મંગોલિયાના લોકો ઘોડીનું દૂધ કેમ પીવે છે? ગાયનું દૂધ નથી કરતા પસંદ, જાણો કારણ

દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. તેને પીવા કે તેનાથી બનેલી વસ્તુ ખાવાથી શરીરને બધા જરૂરી તત્વ મળી જાય છે. ભારતમાં મોટા ભાગના લોકો ગાય કે ભેંસનું દૂધ માગે છે. તો કેટલાક વિસ્તારોમાં બકરી અને ઊંટના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય ઘોડીનું દૂધ પીધું છે? કદાચ ક્યારેય નહીં, પરંતુ એક દેશ એવો પણ છે જ્યાં ગાયના દૂધને જરાય પસંદ કરવામાં આવતું નથી. અહીંના લોકો ઘોડીનું દૂધ ખૂબ સારી રીતે પી છે. અમે આ આર્ટિકલમાં વાત કરી રહ્યા છે રેસોના ઘોડા માટે દુનિયાભરમાં જાણીતા દેશ મંગોલિયાની.

અહીં ઘોડીને સવારી સાથે-સાથે દૂધ માટે પણ પાળવામાં આવે છે. મંગોલિયા જ નહીં, મધ્ય એશિયામાં ઘણી જગ્યાઓ પર ઘોડીનું દૂધ પીવામાં આવે છે. અહીંયા લોકોનું માનવું છે કે ઘોડીનું દૂધ પીવાથી શરીર તાત્કાલિક સમયમાં ઊર્જાવાન રહે છે. જ્યાં આખી દુનિયાના લોકો એક જ જગ્યાએ રહેવાનું પસંદ કરે છે. તો મંગોલિયન લોકોને ખાન-પાનવાળું જીવન પસંદ છે. અહીંના લોકો પાક કે ગોચર માટે જમીનનો ઉપયોગ કરવાની જગ્યાએ પશુઓને લઇને પ્રાકૃતિક ઘાસના મેદાનો તરફ જતા રહે છે.

આ જમીનો ખેતી માટે ઉપયોગી નથી. જાપાનના ટોક્યોમાં મીજી યુનિવર્સિટીના જળવાયુ વૈજ્ઞાનિક મોરીનાગા મુજબ, મંગોલિયાના મોટા ભાગના લોકો જમીનોના મલિક નથી. આ કારણે તેમને પર્યાવરણને લઇને જોરદાર સમજ ઉત્પન્ન થઇ ગઇ છે. તેઓ કહે છે કે, જીવન જીવવાના પારંપરિક અને વૈકલ્પિક રીતોના ડોક્યૂમેન્ટેશનથી સારા અને ટકાવ ભવિષ્યના પુરાવા મળે છે કે ઓછા ઈંધણ સાથે માઇનસ 40 ડિગ્રી સેલ્સિયસથી નીચેના વાતાવરણમાં પણ રહી શકે છે.

આખી દુનિયામાં 70 ટકાથી વધારે ડેરી ઉત્પાદન ગાયના દૂધથી બનાવવામાં આવે છે. જો કે, ગાય પાચન પ્રક્રિયાઓ દ્વારા ખૂબ ગ્રીનહાઉસ ઉત્સર્જન કરે છે. તો મધ્ય મંગોલિયા મોટી માત્રામાં ઘોડીના દૂધનું ઉપયોગ કરે છે. મોરીનાગા કહે છે કે, મંગોલિયન ઘોડાઓનું પર્યાવરણીય પ્રભાવ અને તેમને પાળવાની સ્વદેશી રીત ગાયોની તુલનામાં ખૂબ ઓછી છે. મોરીનાગાએ મંગોલિયાના પારંપરિક પે ‘એરરગ’ના ઉત્પાદન પર પોતાનું સંશોધનકાર્ય કર્યું. મંગોલિયાના લોકો ઘોડીના દૂધથી બનેલું સામાન્ય સુરૂર ઉત્પન્ન કરનારા ફર્મેટેડ ડ્રિંક ‘એરરગ’ ગરમીઓમાં ખૂબ પીવામાં આવે છે.

આ ઉત્પાદન સૌથી વધુ એ દિવસોમાં પીવામાં આવે છે જ્યારે ઘોડી સ્તનપાન કરે છે. તે બતાવે છે કે પરંપરાગત રૂપે મંગોલિયન ભરવાડ ગરમીઓમાં વધારેમાં વધારે ડેરી પ્રોડક્ટ અને શિયાળામાં માંસથી બનેલા ઉત્પાદનોનું સેવન કરે છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના આહારમાં પણ બદલાવ આવી રહ્. છે. તેને ઘોડીના દૂધ પર શોધ કરવાથી ખબર પડી કે તેમાં પ્રોટીન એલ્બૂમીનની માત્ર વધારે હોય છે.

તે બ્લડ સુગરને નિયંત્રિત રાખવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. એટલું જ નહીં, ઘોડીના દૂધમાં રોગાણુઓ સામે લડવાની ક્ષમતા પણ ખૂબ હોય છે. હાલમાં મોરીનાગાની ટીમ એરરગના પ્રોબાયોટિક ગુણોની તપાસ કરી રહી છે. તેઓ કહે છે કે હું એ જોઇને ખૂબ પ્રભાવિત થઇ કે ઘોડી અને વાછરડાના 25 જોડામાંથી 5 ટન એરરગ બનાવી લે છે. આ પ્રક્રિયામાં તેઓ એવા ઉપકરણોનો ઉપયોગ કરે છે, જેનો પર્યાવરણ પર ખૂબ ઓછો પ્રભાવ પડે છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.