નાસાને ઉલ્કા પર પાણી મળ્યું જે 2182માં પૃથ્વી સાથે ટકરાઈ શકે છે

બેન્નુ એસ્ટરોઇડ પર ખુબ મોટા પ્રમાણમાં કાર્બન અને પાણી મળી આવ્યા છે. નાસાના સેમ્પલ રિટર્ન મિશનમાં જાણવા મળ્યું છે કે OSIRIS-REx દ્વારા લાવવામાં આવેલા માટી અને ધૂળના નમૂના વિશ્વ માટે ખૂબ જ ઉપયોગી છે. નાસાના આ સ્પેસક્રાફ્ટે 1650 ફૂટ પહોળા એસ્ટરોઇડનો સેમ્પલ લીધો અને તેને પૃથ્વી પર મોકલ્યો. તપાસ કર્યા પછી નાસાએ કહ્યું કે, આ સેમ્પલનો પહેલો રિપોર્ટ સામે આવ્યો છે.

નાસાના વડા બિલ નેલ્સને કહ્યું કે, ઓસિરિસ-રેક્સમાંથી મેળવેલા નમૂના દર્શાવે છે કે, બેન્નુ એસ્ટરોઇડમાં કાર્બન સંયોજનો અને પાણીનો જથ્થો ખુબ મોટા પ્રમાણમાં છે. આ બતાવે છે કે આ ઉલ્કા એક સમયે પૃથ્વી જેવા ગ્રહનો ભાગ રહી હશે. સાથે સાથે તે પણ જાણી શકાશે કે પૃથ્વી પર જીવન અને પાણી શું કોઈ ઉલ્કાની અથડામણથી આવ્યા છે કે કેમ.

બિલ નેલ્સને કહ્યું કે, નાસા અને તેના વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે કે, બેન્નુ પર આટલું પાણી ક્યાંથી આવ્યું. મુદ્દો એ છે કે, જે એસ્ટરોઇડથી પૃથ્વીને ખતરો છે તેમાં એટલી ઘણી માત્રામાં પાણી છે કે, કોઈ વૈજ્ઞાનિક તેના વિશે વિચારી પણ ન શકે.

અહીં તમને જણાવી દઈએ કે, બેન્નુ ઉલ્કા 159 વર્ષમાં એટલે કે 24 સપ્ટેમ્બર 2182ના રોજ પૃથ્વી સાથે ટકરાઈ શકે છે. તેની અથડામણથી 22 પરમાણુ બોમ્બના વિસ્ફોટ જેટલો વિનાશ થશે. આનાથી બચવા માટે જ નાસાએ OSIRIS-REx મિશન શરૂ કર્યું હતું. જેથી તેના માટીના નમૂના પરથી જાણી શકાય કે, તે કેટલી મજબૂત ઉલ્કા છે. તેને મિસાઈલ વડે અવકાશમાં જ ઉડાવી શકાય છે કે કેમ, અથવા દિશા બદલવા માટે અવકાશમાં અંતરિક્ષ વાહન કે હથિયાર મોકલવાની જરૂર છે.

OSIRIS-RExનું પૂરું નામ ઓરિજિન્સ, સ્પેક્ટ્રલ ઇન્ટરપ્રિટેશન, રિસોર્સ આઇડેન્ટિફિકેશન અને સિક્યુરિટી રિગોલિથ એક્સપ્લોરર છે. આ અમેરિકાનું પહેલું મિશન છે, જેને ઉલ્કાના સેમ્પલ લાવવા માટે મોકલવામાં આવ્યું હતું. તેણે ત્રણ વર્ષ પહેલા બેન્નુથી સેમ્પલ લીધા હતા. ત્યારથી તે પૃથ્વી તરફ પરત ફરી રહ્યું હતું. 45 કિલોની કેપ્સ્યુલમાં લગભગ 250 ગ્રામ સેમ્પલ હતું.

OSIRIS-REx પ્રોજેક્ટ મેનેજર રિચ બર્ન્સે જણાવ્યું હતું કે, અમે આ વાહન સાત વર્ષ પહેલા બેન્નુથી સેમ્પલ લાવવા માટે મોકલ્યું હતું. એ અલગ વાત છે કે, બેન્નુની ટક્કરથી જે નુકસાન થશે તે ખૂબ જ ભયંકર હશે. પરંતુ તેની શક્યતા 2700માં માત્ર એક જ છે. બેન્નુ એ ઉલ્કાપિંડ કરતા 20 ગણું ઓછું પહોળું છે, જેણે પૃથ્વી પરથી ડાયનાસોરને ખતમ કરી નાખ્યા હતા. પરંતુ જો તે અથડાશે તો ભારે વિનાશ થશે. ભલે તે જમીન સાથે અથડાય કે દરિયામાં પડે.

જેના કારણે દુનિયાભરમાંથી અનેક જીવોની વસ્તીનો નાશ થઈ શકે છે. તેની ટક્કરથી બનેલો ખાડો લગભગ 10 કિલોમીટર પહોળો હશે. આ કારણે, જે જગ્યાએ ટક્કર થઇ હશે તે સ્થળની આસપાસ લગભગ 1000 કિલોમીટર સુધી કંઈપણ બચી શકશે નહીં. પરંતુ જો તે સમુદ્રમાં પડશે તો તબાહી વધારે ભયંકર થઈ શકે છે, કારણ કે તેની અથડામણથી ઉદભવેલી સુનામીની લહેર નજીકના ટાપુઓ કે દેશમાં ભયંકર તબાહી મચાવી શકે છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.