રાજકોટના ભરવાડ સમાજની પહેલ, લગ્નમાં 10 તોલાથી વધુ સોનાના દાગીના....

રાજકોટમાં ભરવાડ સમાજ દ્વારા કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈ જૂના નિયમો કે જે આજના યુગમાં સમાજના જ કેટલાક લોકોને પોસાઈ તેમ ન હોવાથી તેમને દૂર કરી નવી અને અનોખી પહેલ શરૂ કરવામાં આવી રહી છે.

મીડિયા અહેવાલ મુજબ, સમાજે જૂના રિવાજો કે જેના કારણે વધુ અને ખોટો ખર્ચ થતો હોય તેને તિલાંજલિ આપવામાં આવી રહી છે. ભરવાડ સમાજના આગેવાનોએ સમાજના મધ્યમ અને જરૂરિયાતમંદ લોકો માટે કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધા છે. ભરવાડ સમાજમાં છેલ્લા ઘણા વર્ષોથી પહેરામણીનો રિવાજ ચાલી રહ્યો છે. લગ્ન પ્રસંગ હોય ત્યારે રિવાજ મુજબ મોટા પ્રમાણમાં રોકડની પહેરામણી કરવામાં આવતી હોય છે તેમ જ સોના-ચાંદીના દાગીના પણ આપવામાં આવતા હોય છે. જો કે બદલાતા સમય સાથે હવે પરિસ્થિતિ પણ બદલાઈ છે. આજના આધુનિક યુગ અને મોંઘવારીના સમયમાં જૂની પરંપરા ખૂબ જ મુશ્કેલી સર્જી રહી છે.

મીડિયા અહેવાલ મુજબ, ભરવાડ સમાજ દ્વારા હવે આગામી સમયમાં લગ્ન પ્રસંગ દરમિયાન સામૂહિક પહેરામણી બંધ કરવામાં અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. ભરવાડ સમાજસેવા સમિતિની અનોખી પહેલ હેઠળ રોકડની લેતી દેતી પણ બંધ કરવામાં આવી શકે છે. સમાજ દ્વારા લગ્ન પ્રસંગમાં 10 તોલાથી વધુ સોનાના દાગીના નહીં ચડાવવા પણ વિચારણા કરવામાં આવી રહી છે. માહિતી મુજબ, આ માટે રાજકોટ શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં સમાજની બેઠકોનો દોર શરૂ થયો છે. આગામી દિવસોમાં આ મામલે નિર્ણય લેવાઈ શકે છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.