રાજકોટમાં પત્ની અને સાસરિયાના ત્રાસથી કંટાળી પતિએ કર્યો આપઘાતનો પ્રયાસ

રાજકોટમાં રહેતા અને ભુણાવાના પાટીયા પાસે કુરિયરની ઓફીસ ધરાવતા પ્રોઢે પત્ની સહિતના સાસરીઓના ત્રાસથી કંટાળી પોતાની કુરિયરની ઓફિસે જ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પ્રૌઢ પાસેથી મળી આવેલી સુસાઇડ નોટના આધારે પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં પરિન ફર્નિચર પાછળ આવેલી આવકાર રેસીડેન્સીમાં રહેતા અને ભુણાવા ગામના પાટીયા પાસે ટેકનો કુરિયર નામની ઓફિસ ધરાવતા કાળાભાઈ રામજીભાઈ મોકરીયા નામના 47 વર્ષના પ્રૌઢ પોતાની ઓફિસે હતા ત્યારે ઝેરી દવા પી લીધી હતી.

પ્રૌઢને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઝેર પી આપઘાતનો પ્રયાસ કરનાર કાળાભાઈ મોકરીયા પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી છે જેમાં કાળાભાઈ તેમની પત્ની જમનાબેન, સાળા ગોરધન અને હરજી તેમજ હરજીની પત્ની સંગીતા સહિતનાના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.પોલીસે સ્યુસાઈડ નોટના આધારે તપાસનો દોર લંબાવ્યો છે.

આધેડ કાળાભાઈ મોકરિયાએ સુસાઈડ નોટમાં જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા તેમની પુત્રી ભૂમિકાએ પણ આપઘાત કર્યો હતો. જેમાં પણ કાળાભાઈના પત્ની અને તેના સાળા પર આક્ષેપ કર્યા હતા. ત્યાર બાદ પણ તેમનો ત્રાસ યથાવત રહ્યો હતો અને પોલીસ કેસમાં પણ ફસાવી દેતા અશહ્ય ત્રાસના કારણે ઝેરી દવા પી લીધી હતી.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.