પોતે ઉછરેલા સાંપોલિયા હવે ડંખે છે. એક પ્રદેશ પર આંતકીઓનો કબ્જો, પાક સેના લાચાર

અફઘાનિસ્તાનની સાથે લાગતી સરહદ પાસે પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં પરિસ્થિતિ વણસી રહી છે. આતંકી ગતિવિધિઓ એટલી હદે વધી ગઇ છે કે, ત્યાંના સુરક્ષાબળ પણ લાચાર નજરે પડી રહ્યા છે. પરિસ્થિતિ ખૈબર પખ્તુનખ્વામાં વધારે ખરાબ છે.

જ્યાં, થોડા દિવસોથી આતંકી ગતિવિધિઓમાં અત્યંત વધારો થયો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, અફઘાનિસ્તાનની સાથે પાકિસ્તાનના સરહદી પ્રાંતો પર આતંકવાદી હુમલાની સંખ્યા ખૂબ જ વધી ગઇ છે. તેનું એક કારણ એ પણ છે કે પાકિસ્તાન ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે અને સતત સુરક્ષા મુદ્દાઓને અવગણી રહ્યું છે.

મધ્ય પૂર્વના એક સમાચાર સંગઠન અનુસાર, અફઘાનિસ્તાનમાં તાલિબાનના પ્રવેશથી કેટલાક અન્ય આતંકવાદી સમૂહોને પણ એક મોકો નજરે પડી રહ્યો છે. તાલિબાને તેમને પાકિસ્તાનમાં પોતાના આતંકવાદી અભિયાનનો વિસ્તાર કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. 28મી નવેમ્બરના રોજ તહરીક એ તાલિબાન પાકિસ્તાન ઇસ્લામાબાદની સાથે શાંતિ વાર્તાથી બહાર થઇ ગયું હતું. ત્યાર બાદથી પાકિસ્તાનના સુરક્ષા દળો ખૈબર પખ્તૂનખ્વામાં નિયમિત સંઘર્ષનો સામનો કરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે કે, પાકિસ્તાને 1970ના દાયકાના ઉત્તરાર્ધથી ખુલ્લી રીતે અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક જેહાદનું સમર્થન કર્યું હતું. આ પાકિસ્તાનની ભૂલ હતી. તેને અંદાજો નથી કે, એક ચરમપંથી ધાર્મિક વિચારધારાનું સમર્થન કરવું તેના પોતાના ક્ષેત્ર અને નાગરિકો પર શું પ્રભાવ પાડશે.

રિપોર્ટમાં કહેવાયું છે કે, પાકિસ્તાને હવે પોતાના તાલિબાન સમર્થક વાળા નિવેદનને ઓછા કર્યા છે અને અફઘાનિસ્તાનમાં પોતાની વિફળતાઓ પરથી આંતરરાષ્ટ્રીય ધ્યાન હટાવવા માટે આતંકવાદથી પીડિતની જેમ વ્યવહાર કરવા લાગ્યું છે.

આ દરમિયાન, ચીન જે દરેક ચીજ માટે પાકિસ્તાનનું સમર્થન કરી રહ્યું છે, તે હવે ફક્ત અફઘાનિસ્તાનના સંસાધનોનો ઉપયોગ કરવામાં રૂચિ બતાવી રહ્યું છે. તેના સિવાય ચીન માનવીય સંકટની સ્થિતિ પ્રતિ ચુપ અને અનભિજ્ઞ બનેલું છે. 

ગત વર્ષ દરમિયાન, તહરીક એ તાલિબાન પાકિસ્તાન, ગુલ બહાદુર સમૂહ, ઇસ્લામિક સ્ટેટ ખુરાસન અને કેટલાક અન્યના આતંકવાદીઓએ કથિત રૂપે કેપી પ્રાંતમાં ઓછામાં ઓછા 165 આતંકી હુમલા કર્યા છે, જે 2020ની સરખામણીમાં 48 ટકા વધારે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ દરેક હુમલા તહરીક એ તાલિબાન પાકિસ્તાને કરાવ્યા હતા.

પાકિસ્તાનમાં સુરક્ષા પ્રતિષ્ઠાન પણ ગંભીર મુદ્દાનો સામનો કરી રહ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની હાલની બેઠક દરમિયાન શેર કરવામાં આવેલા રિપોર્ટનો હવાલો આપતા કહ્યું કે કેપીના આંતકવાદ વિરોધી વિભાગમાં ક્ષમતા ઓછી છે. રિપોર્ટ દ્વારા ખબર પડે છે કે, ત્યાં ખર્ચ ઓછો થઇ રહ્યો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, ગયા વર્ષે પંજાબમાં ફક્ત પાંચ આતંકવાદી ઘટનાઓ થઇ, જ્યારે કેપીમાં 704 ઘટના બની.

ગયા સપ્તાહમાં 18મી ડિસેમ્બરના રોજ અશાંત ખૈબર પખ્તૂનખ્વાના બન્નૂ જિલ્લામાં એક સુરક્ષા પરિસર પર તહરીક એ તાલિબાન પાકિસ્તાનથી સંબંધિત આતંકવાદીઓએ કબજો કરી લીધો હતો.

પાકિસ્તાનના વડાપ્રધાને તેને લઇને કહ્યું હતું કે, આ ગંભીર ઘટના હતી. તેમણે કહ્યું કે, કાયદા પ્રવર્તન એજન્સીઓએ એક સફળ અભિયાન ચલાવીને પરિસર પર કબજો કરવા વાળા દરેક આતંકીઓને માર્યા હતા. આ હુમલાની જવાબદારી પ્રતિબંધિત પાકિસ્તાની તાલિબાન આતંકવાદી સમૂહે લીધી છે.

તેના પરિણામ સ્વરૂપ બે દિવસીય સુરક્ષા સંકટ ઉત્પન્ન થઇ ગયું, જેના માટે પાકિસ્તાની સેનાએ બંધકોને મુક્ત કરવા માટે એક સૈન્ય અભિયાન કરવું પડ્યું. એ રીતે, 20મી ડિસેમ્બરના રોજ તહરીક એ તાલિબાન પાકિસ્તાન દક્ષિણ વઝીરિસ્તાનના વાનામાં એક પોલીસ સ્ટેશનમાં જબરજસ્તી ઘુસી ગયા અને હથિયાર લૂંટીને સફળતા પૂર્વક ફરાર થઇ ગયા.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.