મોરબી પૂલ દુર્ઘટનાઃ ભાજપના નેતા આવ્યા જયસુખના સમર્થનમાં, ભામાશા કહ્યો

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં માંડ-માંડ જયસુખ પટેલ તંત્રના હાથમાં આવ્યો છે, ત્યાં તો તેના સમર્થકો પણ ઉભા થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર તેના સમર્થનમાં લોકો પોસ્ટ કરી રહ્યા છે કે, જયસુખ પટેલે સારા કામ કર્યા છે અને અમે તેમના સમર્થનમાં છીએ. આ સિવાય હવે ભાજપના નેતાએ પણ જયસુખ પટેલનું સમર્થન કર્યું છે. રાજકોટમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય બાવનજી મેતલિયાએ મોરબી ઘટનાના મુખ્ય આરોપીને ભામાશા તરીકે સંબોધ્યા હતા અને મીડિયાને જણાવતા બાવનજીએ કહ્યું હતું કે, હું જયસુખ પટેલના સમર્થનમાં છું.

ભાજપના નેતાએ કહ્યું હતું કે, સોશિયલ મીડિયામાં જયસુખ પટેલને ખોટા ચીતરાયા છે. તેમના સમર્થનમાં ન માત્ર ઉમિયાધામ સીદસર છે, પરંતુ અનેક NGO પણ તેમના સપોર્ટમાં છે. જયસુખ પટેલ અને તેમના પિતા ઓધવજીભાઈ પટેલની ગણના ગુજરાતના ભામાશાઓમાં થાય છે. કાયદો કાયદાનું કામ કરશે પણ જયસુખ પટેલને ખોટા ચીતરાઈ રહ્યા છે.  કમાણી કરવા તેમણે ઝૂલતા પુલનું સંચાલન નહોતું સંભાળ્યું.

જયસુખને સપોર્ટ કરતા પોસ્ટર વાયરલ

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના બાદથી ભાગતા ફરતા આરોપી જયસુખ પટેલે મંગળવારે કોર્ટમાં સરેન્ડર કરી દીધું હતું. ત્યારબાદ પોલીસે કોર્ટમાં રિમાન્ડ માટે તેને રજૂ કરતા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. મોરબીમાં ઝુલતા પુલના રિપેરિંગમાં બેદરકારી રાખીને ખુલ્લો મૂકી દેવાતા ગયા વર્ષે 135 લોકોના મોત થઇ ગયા હતા. પોલીસની ચાર્જશીટમાં પણ 10માં આરોપી તરીકે ઓરેવા કંપનીના માલિક અને પુલનો કોન્ટ્રાક્ટ લેનારા જયસુખ પટેલના સપોર્ટમાં સોશિયલ મીડિયામાં અભિયાન ચાલી રહ્યું છે.

સોશિયલ મીડિયામાં હાલ કેટલાક પોસ્ટરો વાયરલ થઇ રહ્યા છે. જેમાં લખ્યું છે કે, ‘ઓ.આર. પટેલ જેમને મોરબીના ભમાષા તરીકે ઓળખવામાં આવે છે, તેમના પરિવારની વિચારધારા હંમેશાં સેવાની રહી છે. તેમના દીકરા જયસુખ પટેલનો સામાજિક પ્રવૃત્તિમાં સિંહફાળો રહ્યો છે. આવા ઉચ્ચતમ વિચારોવાળા 10-15 રૂપિયાની ટિકિટમાં કોઇ દિવસ ખોટું ના કરે. બાકી તો અકસ્માત તો હજારો થાય જ છે. તેનું દુઃખ સમાજના દરેક લોકોને છે. આવો સાથે મળીને જયસુખભાઇને સપોર્ટ કરીએ. આવા લખાણ સાથે જે તે વ્યક્તિનો ફોટો અને તેની નીચે હું મોરબીના સમાજ સેવક સાથે છું તેવું લખાણ છે.’

આ સાથે એક https://eventselfie.in/home/Jaysukh_patel નામની લિંક પણ વાયરલ થઇ રહી છે. જેના પર જઇને લોકો પોતાના ફોટો સાથે જયસુખ પટેલના સપોર્ટમાં આવા પોસ્ટરો બનાવી રહ્યા છે. એક બાજુ પોલીસે ચાર્જશીટમાં જયસુખ પટેલ પર ગંભીર આરોપો લગાવ્યા છે ત્યારે કેટલાક લોકો ખુલીને તેમના સમર્થનમાં આવીને બચાવ કરી રહ્યા છે. પોલીસ દ્વારા જયસુખ પટેલના રિમાન્ડની માગ કરી હતી અને સરકારી વકીલ સંજય વોરાએ ધારદાર દલીલ કરી હતી કે, જાન્યુઆરી 2020માં ઓરેવા કંપનીએ કલેક્ટરને એક લેટર લખીને કહ્યું હતું કે, આ પુલની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે અને અકસ્માતે તૂટી શકે તેમ છે.

ત્યારબાદ કોઇ પત્ર વ્યવહાર થયો અને કોન્ટ્રાક્ટ રિન્યૂ થયો ન હોવા છતા ઓરેવા ગ્રુપે મેન્ટેનન્સનું કામ ચાલુ રાખ્યું હતું. ઓરેવા કંપનીને ખબર જ હતી કે તે અકસ્માતમાં ગમે ત્યારે તૂટી જાય તેમ છે. છતા પણ જે મુખ્ય કેબલ બદલવાની જરૂર હતી એ કેબલ તાર બદલ્યા વિના નાના-નાના કોસ્મેટિક બદલાવ કરીને મેન્ટેનન્સનું કામ પુરૂ કરી દીધું હતું. તેનો અર્થ એવો થાય છે કે ભૂકંપમાં મકાન આખું હાલી ગયું હોય. તેની દીવાલો, સિલિંગ અને ફ્લોર સરખી કરવાની હતી ત્યારે તેમણે લાદી સરખી કરી એના જેવી વાત હતી.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.