UNGA: યુક્રેન ઠરાવ પર ભારત ગેરહાજર, દુનિયાનો ચહેરો બતાવતો મહત્વનો પ્રશ્ન પૂછ્યો

રશિયા-યુક્રેન યુદ્ધને હવે એક વર્ષ થઈ ગયું છે. આ યુદ્ધ નજીકના ભવિષ્યમાં સમાપ્ત થાય તેમ લાગતું નથી. દરમિયાન, UNGAમાં ગુરુવારે યુક્રેન સંબંધિત ઠરાવ પર ભારત ગેરહાજર રહ્યું હતું. UN જનરલ એસેમ્બલીમાં લાવવામાં આવેલા ઠરાવમાં યુક્રેનમાં 'વ્યાપક, ન્યાયી અને કાયમી શાંતિ' સુધી પહોંચવાની જરૂરિયાત વિશે વાત કરવામાં આવી હતી.

યુક્રેનના ઠરાવ પર મતદાન કર્યા પછી, ભારત તરફથી સવાલ પૂછવામાં આવ્યો કે, શું રશિયા-યુક્રેન સંઘર્ષના એક વર્ષ પછી પણ વિશ્વને 'સંભવિત ઉકેલ' મળ્યો છે, જે મોસ્કો અને કિવ બંનેને સ્વીકાર્ય છે. 193-સભ્યવાળી UNGAમાં ઠરાવ પર મતદાન કરવાથી દૂર રહેલા 32 દેશોમાં ભારત એક હતું. આ પ્રસ્તાવ યુક્રેન અને તેના સમર્થકો દ્વારા લાવવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવના પક્ષમાં 141 દેશો હતા જ્યારે 7 તેની વિરુદ્ધમાં રહ્યા હતા.

ઠરાવને અપનાવવામાં આવ્યા પછી, મતની સમજૂતી આપતા, UNમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે જણાવ્યું હતું કે 'તે જરૂરી છે કે આપણે આપણી જાતને કેટલાક હાલના સંબંધિત પ્રશ્નો પૂછીએ. શું આપણે એવા ઉકેલની નજીક છીએ કે જે બંને પક્ષોને સ્વીકાર્ય હોય? શું કોઈપણ પ્રક્રિયા કે જેમાં બંને પક્ષો સામેલ ન હોય તે ક્યારેય વિશ્વસનીય અને અર્થપૂર્ણ ઉકેલ તરફ દોરી શકે છે?’

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત યુક્રેનની સ્થિતિ અંગે ચિંતિત છે. અમે યુક્રેનમાં વ્યાપક, ન્યાયી અને સ્થાયી શાંતિને પ્રોત્સાહન આપવાના મહાસચિવના પ્રયાસોને સમર્થનની નોંધ લઈએ છીએ, જ્યારે શાંતિ હાંસલ કરવાના રાજદ્વારી પ્રયાસો માટે સભ્ય દેશો દ્વારા વધેલા સમર્થન પર ભાર મૂક્યો છે. જો કે, ગ્રાઉન્ડ રિપોર્ટ્સ એક જટિલ દૃશ્ય દર્શાવે છે, જેમાં સંઘર્ષ બહુવિધ મોરચે તીવ્ર બનતો જોવા મળે છે.

આ દરમિયાન ભારતના રૂચિરા કંબોજે જણાવ્યું હતું કે, રશિયા-યુક્રેન યુદ્ધને કારણે અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યા છે, લાખો લોકો બેઘર બન્યા છે અને પડોશી દેશોમાં આશરો લેવાની ફરજ પડી છે. તેમણે કહ્યું કે નાગરિકો અને નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાના અહેવાલો પણ ખૂબ જ ચિંતાજનક છે. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે, ભારત બહુપક્ષીયતા માટે પ્રતિબદ્ધ છે અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના સિદ્ધાંતોનું સમર્થન કરે છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.