ખોડલધામના યુવાન ટ્રસ્ટી અને જાણીતા ઉદ્યોગપતિ પૂજા કરતા હતા, હાર્ટ એટેકથી મોત

રાજકોટના ખોડલધામના યુવાન ટ્રસ્ટી, જાણીતા ઉદ્યોગપતિ અને પાટીદાર સમાજના મોભીનું હાર્ટ એટેકને કારણે મોત થયા સમાજમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. આ યુવાન પતિ તેમના ઘરમાં પૂજા કરતા હતા ત્યારે ઢળી પડ્યા હતા.ગુજરાતાં છેલ્લાં કેટલાંક સમયથી હાર્ટે એટેકની ઘટનામાં ચિંતાજનક હદે વધારો થયો છે અને ખાસ કરીને યુવાન લોકો ભોગ બની રહ્યા છે, છેલ્લાં કેટલાંક મહિનાઓમાં ક્રિક્રેટ રમતા, પ્રેકટીસ કરતા કે લગ્નમાં નાચતા નાચતો યુવાનો મોતને ભેટી રહ્યા છે.

જાણવા મળેલી વિગત મુજબ રાજકોટમાં ખોડલધામના 46 વર્ષના યુવાન ટ્રસ્ટી કલ્પેશ તંતીનું   હદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે. કલ્પેશ તંતી રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ પણ હતા અને પાટીદાર સમાજમાં મોભાનું સ્થાન ધરાવતા હતા. કલ્પેશ તંતી તેમના રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા રાજ રેસિડન્સીમાં રહેતા હતા અને નિયમ મુજબ તેઓ તેમના રૂમમાં પૂજા કરવા ગયા હતા. ઘણો સમય થવા છતા જ્યારે કલ્પેશ રૂમમાંથી નીચે ન આવ્યા તો પરિવારના લોકોએ તપાસ કરી તો તેઓ બેભાન હાલતમાં રૂમમાં પડેલા હતા. કલ્પેશને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મોત થયું હતું, તબીબોએ હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાનું કહ્યું છે.

પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે. જાણવા મળેલી વિગત મુજબ કલ્પેશ તંતી 18 વર્ષના પુત્ર અને 15 વર્ષની પુત્રીને વિલાપ કરતા છોડી ગયા છે. કલ્પેશ તંતીની સનનાયકા નામથી પોલીમર્સની ફેકટરી છે અને તેઓ રીઅલ એસ્સેટ બિઝનેસ સથે પણ સંકળાયેલા હતા.

જાણવા મળેલી વિગત મુજબ કલ્પેશ તંતીનું   મંગળવારે રાત્રે મોત થયું હતું અને તેમના મોતના સમચાર મળતા રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળા, ભાજપના ઉપાધ્યક્ષ ડો, ભરત બોઘરા સહિતના આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. બુધવારે બપોરે જ્યારે કલ્પેશની અંતિમ યાત્રા નિકળી ત્યારે મોટી સંખ્યામાં સમાજના લોકો અને મિત્ર-સ્નહીઓ જોડાયા હતા.

માત્ર 46 વર્ષની વયે એક યુવાન ઉધોગપતિ અને સમાજમાં નામના ધરાવનાર વ્યકિતના મોતથી પાટીદાર સમાજમાં ચિંતાનું મોજું ફેલાયું છે. છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતમાં અને તે પણ ખાસ કરીને રાજકોટ-સુરતમાં યુવાનોમાં હાર્ટ એટેકથી મોતની ઘટનાએ ચિંતા વધારેલી છે.અમુક યુવાનો તો માત્ર 17થી 22 વર્ષની વયના હતા અને કિક્રેટ રમતા રમતા મોતને ભેટ્યા હતા. કોરોના મહામારી પછી યુવાનોમાં હાર્ટ એટેકની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.