કોણ છે સુશીલા કાર્કી, જેઓ બની શકે છે નેપાળના વચગાળાના PM, શું છે ભારત સાથે કનેક્શન?

નેપાળમાં ચાલી રહેલા Gen-Zના વિરોધ પ્રદર્શનો વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુશીલા કાર્કી નેપાળના કાર્યકારી વડાપ્રધાન બની શકે છે. આ મુદ્દે Gen-Zના પ્રદર્શંકારીઓએ એક વર્ચ્યુઅલ મીટિંગ બોલાવી હતી, જેમાં 5000થી વધુ યુવાનોએ ભાગ લીધો હતો અને પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને સૌથી વધુ સમર્થન મળ્યું.

Sushila-Karki
indianexpress.com

કેપી શર્મા ઓલીના રાજીનામા બાદ નેપાળમાં ચાલી રહેલી ઉથલ-પાથલ વચ્ચે નવી કાર્યકારી સરકારનું નેતૃત્વ કરવા માટે સંભવિત ઉમેદવારોમાંથી એકના રૂપમાં પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીનું નામ સામે આવ્યું છે. નેપાળમાં નવી કાર્યકારી સરકારનું નેતૃત્વ કરવા માટે સંભવિત ઉમેદવારોમાંથી એકના રૂપમાં પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીનું નામ સામે આવતા એક યુવકે કહ્યું કે, ‘આ એક કાર્યકારી સરકાર છે. અમે આ નામ પોતાના દેશમાં લોકશાહીનું રક્ષણ કરવા માટે આપ્યું છે.’

નેપાળની કાર્યકારી સરકારના વડાપ્રધાન તરીકે સુશીલા કાર્કીનું નામ સામે આવી રહ્યું છે. 7 જૂન 1952ના રોજ નેપાળના બિરાટનગરમાં જન્મેલા સુશીલા કાર્કીનો ભારત સાથે ખાસ સંબંધ છે. તેમણે વર્ષ 1975માં બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)માંથી રાજનીતિ શાસ્ત્રમાંથી M.A.ની ડિગ્રી મેળવી હતી.

Sushila-Karki2
zeenews.india.com

BHUના પૂર્વ વિદ્યાર્થીની તરીકેની તેમની ઓળખ નિશ્ચિત ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોને ઘણી ગતિ આપશે. સુશીલા કાર્કી નેપાળના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યા છે અને આ પદ સંભાળનાર પ્રથમ અને એકમાત્ર મહિલા છે. કાર્કી 11 જુલાઈ 2016 ના રોજ મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા.

છેલ્લા 2 દિવસથી નેપાળમાં અનિયંત્રિત પરિસ્થિતિ બાદ વર્ચ્યૂઅલ સર્વસહમતિ બેઠક બાદ સુશીલા કાર્કીને 2500 લોકોનું સમર્થન મળ્યું છે. તેમાં 5000 લોકોએ ભાગ લીધો હતો. સુશીલા કાર્કીના નામનો પ્રસ્તાવ GEN-Zએ રાખ્યો છે.

About The Author

Related Posts

Top News

આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટી રવિવારે મંથન માટે બેઠી હતી. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેએ બિહારના નેતાઓ સાથે...
Politics 
આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

સુરત. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી ઉર્જા, નવી લાગણીઓ અને સંગીતના તાલ સાથે પ્રેમની વાત કરતી ફિલ્મ ‘આવવા દે’ ટૂંક સમયમાં...
Gujarat 
ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

ભારતની જાણીતી ઓટોમોબાઇલ કંપની મારૂતી સુઝુકીએ પોતાની લોકપ્રિય ગ્રેડં વિટારા 39000 કારને પાછી બોલાવી લીધી છે.કંપનીએ કહ્યું છે કે,...
Tech and Auto 
મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા

અનિલ અંબાણીની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ગયા શુક્રવારે રાજસ્થાનના એક કેસમાં EDએ અનિલ અંબાણીને રૂબરૂ હાજર થવા...
Business 
અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.