ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખની RSS વિરુદ્ધ ટીપ્પણી કરવાનું ભારે પડ્યુ, ધરપકડ

રાજકોટ જિલ્લાના ઉપલેટાના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખને રાજકારણ કરવાનું ભારે પડી ગયું છે. વેપારીઓના મહત્ત્વના પદ પર બેઠા હોવા છતા પ્રમુખે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ(RSS) માટે વિવાદિત ટિપ્પણી કરી હતી જેને કારણે ભારે હોબાળો મચી જતા આખરે પ્રમુખે લેખિતમાં જાહેરમાં માફી માંગવી પડી હતી.

ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ વિનુભાઇ કેપ્ટન ઘેરવડાએ ફેસબુક અને વ્હોટસેપ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ સામે વિવાદિત વાત કરી હતી. ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે શેર કરેલી પોસ્ટમાં લખ્યુ હતું કે "જો નીડર થે વો જંગ મેં ગયે, જો કાયર થે વો સંઘમે ગયે" આ પોસ્ટ વાયરલ થઇ જતા રાજકોટના રાજકારણમાં હડકંપ મચી ગયો અને હિંદુ સંગઠનો લાલઘુમ થઇ ગયા હતા.

વિનુભાઇ ઘેરવડા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખની સાથે સાથે સામ્યવાદી પક્ષના ઉપલેટાના મહામંત્રી પણ છે. તેમની આ પોસ્ટને કારણે એટલો ભારે હોબાળો મચી ગયો કે તેમણે લેખિતમાં માફી માંગવી પડી હતી. પરંતુ, આમ છતા હિંદુ સંગઠનનો ગુસ્સો શાંત નહોતો થયો અને સંગઠનના કાર્યકરોએ પોલીસમાં ફરિયાદ કરી હતી. ફરિયાદને આધારે પોલીસે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિનુભાઇ ઘેરવડીયાની ધરપકડ કરી છે.

વિનુભાઇ ઘેરવડીયાએ ફેસબુક પોસ્ટ પર એક કાગળ પર હાથથી લખેલો માફી પત્ર પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે હું વિનુભાઇ ઘેરવડીયા, RSSની પોસ્ટ મુકવા બદલ માફી માંગુ છુ અને ભવિષ્યમાં ક્યારેય આવી પોસ્ટ મુકીશ નહીં.આ માફી પત્રમાં તેમણે નીચે પોતાનું નામ લખ્યું છે.

RSSને બદનામ કરતી પોસ્ટ વાયરલ થવાને કારણે હિંદુ સંગઠનો RSS, વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, હિંદુ જાગરણ મંચ, ભારત વિકાસ પરિષદ સહિતની સંસ્થાના હિંદુ આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હિંદુ સંગઠનોએ વિનુભાઇ ઘેરવડાને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પદેથી દુર કરવાની માગ કરી હતી.

જાણવા મળેલી વિગત મુજબ હિંદુ સંગઠનોની એક બેઠક સર્કિટ હાઉસમાં મળી હતી અને તેમાં વિનુભાઇ ઘેરવડાએ રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.વિનુભાઇ ઘેરવડાએ અગાઉ પણ એક વીડિયો દ્રારા RSS વિરુદ્ધ ટિપ્પણી કરી હતી.

ચેમ્બર ઓફ કોર્મસ એ મહાજનોની સંસ્થા હોય છે અને જે તે શહેરના ઉદ્યોગોના પ્રશ્નોના નિરાકરણ માટે સંસ્થા કામ કરતી હોય છે.

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.