસ્તાનમાં ક્યારેય શાંતિ નથી. ક્યારેક રાજકીય કટોકટી ઊભી થાય છે, તો ક્યારેક બીજો કોઈ વિવાદ ઊભો થાય છે. હવે તાજેતરનો વિવાદ સિંધુ નદી પર નહેરોના બાંધકામને લઈને છે. આનાથી પેદા થયેલા આક્રોશ વચ્ચે, પાકિસ્તાન સરકારના ગઠબંધન ભાગીદાર પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)'સરમુખત્યાર સંઘીય સરકાર'ની યોજના સામે 25 માર્ચે સિંધ પ્રાંતના તમામ જિલ્લાઓમાં વિરોધ રેલીઓ યોજવાની જાહેરાત કરી છે.

Pakistan-Sindhu-River2
socialnews.xyz

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, શુક્રવારે સિંધ એસેમ્બલી સંકુલમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, PPP-સિંધના પ્રમુખ નિસાર અહેમદ ખુહરોએ સંઘીય સરકાર સામે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી. ગઠબંધન સરકારમાં વધતા આંતરિક ઝઘડા અને વિરોધાભાસી વલણ વચ્ચે, ખુહરોએ શરીફ સરકારની ટીકા કરી અને તેને 'સરમુખત્યારશાહી સંઘીય સરકાર' ગણાવી. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, ખુહરોએ ચેતવણી પણ આપી હતી કે, PPPના વિરોધ પ્રદર્શનો સરકારને નહેર પ્રોજેક્ટ્સ છોડી દેવાની ફરજ પાડશે.

ખુહરોએ કહ્યું, 'PPP 25 માર્ચે સિંધના તમામ જિલ્લા મુખ્યાલયોમાં વિવાદાસ્પદ છ નહેર પ્રોજેક્ટ સામે રેલીઓ અને વિરોધ પ્રદર્શન કરશે. હું સિંધના લોકોને એક થવા અને આ નહેરો સામે લડવા અપીલ કરું છું.' નહેર સામેના સંઘર્ષમાં જોડાવા માટે લોકો અને તમામ પક્ષોને અપીલ કરતા તેમણે વધુમાં કહ્યું કે, સિંધનો એકીકૃત અવાજ પ્રભાવ પાડશે.

Aston-Martin-Vanquish
amarujala.com

પાકિસ્તાનના એક સ્થાનિક અખબારના અહેવાલ મુજબ, PPP નેતાએ કહ્યું કે, સંઘીય સરકારે કોઈપણ બંધારણીય મંચની મંજૂરી વિના પંજાબ પ્રાંતમાં ચોલિસ્તાન નહેરનું બાંધકામ શરૂ કરીને સરમુખત્યારશાહીની યાદોને તાજી કરી છે. અગાઉ, PPP સિંધ કાઉન્સિલે પણ સિંધુ નદી પર છ નવી નહેરો બનાવવાની સંઘીય સરકારની યોજનાને નકારી કાઢી હતી. આ અઠવાડિયાની શરૂઆતમાં, પાકિસ્તાન સરકારના નહેર પ્રોજેક્ટ સામે પ્રાંતવ્યાપી વિરોધ પ્રદર્શનના ભાગ રૂપે, પાકિસ્તાનના સિંધમાં ઘણી રેલીઓ યોજાઈ હતી.

Aston-Martin-Vanquish7
aajtak.in

વિરોધીઓએ ચેતવણી આપી હતી કે, ચોલિસ્તાન અને અન્ય નહેરો સિંધને તેના પાણીથી કાયમ માટે વંચિત રાખશે, કારણ કે સિંધનું અસ્તિત્વ સીધુ સિંધુ નદી સાથે જોડાયેલું છે.

About The Author

Related Posts

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.