બેટરી સ્વેપિંગ પોલિસીથી ચાર્જિંગની ઝંઝટનો અંત લાવશે અને EV સસ્તા થઈ શકે છે

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનું બજાર ઝડપથી વિસ્તરી રહ્યું છે, જેમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટ સૌથી વધુ પ્રગતિ કરી રહ્યું છે. પરંતુ ઈલેક્ટ્રિક ટુ વ્હીલરની સરખામણીમાં ઈલેક્ટ્રિક કાર ખરીદનારા લોકોની સંખ્યા હજુ પણ ઘણી ઓછી છે. ઈલેક્ટ્રિક કારના ઓછા વેચાણ પાછળનું સૌથી મોટું કારણ બેટરી ચાર્જિંગ સ્ટેશન અથવા બેટરી સ્વેપિંગ સ્ટેશનો કે રસ્તામાં અથવા અન્ય જગ્યાએ જ્યારે ચાર્જિંગ સમાપ્ત થઈ જાય ત્યારે ઉપલબ્ધ ન હોવું છે. જેના કારણે લોકોને આર્થિક રીતે પોસાય એમ હોવા છતાં પણ આ ઇલેક્ટ્રિક વાહનો ખરીદવામાં રસ દાખવતા નથી.

ઇલેક્ટ્રિક વાહનોની ચાર્જિંગની સમસ્યાને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કરતી વખતે નવી બેટરી સ્વેપિંગ નીતિની જાહેરાત કરી હતી અને ટૂંક સમયમાં આ નીતિને લાગુ કરવાની તૈયારી તેના અંતિમ તબક્કામાં છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા બેટરી સ્વેપિંગ પોલિસીની જાહેરાત મુજબ, આ યોજનાના પ્રથમ તબક્કાનો હેતુ હળવા ઈલેક્ટ્રિક વાહનોની ચાર્જિંગ જરૂરિયાતને પૂર્ણ કરવાનો છે, જે અંતર્ગત વાહનને બેટરી સ્વેપિંગ સ્ટેશન સુધી પહોંચાડવાનું હશે અને ચાર્જિંગ સિવાય બેટરી સ્વેપિંગની વ્યવસ્થા પણ અમલમાં મુકવામાં આવશે.

બેટરી સ્વેપિંગ પોલિસી લાગુ થયા પછી સૌથી વધુ ફાયદો એવા ગ્રાહકોને થશે જેઓ તેમના વાહનોને ચાર્જ કરવા માટે ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ કરતા નથી. સામાન્ય ચાર્જરથી ચાર્જ કરવાથી બેટરીને ચાર્જ થવામાં ઓછામાં ઓછા 5 થી 6 કલાકનો સમય લાગે છે. પરંતુ આ નીતિ હેઠળ, ગ્રાહકોએ ચાર્જિંગ માટે બેટરી સ્વેપિંગ સ્ટેશન પર કલાકો સુધી રાહ જોવી પડશે નહીં, પરંતુ તેઓ બેટરી સ્વેપિંગ સ્ટેશન પર જઈને તેમની ડિસ્ચાર્જ થયેલી બેટરીને ચાર્જ કરેલી બેટરીથી બદલી શકશે.

બેટરી સ્વેપિંગ પોલિસીના અમલ પછી, ચાર્જિંગની સમસ્યા તો સમાપ્ત થશે જ, પરંતુ ઇલેક્ટ્રિક વાહનોમાં ઉપયોગમાં લેવાતા બેટરી પેકની કિંમતમાં પણ ઘટાડો થવાની ધારણા છે. હાલમાં, વર્તમાન ઇલેક્ટ્રિક સ્કૂટર અને બાઇક ખરીદવા પર, ખબર પડે છે કે, તે વાહનની કુલ કિંમતના 40 થી 50 ટકા તેના બેટરી પેકની હોય છે. બેટરી સ્વેપિંગ પોલિસીના અમલ પછી, ગ્રાહકો પાસે બેટરી વગરનું ઇલેક્ટ્રિક વાહન ખરીદવાનો વિકલ્પ હશે, જે ઇલેક્ટ્રિક વાહનની કિંમતને કારણે ખિસ્સા પરનો બોજ ઘણી રીતે ઓછો કરી નાખશે.

About The Author

Related Posts

Top News

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.