જૂનાગઢમાં જાપાનની મિંયાવાકી પદ્ધતિથી જંગલ ઉછેર, 3 વર્ષમાં જંગલ થઈ જાય છે તૈયાર

સરકારે જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં જાપાની પદ્ધતિથી જંગલ ઉછેર કરવામાં આવી રહ્યો છે. જેમાં મનરેગા યોજના હેઠળ માંગરોળના કરમદી ચિંગરીયા, ભેસાણના ખારચિયા અને વંથલીના સેદરડા ગામમાં ફળાવ, છાયાદાર સહિતના વૃક્ષોનું મિંયાવાકી પદ્ધતિથી ઉછેર કરવામાં આવ્યો છે.

મિયાવાકી એક જંગલ ઉછેર કરવાની પદ્ધતિ છે, જે જાપાની વનસ્પતિ શાસ્ત્રી અકીરા મિયાવાકી દ્વારા પ્રેરિત છે. જે ગાઢ સ્થાનિક જંગલો બનાવવામાં મદદ કરે છે, આ પદ્ધતિથી કરવામાં આવેલ વનીકરણમાં છોડની વૃદ્ધિ 10 ગણી ઝડપી છે. પરિણામે વાવેતર સામાન્ય કરતાં 30 ગણું ઓછું છે. જે વિસ્તારમાં ડઝન જેટલી મૂળ પ્રજાતિઓનું વાવેતર કરે છે અને તે પ્રથમ ત્રણ વર્ષ પછી જાળવણી મુક્ત બને છે. આ પદ્ધતિ પ્રાકૃતિક, જાળવણી મુક્ત સ્થાનિક વનો બનાવવા માટેનું માર્ગદર્શન પૂરું પાડે છે. આ પદ્ધતિથી બનાવેલ વનમાં બે થી ત્રણ વર્ષ સુધી જંગલને નિયમિત પાણી આપવાની જરૂરિયાત રહેશે આ પદ્ધતિમાં ભરપૂર માત્રામાં સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરવામાં આવેલ હોવાથી ત્રણ વર્ષમાં જંગલ તૈયાર થઈ જાય છે.

આ પદ્ધતિ દ્વારા જૂનાગઢ જિલ્લાનાં તાલુકામાં વનીકરણના કામો હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખની પ્રેરણાથી મનરેગા યોજના હેઠળ માંગરોળના કરમદી ચિંગરીયા ગામમાં 30*35 ચોરસ મીટરમાં 2000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, તેવી જ રીતે વંથલીના સેંદરડામાં 2025 ચોરસ મીટરમાં 500 અને ભેસાણના ખારચિયામાં 2450 ચોરસ મીટરમાં 200 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વૃક્ષોના વાવેતરમાં સીતાફળ, જામફળ, આંબા, નાળિયેરી, આસોપાલવ, સવન, કરેણ, લીમડો, જમરૂખ સપ્તપદી બોરસલી વગેરે જેવા ફળાવ અને છાયાદાર વૃક્ષનો સમાવેશ થાય છે.

આમ, પદ્ધતિના ઉપયોગથી ગાઢ, બહુસ્તરીય જંગલોનું સહેલાઈથી નિર્માણ થઈ શકશે અને પર્યાવરણને બચાવી શકાશે. સાથે જ આ પ્રકારનું કામ હાથ ધરવાથી પડતર જમીનનો સદુપયોગ પણ થઈ શકશે.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.