ઓસ્ટ્રેલિયામાં રોકાઇ રહ્યો નથી મંદિરો પર હુમલા, 15 દિવસમાં ત્રીજી ઘટના

ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરોમાં તોડફોડની ઘટના બંધ થવાનું નામ લઇ રહી નથી. સોમવારે એવું ત્રીજી વખત બન્યું જ્યારે આ પ્રકારનો હુમલો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં પખવાડિયાની અંદર ત્રીજા મંદિરમાં તોડફોડ થઇ છે. મેલબર્નના અલ્બર્ટ પાર્કમાં ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ (ઇસ્કોન) મંદિરના સંચાલને સોમવારે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, મંદિર પરિસરમાં તોડફોડ કરવામાં આવી અને દીવાલો પર ‘હિન્દુસ્તાન મુર્દાબાદ’ના નારા લખવામાં આવ્યા છે.

માનવામાં આવી રહ્યું છે કે આ ઘટનાઓ પાછળ ખાલિસ્તાની સમર્થકોનો હાથ છે. ઇસ્કોન મંદિરના કમ્યુનિકેશન ડિરેક્ટર ભક્ત દાસે કહ્યું કે, અમે આ ઘટનાથી હેરાન અને ગુસ્સામાં છીએ. અમારા પૂજા સ્થળનું અપમાન કરવામાં આવ્યું છે. આ ઘટનાને લઇને વિક્ટોરિયા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ગુનેગારોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેના માટે CCTV ફૂટેજની ચકાસણી ચાલી રહી છે. તેનાથી કંઇક મહત્ત્વના પુરાવા મળવાની આશા છે.

આ અગાઉ 16 જાન્યુઆરીના રોજ ખલિસ્તાન સમર્થકોએ ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિર પર ભારત-વિરોધી વાતો લાખી હતી અને તેને નુકસાન પહોંચાડ્યું હતું. વિક્ટોરિયા પ્રાંતમાં અઠવાડિયાની અંદર મંદિરને નુકસાન પહોંચાડવાની આ બીજી ઘટના હતી. કાર્રૂમ ડાન્સમાં સ્થિત ઐતિહાસિક શ્રી શિવ વિષ્ણુ મંદિરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. મંદિરને નુકસાન પહોંચાડવાની આ વાત એ સમયે બહાર આવી, જ્યારે તામિલ હિન્દુ સમુદાયના ત્રીજા લાંબા તહેવાર ‘થાઇ પોંગલ’ પર દર્શન માટે શ્રદ્ધાળુ મંદિર પહોંચ્યા હતા.

12 જાન્યુઆરીના રોજ મેલબર્ન સ્થિત સ્વામિનારાયણ મંદિર પર ભારત વિરોધી વાતો લખવામાં આવી અને અસામાજિક તત્વોએ ત્યાં તોડફોડ કરી હતી. આ બંને ઘટનાઓ બાદ ભારતે ઓસ્ટ્રેલિયાઅને તપાસ કરવાની અપીલ કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ જણાવ્યું હતું કે, ઘટનાથી ઓસ્ટ્રેલિયન સરકારને અવગત કરાવવામાં આવી છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં મંદિરોમાં તોડફોડ કરવામાં આવી. અમે આ ઘટનાઓની નિંદા કરીએ છીએ. મેલબર્ન સ્થિત ભારતીય ઉચ્ચાયોગે આ મામલાને સ્થાનિક પોલીસ સમક્ષ પણ ઉઠાવ્યો છે. અમે ઘટનાની તપાસ જલદી કરવા દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી અને ભવિષ્યમાં એવી ઘટનાઓને રોકવાની અપીલ કરી છે.

સાંસદના ફેડરલ મેમ્બર ઓશ બર્ન્સે કહ્યું કે, અલ્બર્ટ પાર્કમાં હરે કૃષ્ણ મંદિર પર નિંદાસ્પદ હુમલા બાબતે જાણીને હું સ્તબ્ધ રહી ગયો. હાલના અઠવાડિયામાં મેલબર્નમાં હિન્દુ પૂજા સ્થળો વિરુદ્ધ બર્બરતાની આ ત્રીજી ઘટના છે. તો IT કન્સલ્ટેન્ટ અને ઇસ્કોન મંદિરના ભક્ત શિવેશ પાંડેએ કહ્યું કે, વિક્ટોરિયા પોલીસ છેલ્લા 2 અઠવાડિયામાં એ લોકો વિરુદ્ધ કોઇ નિર્ણાયક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે. જે શાંતિપૂર્ણ હિન્દુ સમુદાય વિરુદ્ધ પોતાનો નફરતભર્યો એજન્ડા ચલાવી રહી છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.