આ દેશમાં 24 કલાકમાં 1400 વખત ભૂકંપના ઝટકા, જમીનમાંથી લાવા બહાર, ઇમરજન્સી જાહેર

આઇસલેન્ડ વિશ્વમાં સૌથી વધુ સક્રિય જ્વાળામુખી ધરાવતો દેશ છે. અહીં લગભગ 30 સક્રિય જ્વાળામુખી છે. જુલાઈમાં, Fagradalsfjallના લિટલી હુતુર અથવા લિટિલ રામ, જ્વાળામુખીમા વિસ્ફોટ થયો હતો, જેણે દુનિયભરના પ્રવાસીઓનો આકર્ષ્યા.

યુરોપમાં આવેલા આઇસલેન્ડમાં છેલ્લાં 24 કલાકમાં 1400 વખત અને 14 કલાકમાં 800 વખત ભૂંકપના આંચકા અનુભવાયા છે. જેને કારણે ત્યાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે.

આઇસલેન્ડના દક્ષિણ-પશ્ચિમ શહેર ગ્રિંડાવિકમાં શ્રેણીબદ્ધ ધરતીકંપો બાદ જ્વાળામુખી ફાટી નીકળવાના ભયને કારણે ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે.તાજેતરના અઠવાડિયામાં ગ્રિંડાવિક , Fagradalsfjallના જ્વાળામુખીની આસપાસ હજારો ભૂકંપ નોંધાયા છે.

ન્યૂઝ એજન્સી AFPએ શનિવારે જણાવ્યું હતું કે સ્થાનિક અધિકારીઓએ સાવચેતીના ભાગરૂપે શહેરમાં વસતા હજારો લોકોને તેમની જગ્યા ખાલી કરવાનો આદેશ આપ્યો છે.

આઇસલેન્ડના નાગરિક સુરક્ષા અને કટોકટી વ્યવસ્થાપન વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,રાષ્ટ્રીય પોલીસ વડાએ ગ્રિંડાવિકની ઉત્તરે ધરતીકંપની પ્રવૃત્તિને કારણે નાગરિક સુરક્ષા માટે ઇમરજન્સીની સ્થિતિ જાહેર કરી છે. આઈસલેન્ડના હવામાન વિભાગે જણાવ્યું કે બુધવારથી ગુરુવારની વચ્ચે 24 કલાકમાં રિક્ટર સ્કેલ પર લગભગ 1400 ભૂકંપ નોંધાયા છે. મેટ ઓફિસના જણાવ્યા અનુસાર શુક્રવારના પ્રથમ 14 કલાકમાં 800 ભૂકંપ આવ્યા હતા.

આ પછી, ગુરુવારે અધિકારીઓએ ભૂકંપની પ્રવૃત્તિમાં વધારો થવાને કારણે નજીકના બ્લુ લગૂન લેન્ડમાર્કને બંધ કરી દીધું છે. આઇસલેન્ડ મેટ ઓફિસે ભય વ્યક્ત કર્યો હતો કે આ વિસ્તારમાં મેગ્મા (પીગળેલા ખડકો, જેને લાવા તરીકે પણ ઓળખવામાં આવે છે)નો મોટો જથ્થો ભૂગર્ભમાં ફેલાઈ રહ્યો છે અને તે પૃથ્વીની સપાટીને ફાડીને કોઈપણ સમયે બહાર આવી શકે છે.

આઇસલેન્ડની નાગરિક સુરક્ષા એજન્સીએ જણાવ્યું હતું કે ગ્રિંડાવિકને ખાલી કરવાનો નિર્ણય ત્યારે લેવામાં આવ્યો હતો જ્યારે IMO દ્વારા મેગ્મા શહેરમાં પહોંચી શકે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી.

લગભગ 4,000 લોકોની વસ્તી ધરાવતા શહેરના મોટાભાગના રસ્તાઓ ઈમરજન્સી ઉપરાંત અન્ય કારણોસર બંધ છે. આઇસલેન્ડ વિશ્વમાં સૌથી વધુ સક્રિય જ્વાળામુખી ધરાવતો દેશ છે. 2021, 2022 અને 2023માં અહીં સતત જ્વાળામુખી ફાટી નીકળ્યા હતા. આ પહેલા આ જ્વાળામુખી આઠ સદીઓથી નિષ્ક્રિય રહ્યો હતો.

આઇસલેન્ડએ ઉત્તર એટલાન્ટિક અને આર્કટિક મહાસાગરો વચ્ચેનો એક નોર્ડિક ટાપુ દેશ છે, જે ઉત્તર અમેરિકા અને યુરોપ વચ્ચેના મધ્ય-એટલાન્ટિક રિજ પર છે. તે યુરોપ સાથે સાંસ્કૃતિક અને રાજકીય રીતે જોડાયેલું છે.

Related Posts

Top News

જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

ઉત્તર પ્રદેશના મેરઠમાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝને લઈને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ સડક...
National 
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
Opinion 
જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

26 માર્ચ 2025ના રોજ સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટના તે વિવાદાસ્પદ નિર્ણય પર રોક લગાવી દીધી જેમાં...
National 
'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

બીજી બેંકના ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે, RBIએ કહ્યું- દરેક ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલાશે

દેશના ખૂણે ખૂણે લોકો હવે પૈસા ઉપાડવા માટે ATMનો ઉપયોગ કરી રહ્યા છે. જો તમે પણ ATMમાંથી પૈસા...
Business 
બીજી બેંકના ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે, RBIએ કહ્યું- દરેક ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલાશે

Opinion

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.