મોદીને અમેરિકા કેમ બોલાવી રહ્યા હતા ટ્રમ્પ? અમેરિકાની ‘નોબેલ’વાળી ચાલનો ખુલાસો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G7 સમિટ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી. ટ્રમ્પ ઇઝરાયલ-ઈરાન સંઘર્ષને કારણે પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે, G7 શિખર સંમેલન માટે કેનેડાના કનેનિસ્કિસની પોતાની યાત્રા વચ્ચે જ છોડીને મંગળવારે અમેરિકા જતા રહ્યા હતા. આ દરમિયાન, તેમણે વડાપ્રધાન મોદી સાથે ફોન પર વાત કરવાનો નિર્ણય લીધો. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને પૂછ્યું કે શું તેઓ કેનેડાથી પરત ફરતી વખતે અમેરિકામાં રોકાઈ શકે છે? પરંતુ વડાપ્રધાને પૂર્વનિર્ધારિત વ્યસ્તતાઓને કારણે એમ કરવામાં અસમર્થતા વ્યક્ત કરી.

trump1
indiatoday.in

 

વ્હાઇટ હાઉસના પ્રવક્તા અન્ના કેલીએ કહ્યું કે ટ્રમ્પ મુનીરની મેજબાની કરશે, કારણ કે તેમણે (મુનીરે) ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ રોકવા માટે રાષ્ટ્રપતિને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવાનું આહ્વાન કર્યું છે. ટ્રમ્પે વડાપ્રધાન મોદીને વ્હાઇટ હાઉસ આવવાનું આમંત્રણ ત્યારે આપ્યું, જ્યારે પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકામાં જ છે. ડોનાલ્ડ ટ્રમ્પ અસીમ મુનીર સાથે લંચ પણ કરશે. મુનીરને આપેલા આ આમંત્રણને વોશિંગ્ટન દ્વારા કોઈ સેવારત પાકિસ્તાની સેનાના પ્રમુખને આપવામાં આવેલા એક દુર્લભ સંકેત માનવમાં આવી રહ્યા છે. અયુબ ખાન, ઝિયા ઉલ-હક અને પરવેઝ મુશર્રફ જેવા પાકિસ્તાની સેનાના પ્રમુખોને આવા નિમંત્રણ  મળ્યાના ઘણા ઉદાહરણ છે, પરંતુ તેઓ રાષ્ટ્રપતિ પદ પર પણ હતા. પાકિસ્તાન જનરલ મુનીરને વ્હાઇટ હાઉસનું આમંત્રણ આપવાને એક મોટી કૂટનીતિક જીત તરીકે રજૂ કરી રહ્યું છે.

ઇન્ડો પેસિફિક એનાલિસ્ટ ડેરેક જે. ગ્રોસમેને ટ્રમ્પના આ આમંત્રણને અમેરિકા દ્વારા કરવામાં આવેલી ચાલ ગણાવી છે. તેમણે X પર લખ્યું છે કે, ‘આ ખૂબ જ અજીબ છે કે ટ્રમ્પે આજે મોદીને ગુપ્ત રીતે વ્હાઇટ હાઉસમાં આમંત્રિત કરવાનો પ્રયાસ કર્યો કે, સંભવતઃ એવા સમયે જ્યારે અસીમ મુનીર પણ લંચ માટે ઉપસ્થિત હશે. તેઓ ભારત-પાકિસ્તાન તણાવના સંદર્ભ અને ઇતિહાસને બિલકુલ સમજતા નથી, અને બાદમાં નોબેલ શાંતિ પુરસ્કાર જીતવા માટે બસ ફોટો ખેચાવવા માગે છે.

">

જાણીતા કૂટનીતિ વિશેષજ્ઞ બ્રહ્મા ચેલાનીએ કહ્યું કે, ‘શાંતિદૂતના રૂપમાં રજૂ થનારા આગ લગાવવાના શોખીન ટ્રમ્પે ભારતીય ઉપમહાદ્વીપમાં મધ્યસ્થના રૂપમાં પોતાની સ્વ-નિયુક્ત ભૂમિકા છોડી નથી. પાકિસ્તાનના સેના પ્રમુખ સાથે પોતાના નિયોજીત લંચનો ખુલાસો કર્યા વિના, તેમણે ચૂપચાપ મોદીને વ્હાઇટ હાઉસમાં આમંત્રણ આપ્યું. સતત થનારી બેઠકોએ કૂટનીતિક જાળ બિછાવી દીધી હશે- જેને મોદીએ કેનેડાના આલ્બર્ટામાં G7 શિખર સંમેલાથી ક્રોએશિયાની રાજકીય યાત્રા સુધીની યાત્રાની પૂર્વ પ્રતિબદ્ધતાઓનો સંદર્ભ આપીને ટાળી દીધી.

About The Author

Related Posts

Top News

‘ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે નહીં તો દિલ્હી કૂચ કરીશું’, સંતોની ધર્મસભામાં નિર્ણય, સરકારને 3 મહિનાનું અલ્ટિમેટમ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં દેશના અનેક મોટા સંતો, મહાત્માઓ, વિવિધ અખાડાઓના...
National 
‘ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે નહીં તો દિલ્હી કૂચ કરીશું’, સંતોની ધર્મસભામાં નિર્ણય, સરકારને 3 મહિનાનું અલ્ટિમેટમ

મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

રાજસ્થાન સરકારના કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી ડૉ. કિરોડી લાલ મીણાએ ભરતપુર અને દૌસા જિલ્લાની સીમા પર આવેલા કમાલપુરા ગામ...
National  Politics 
મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-01-2026 વાર- બુધવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો

દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન (UNMISS)માં તૈનાત ભારતીય સૈન્ય અધિકારી મેજર સ્વાતિ શાંતિ કુમારને 2025નો UN સેક્રેટરી...
World 
મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.