આ કોઈ ટ્રે઼ડ વોર નથી, ફક્ત ચીન માટે...' USએ કહ્યું- નેગોસિએશનમાં આ બે દેશ સૌથી આગળ

યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેંટે સ્પષ્ટતા કરી છે કે વૈશ્વિક વેપારમાં ટેરિફનો આ મુદ્દો બેડ એક્ટર્સ સાથે સંબંધિત છે. ચીન પર નિશાન સાધતા, યુએસ અધિકારીએ કહ્યું કે આવા દેશો વૈશ્વિક અર્થતંત્રમાં તેમના યોગદાન સાથે અસંતુલન બનાવી રહ્યા છે, જેના કારણે ટ્રમ્પે 125% ટેરિફ લાદ્યો છે. તેમણે કહ્યું નેગોશિએશન કે ચીનના પડોશી દેશો સાથે ચાલી રહ્યો છે, જેમાં ભારત પણ શામેલ છે. 

Trump-Tariff
indianexpress.com

બેસેંટ કહ્યું, 'આ કોઈ ટ્રેડ વોર નથી. આ 'ખરાબ એક્ટર્સ' વિશે છે, અને અમે ચીનના પડોશીઓ સાથે ટેરિફ પર નેગોશિએશનને લઈને ચર્ચા કરી રહ્યા છીએ. આ બાબતમાં ભારત, દક્ષિણ કોરિયા અને જાપાન સૌથી આગળ છે. તેમણે કહ્યું કે વિયેતનામ સાથે પણ વેપાર વાટાઘાટો ચાલી રહી છે. 

ટ્રમ્પના નિર્ણયથી ભારતીય બજારને મળી શકે છે રાહત 

ચીન સામે 125 ટકા ટેરિફ 10 એપ્રિલથી અમલમાં આવશે.  આ નિર્ણય અમેરિકન માલ પર ટેરિફ 34 ટકાથી વધારીને 84 ટકા કર્યા પછી લેવામાં આવ્યો છે.બેસેંટે વધુમાં જણાવ્યું હતું કે ટ્રમ્પ દ્વારા 2 એપ્રિલે લાદવામાં આવેલા ટેરિફ 90 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આ અચાનક જાહેરાતથી વૈશ્વિક શેરબજારમાં ઉછાળો આવ્યો અને ઘણા દિવસોની અસ્થિરતાનો અંત આવ્યો. ભારતીય શેરબજારને પણ આનાથી રાહત મળવાની અપેક્ષા છે. 

Trump-Tariff-2
bbc.com

10% ટેરિફ સુધી જઈ શકે છે: બેસેંટ

બેસેંટે કહ્યું "અમે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા આજે એક અઠવાડિયા પહેલા અમલમાં મુકવામાં આવેલી સફળ વાટાઘાટોની વ્યૂહરચના જોઈ છે,". 75 થી વધુ દેશો વાટાઘાટો માટે આગળ આવ્યા છે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે ટ્રમ્પ વેપાર મંત્રણા (ટ્રેડ ટોક વિથ ટ્રમ્પ) માં વ્યક્તિગત રીતે ભાગ લેવા માંગે છે. એટલા માટે અમે 90 દિવસની યોજના પર કામ કરી રહ્યા છીએ. તેથી, દુનિયાનો કોઈપણ દેશ જે આવીને વાત કરવા માંગે છે, અમે તમારી વાત સાંભળવા તૈયાર છીએ. અમે તેમના માટે 10 ટકા બેઝલાઇન ટેરિફ સુધી જઈ શકીએ છીએ. 

અમેરિકા અને ભારત એકબીજા સાથે સંમત  

ભારત માટે પણ ટ્રમ્પની જાહેરાત 90 દિવસની રાહત પૂરી પાડે છે. અમેરિકાએ ફાર્માસ્યુટિકલ્સ અને સેમિકન્ડક્ટર સિવાય ભારતીય આયાત પર 26 ટકા ટેરિફ લાદ્યો હતો. ટ્રમ્પે ભારત પ્રત્યે સાવધાનીભર્યું વલણ અપનાવ્યું છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન જાહેર કરાયેલા વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બંને દેશો દ્વિપક્ષીય વેપાર કરાર માટેની શરતો પર પહેલાથી જ સંમત થઈ ગયા છે અને આ વર્ષના પાનખર સુધીમાં આ સોદો પૂર્ણ થવાની અપેક્ષા છે. 

 

About The Author

Related Posts

Top News

‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

મધ્ય પ્રદેશના સિંગરૌલીથી સિસ્ટમનો પર્દાફાશ કરતી એક ચોંકાવનારી કહાની સામે આવી છે. કાગળ પર એક પુરુષને મૃત જાહેર કરવામાં આવ્યો...
National 
‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો, અમેરિકા અને બ્રિટનમાં વધ્યો... કરપ્શન પર 180 દેશોનો નવો અહેવાલ

યુરોપ અને અમેરિકામાં ભ્રષ્ટાચારના કેસોમાં વધારો થયો છે, પરંતુ 2025માં ભારતમાં ભ્રષ્ટાચારના કેસોમાં 2024ની સરખામણીમાં ઘટાડો થયો છે. ગ્લોબલ...
National 
ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો, અમેરિકા અને બ્રિટનમાં વધ્યો... કરપ્શન પર 180 દેશોનો નવો અહેવાલ

વોર્ડ બોયે પોતાને ડૉક્ટર ગણાવીને આપ્યું ઈન્જેક્શન, મહિલાએ ગુમાવ્યો જીવ

નવી મુંબઈના વાશી વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં એક વોર્ડ બોયે એક મહિલાને ઈન્જેક્શન લગાવી દીધું, ત્યારબાદ 21 વર્ષીય યુવતીનું...
National 
વોર્ડ બોયે પોતાને ડૉક્ટર ગણાવીને આપ્યું ઈન્જેક્શન, મહિલાએ ગુમાવ્યો જીવ

રેલવે સ્ટેશન પર 3 વર્ષમાં 1500 બાળકોને બચાવ્યા, સરકારે મહિલા RPF PIને મોટું સન્માન આપ્યું

ભારત સરકારે  રેલવે પ્રોટેકશન ફોર્સ (RPF)ના PI ચંદના સિંહાને મોટું સન્માન આપ્યું છે.જૂન 2024માં ચંદનાને 'ઓપરેશન...
National 
રેલવે સ્ટેશન પર 3 વર્ષમાં 1500 બાળકોને બચાવ્યા, સરકારે મહિલા RPF PIને મોટું સન્માન આપ્યું

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.