રાજકોટમાં સિટી બસચાલકે મહિલાને અડફેટે લીધી,ગુસ્સે ભરાયેલા લોકોએ બસમાં તોડફોડ કરી

ગુજરાતના રાજકોટમા સ્કુટી પર જઇ રહેલી એક મહિલાને સિટી બસે અડફેટે લેતા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા અને ગુસ્સામાં આવીને ટોળાએ બસમાં ભારે તોડફોડ કરી નાંખી હતી. બસના આગળના કાચના ભૂક્કા બોલીવી દીધા હતા અને બારીઓના કાચ પણ તોડી નાંખ્યા હતા. ઉશ્કેરાયેલા લોકો બસ ડ્રાઇવર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સદનસીબી સ્કુટી પર જઇ રહેલી મહિલાનો જીવ બચી ગયો છે અને કોઇ મોટી ગંભીર ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું નથી.

રાજકોટના સ્થાનિક લોકોએ કહ્યું હતું કે સિટી બસનો ડ્રાઇવર પુરપાટ ઝડપે બસ હંકારી રહ્યો હતો. આવા બેદરકારીભર્યા ડ્રાઇવિંગને કારણે નિદોર્ષ લોકો મોતને ભેટતા હોય છે એટલે આવા ચાલકો સામે કાર્યવાહી થવી જોઇએ એવી લોકોએ માંગ કરી હતી.

ગુજરાતમાં સિટી બસ કે બીઆરટીસ બસના અકસ્માત ગંભીર રીતે વધી રહ્યા છે. માત્ર રાજકોટ નહી, પરંતુ સુરતમાંથી પણ અનેક વખત એવા સમાચાર સામે આવે છે કે બસની અડફેટે જીવ ગુમાવ્યો. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે બસ ચાલકો બેફામ રીતે બસને હંકારે છે.

હજુ થોડા દિવસ પહેલાં જ વાત છે, સુરતના પાંડેસરા વિસ્તારમાં 11માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીને સુરત મહાનગર પાલિકાના એક ડંપરે અડફટે લીધી હતી. વિદ્યાર્થીનીનું નામ ક્રિષ્ણા બટાકાવાળા હતું. ડંપરની અડફટે આવેલી વિદ્યાર્થીની ક્રિષ્ણાને ગંભીર ઇજા થઇ હતી અને તેણીએ ચીસાચીસ કરી મુકતા લોકોના ટોળા ભેગા થઇ ગયા અને ડંપરનો ડ્રાઇવર ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં પારલે પોઇન્ટ વિસ્તારમાં સ્કુટી પર જઇ રહેલી માતા- દીકરીને સિટી બસે અડફેટી લીધા હતા, જેમાં માતાનું મોત થયું હતું. તો સુરતના ચોકબજારમાં પગપાળા જઇ રહેલા જૈન સાધ્વીને પણ સિટી બસે ટક્કર મારતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ગયા મહિને પણ સુરતમાં જ રિંગરોડ પર એક યુવકને સિટી બસે અડફેટે લેતા તેનું મોત થયું હતું.

સરકારે આ બાબતને ગંભીરતાથી લેવી જોઇએ કારણકે સિટી બસના અકસ્માતના કિસ્સાઓ ખાસ્સા વધી રહ્યા છે. શહેરી વિસ્તારોમાં ભારે ટ્રાફીકને કારણે રસ્તા સાંકડા હોવા છતા બસ ચાલકો સ્પીડમાં બસ ચલાવે છે.

બીઆરટીએસ બસના અકસ્માતના પણ કેસો વધી રહ્યા છે. એમાં પણ લોકો બીઆરટીએસમાં ઘૂસી જાય છે તે બંધ કરાવવા જોઇએ.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.