બિપરજોય વાવાઝોડાથી થયેલા નુકસાન માટે ગુજરાત સરકાર આપશે આટલા રૂપિયા, પેકેજ જાહેર

ગુજરાત સરકારે રાજ્યના કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં વાવાઝોડાને કારણે થયેલા નુકશાનને કારણે રાહત પેકેજનું એલાન કર્યું છે.સર્વે કર્યા પછી સરકારે બંને જિલ્લા માટે 240 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે. ખેડુતોને પાકના થયેલા નુકશાન માટે આ રકમ ફાળવવામાં આવશે.

ગુજરાતમાં વાવાઝોડા ‘બિપરજોય’થી થયેલા નુકસાનનો સર્વે કર્યા પછી, રાજ્ય સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કૃષિ પ્રધાન રાઘવજી પટેલે રાહત પેકેજની જાહેરાત કરી હતી. પટેલે જણાવ્યું હતું કે ગયા મહિને  વાવાઝોડાથી પ્રભાવિત કચ્છ અને બનાસકાંઠાના ખેડૂતોને રૂ. 240 કરોડનું રાહત પેકેજ આપવામાં આવશે.

પેકેજની વિગતો આપતા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે વાવાઝોડાને કારણે એકલા કચ્છ અને બનાસકાંઠામાં 1.30 લાખ હેક્ટરમાં ઉભા પાકો તેમજ ફળોના ઝાડને નુકસાન થયું છે.

રાઘવજી પટેલે જણાવ્યું હતું કે જે ખેડૂતોના બાગાયતને 10 થી 33 ટકા નુકસાન થયું છે તેમને પ્રતિ હેક્ટર 25 હજાર રૂપિયાના દરે વળતર આપવામાં આવશે. પ્રતિ હેક્ટર 1.25 લાખ રૂપિયા અને 33 ટકાથી વધુ નુકસાનના કિસ્સામાં વધુમાં વધુ બે હેક્ટર માટે વળતર આપવામાં આવશે. ગયા મહિને કચ્છમાં વાવાઝોડાના લેન્ડફોલ પછી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુજરાતના મુખ્ય પ્રધાન સાથે કચ્છનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. આ પછી તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર પેકેજની જાહેરાત કરશે.

ગુજરાત સરકારના રાહત પેકેજની જાહેરાત પહેલા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગૃહ મંત્રી અમિત શાહની દિલ્હીમાં મુલાકાત કરી હતી અને પેકેજ વિશે જાણકારી આપી હતી.

કચ્છ અને સૌરાષ્ટ્રની સાથે વાવાઝોડાથી પ્રભાવિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં થયેલા નુકશાનના અંદાજ માટે 311 ટીમ સર્વે કરવા માટે કામે લાગી હતી. હવે રાજ્ય સરકારે કચ્છ અને બનાસકાંઠાના ખેડુતોને મદદ કરવા માટે 240 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરી દીધું છે.

રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રીએ કહ્યું કે બાગાયતી પાકોમાં 10 ટકાથી વધુ અને 33 ટકા સુધીના વૃક્ષો પડવાના અને તૂટી જવાના કેસમાં રાજ્યના ભંડોળમાંથી પ્રતિ હેક્ટર રૂ. 25,000ની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય 33 ટકા કે તેથી વધુ વૃક્ષો પડવાના કે તૂટી જવાના કેસમાં SDRFના નિયમો અનુસાર પ્રતિ હેક્ટર રૂ. 22 હજાર 500ની સહાય ઉપરાંત ખાસ્સા કિસ્સામાં પ્રતિ હેક્ટર  1,02, 500 સહિત કુલ 1, 25,000 હેકટરના હિસાબે પ્રતિ ખાતાધારકને બે હેકટરમાં સહાયતા આપવાની જાહેરાત કરવામાં આવી છે. SDRF સિવાય, સહાયની રકમમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વધારો થયો છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.