ઉદયપુરથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મોબાઇલ ફાટ્યો

ઘણી વખત મોબાઇલ ફાટવાના સમાચાર આવતા રહે છે અને હવે એક વધુ બનાવ સામે આવ્યો છે. 17મી જુલાઇ, સોમવારના રોજ ઉદયપુરથી દિલ્હી જનારી ફ્લાઇટના ટેકઓફના થોડા સમય બાદ જ તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. એવું એટલા માટે કરવામાં આવ્યું કારણ કે, ફ્લાઇટમાં એક યાત્રીનો મોબાઇલ બ્લાસ્ટ થયો હતો. જોકે, લેન્ડિંગ બાદ ફ્લાઇટના ચેકઅપ બાદ ફરીથી ફ્લાઇટ ટેકઓફ કરાવવામાં આવી.

એરલાઇનના એક અધિકારીએ કહ્યું કે, એક યાત્રીના મોબાઇલ ફોન ચાર્જરમાં ખરાબી આવી ગઇ હતી, જેના કારણે આ થયું. તે સિવાય એ પણ કહેવામાં આવ્યું હતું કે, મોબાઇલ ફોનના ગરમ થવાના કારણે આમ થયું છે. જોકે, તે વિશે વધુ જાણકારી મળી નથી. આવી ઘટનાઓ પાછળ ઘણા કારણ હોઇ શકે છે. આજે અમે તમને આવા જે કેટલાક કારણો વિશે કહેવા જઇ રહ્યા છીએ, જે કારણે આ પ્રકારની ઘટનાથી બચી શકાય.

સ્માર્ટફોનમાં આગ લાગવાનું સૌથી મોટુ કારણ થર્ડ પાર્ટી ચાર્જિંગ કેબલ અને ચાર્જરનો ઉપયોગ છે. સુનિશ્ચિત કરો કે તમે સોર્સ દ્વારા સર્ટિફાઇડ ચાર્જર જ યુઝ કરો. ચાર્જર અને એડેપ્ટરના પૈસા બચાવવાથી જીવનું જોખમ બની શકે છે.

ફોનમાં આગ લાગવાના કે ફાટવાનું એક સામાન્ય કારણ થર્ટ પાર્ટી બેટરીનો ઉપયોગ પણ હોઇ શકે છે. બેટરીઓ સમયની સાથે ડેમેજ થતી જાય છે. જે કારણે બેટરીનું પરફોર્મન્સ ઓછું થઇ જાય છે. એવા કેસમાં, એક નવો ફોન ખરીદી લો અથવા તો કંપની કે પછી ઓથોરાઇઝ્ડ સ્ટોરમાંથી ચેન્જ કરાવી લો.

ફોનને ખરાબ રીતે ઉપયોગ કરવાથી ફક્ત તેના બહારના હિસ્સા પર જ નહીં, પણ બેટરી સહિત ઇન્ટરનલ પાર્ટ પર પણ અસર પડે છે. જો તમે જુઓ છો કે, બેટરી ફુલ થઇ રહી છે કે પછી બેટરી એરિયાની આસપાસ બોડીમાં કંઇ ડેમેજ થઇ રહ્યું છે, તો તેની બેટરી ડેમેજ થઇ રહી છે અને તેના કારણે શોર્ટ સર્કિટ, ઓવરહીટિંગ કે પછી લીકેજ પણ થઇ શકે છે.

સ્માર્ટફોનના ફાટવા પાછળનું એક વધુ કારણ એ છે કે, ચાર્જિંગ દરમિયાન ફોનનો ઉપયોગ કરવો. એવું એટલા માટે થાય છે કારણ કે, મોબાઇલ ચાર્જિંગ દરમિયાન થોડા ગરમ થાય છે અને એ સમયે તેનો ઉપયોગ કરવાથી ઓવરહીટિંગ થઇ શકે છે અને ફોન ફાટી શકે છે.

એ ઘણી સામાન્ય વાત છે કે, અમુક લોકો ફોનને ચાર્જરથી કનેક્ટ કરીને ચાર્જ કરવા માટે બેડ કે તકિયાની નીચે મૂકી દે છે. તેનાથી ફોન ગરમ થઇ શકે છે અને તેમાં શોર્ટ સર્કિટ થવાનું કે પછી આગ લાગવાનું જોખમ હોય છે.

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.