કોણ છે સુશીલા કાર્કી, જેઓ બની શકે છે નેપાળના વચગાળાના PM, શું છે ભારત સાથે કનેક્શન?

નેપાળમાં ચાલી રહેલા Gen-Zના વિરોધ પ્રદર્શનો વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુશીલા કાર્કી નેપાળના કાર્યકારી વડાપ્રધાન બની શકે છે. આ મુદ્દે Gen-Zના પ્રદર્શંકારીઓએ એક વર્ચ્યુઅલ મીટિંગ બોલાવી હતી, જેમાં 5000થી વધુ યુવાનોએ ભાગ લીધો હતો અને પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને સૌથી વધુ સમર્થન મળ્યું.

Sushila-Karki
indianexpress.com

કેપી શર્મા ઓલીના રાજીનામા બાદ નેપાળમાં ચાલી રહેલી ઉથલ-પાથલ વચ્ચે નવી કાર્યકારી સરકારનું નેતૃત્વ કરવા માટે સંભવિત ઉમેદવારોમાંથી એકના રૂપમાં પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીનું નામ સામે આવ્યું છે. નેપાળમાં નવી કાર્યકારી સરકારનું નેતૃત્વ કરવા માટે સંભવિત ઉમેદવારોમાંથી એકના રૂપમાં પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીનું નામ સામે આવતા એક યુવકે કહ્યું કે, ‘આ એક કાર્યકારી સરકાર છે. અમે આ નામ પોતાના દેશમાં લોકશાહીનું રક્ષણ કરવા માટે આપ્યું છે.’

નેપાળની કાર્યકારી સરકારના વડાપ્રધાન તરીકે સુશીલા કાર્કીનું નામ સામે આવી રહ્યું છે. 7 જૂન 1952ના રોજ નેપાળના બિરાટનગરમાં જન્મેલા સુશીલા કાર્કીનો ભારત સાથે ખાસ સંબંધ છે. તેમણે વર્ષ 1975માં બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)માંથી રાજનીતિ શાસ્ત્રમાંથી M.A.ની ડિગ્રી મેળવી હતી.

Sushila-Karki2
zeenews.india.com

BHUના પૂર્વ વિદ્યાર્થીની તરીકેની તેમની ઓળખ નિશ્ચિત ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોને ઘણી ગતિ આપશે. સુશીલા કાર્કી નેપાળના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યા છે અને આ પદ સંભાળનાર પ્રથમ અને એકમાત્ર મહિલા છે. કાર્કી 11 જુલાઈ 2016 ના રોજ મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા.

છેલ્લા 2 દિવસથી નેપાળમાં અનિયંત્રિત પરિસ્થિતિ બાદ વર્ચ્યૂઅલ સર્વસહમતિ બેઠક બાદ સુશીલા કાર્કીને 2500 લોકોનું સમર્થન મળ્યું છે. તેમાં 5000 લોકોએ ભાગ લીધો હતો. સુશીલા કાર્કીના નામનો પ્રસ્તાવ GEN-Zએ રાખ્યો છે.

About The Author

Related Posts

Top News

ખેડૂતે જમીન, 2 માળનું મકાન... પોતાની બધી મિલકત ભગવાન સાંવલિયા શેઠને દાનમાં આપી દીધી

મંદિરોમાં લોકો શું પ્રસાદ ચઢાવે છે? કેટલાક નારિયેળ, કેટલાક મીઠાઈ, કેટલાક સોનું અને ચાંદી ચઢાવે છે. પરંતુ...
National 
ખેડૂતે જમીન, 2 માળનું મકાન... પોતાની બધી મિલકત ભગવાન સાંવલિયા શેઠને દાનમાં આપી દીધી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પંજાબમાં શિક્ષણમંત્રીને હટાવવાની માંગ કેમ થઈ રહી છે?

પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની અસર હવે પંજાબના રાજકારણ પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. પેપર લીક અને પરીક્ષા...
National 
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પંજાબમાં શિક્ષણમંત્રીને હટાવવાની માંગ કેમ થઈ રહી છે?

'કાર પર કોઈ અખતરો ઇચ્છતા નથી, ફક્ત 100 ટકા શુદ્ધ પેટ્રોલ જોઈએ'; CJP પછી હવે E20 જનતા પાર્ટી મેદાનમાં

E20 પેટ્રોલ. તમે કદાચ નામ સાંભળ્યું હશે. તાજેતરમાં, જંતર-મંતર પર ભૂખ હડતાળ, ઉપવાસ અને Gen-Zના પ્રદર્શન વચ્ચે...
Tech and Auto 
'કાર પર કોઈ અખતરો ઇચ્છતા નથી, ફક્ત 100 ટકા શુદ્ધ પેટ્રોલ જોઈએ'; CJP પછી હવે E20 જનતા પાર્ટી મેદાનમાં

છત્તીસગઢ સરકારે છેલ્લા 2 વર્ષ 3 મહિનામાં જાહેરાત પાછળ 1095 કરોડ ખર્ચી નાખ્યા, રોજના 1.3 કરોડ રૂપિયા

જે છત્તીસગઢમાં સરકારી શાળાઓમાં બાળકોને ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરવા મજબૂર છે અને રસ્તાઓ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. ત્યાંની...
Politics 
છત્તીસગઢ સરકારે છેલ્લા 2 વર્ષ 3 મહિનામાં જાહેરાત પાછળ 1095 કરોડ ખર્ચી નાખ્યા, રોજના 1.3 કરોડ રૂપિયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.