કાર ખરીદનારી મહિલાઓને મળશે 90 ટકા સુધીની લોન, તે પણ 0.8 ટકાના વ્યાજ દરે! બેંકોએ આપ્યા સારા સમાચાર

શું તમે તમારી ડ્રીમ કાર ખરીદવાનું સપનું જોઈ રહ્યા છો? તો અહીં તમારા માટે કેટલાક સારા સમાચાર છે! ભારતીય બેંકો હવે મહિલા કાર ખરીદદારો પર ખાસ ધ્યાન આપી રહી છે, જેનો સીધો લાભ લોન ડીલમાં તમને મળી શકે છે. એક સમય હતો જ્યારે લોનની શરતો સામાન્ય રીતે દરેક માટે સમાન હતી, પરંતુ હવે, લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા અને મહિલાઓની નાણાકીય ભાગીદારી વધારવા માટે, બેંકોએ મહિલાઓ માટે પોતાના દરવાજા ખોલી નાખ્યા છે, તેઓ ખાસ ડિસ્કાઉન્ટ ઓફર પણ કરી રહ્યા છે.

મહિલા કાર લોન અરજદારોને પ્રમાણભૂત દરો કરતા લગભગ 5-10 બેસિસ પોઇન્ટ સુધી ઓછા વ્યાજ દરો ઓફર કરવામાં આવી રહ્યા છે. આનો અર્થ એ છે કે, તમારે ઓછી EMI ભરવી પડશે, જેનાથી તમારા ખિસ્સા પરનો બોજ ઓછો થશે.

Women-Car-Buyers

પરંતુ અહીં લાભો ફક્ત વ્યાજ દરો સુધી મર્યાદિત નથી. બેંકો પ્રોસેસિંગ ફી પણ ઘટાડી રહી છે અને, સૌથી અગત્યનું, લોન-ટુ-વેલ્યુ (LTV) રેશિયો પણ વધારી રહી છે. કેનેરા બેંક જેવી જાહેર ક્ષેત્રની બેંકો 0.50 ટકા જેટલા ઓછા દરો ઓફર કરી રહી છે અને ઓન-રોડ કિંમતના 90 ટકા સુધી ભંડોળ આપી રહી છે! કેટલાક કિસ્સાઓમાં, આ ભંડોળ ઓન-રોડ કિંમત સુધી પણ વધી શકે છે, જે તમારી ડાઉન પેમેન્ટની ચિંતા ઘણી હદ સુધી ઓછી થઇ જાય છે.

આ લાભનો ફાયદો કેવી રીતે ઉઠાવવો જોઈએ, ચાલો જાણી લઈએ...

જો તમે આ ખાસ લાભોનો લાભ લેવા માંગો છો, તો તમારે કેટલીક શરતો પૂરી કરવી આવશ્યક છે

Women-Car-Buyers.jpg-2

પ્રાથમિક અરજદાર: લોન માટે પ્રાથમિક અરજદાર મહિલા હોવી આવશ્યક છે.

રજિસ્ટ્રેશન: વાહનનું રજિસ્ટ્રેશન પણ મહિલાના નામે નોંધાયેલું હોવું આવશ્યક છે.

પાત્રતા: પાત્રતા માપદંડ સામાન્ય રીતે સમાન જ રાખેલું છે.

ઉંમર: 21 થી 65 વર્ષ.

દસ્તાવેજીકરણ: માન્ય KYC અને આવકનો પુરાવો.

ક્રેડિટ સ્કોર: 750થી ઉપરનો સારો ક્રેડિટ સ્કોર પ્રાધાન્યક્ષમ છે.

Women-Car-Buyers.jpg-4

આ શરતો ખાતરી કરે છે કે, નાણાકીય લાભ અને માલિકી બંને મહિલા ઉધાર લેનાર પાસે રહે. આ ઉપરાંત, અરજી પ્રક્રિયાને પણ સરળ બનાવવામાં આવી રહી છે, જેમાં ઓછા દસ્તાવેજો અને ઝડપથી મંજૂરીનો સમાવેશ થાય છે.

અમિત સેઠિયા કહે છે કે, આ ખાસ યોજનાઓ શરૂ કરવામાં બેંકોનો મુખ્ય ઉદ્દેશ્ય નાણાકીય સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવાનો છે. બેંકો જવાબદાર ઉધાર લેનારા તરીકે મહિલાઓની વિશ્વસનીયતાને ઓળખે છે. આ પહેલ મહિલાઓને સંપત્તિ માલિક તરીકે સશક્ત બનાવે છે અને તેમના નાણાકીય સમાવેશમાં વધારો કરે છે. RBIના સ્થિર રેપો રેટ હોવા છતાં, બેંકો ક્રેડિટ ઍક્સેસને વિસ્તૃત કરવા માટે આ લિંગ-વિશિષ્ટ ઑફર્સ અને તહેવારોને કારણે ડિસ્કાઉન્ટ આપી તેનો લાભ લઈ રહી છે, જે મહિલાઓની આર્થિક ગતિશીલતાને સીધી રીતે ટેકો આપે છે.

About The Author

Related Posts

Top News

સોનમ વાંગચુક લદ્દાખને 'બાંગ્લાદેશ' બનાવવા માંગે છે, તેમના નિવેદનો રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરોઃ સરકાર

કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં લદ્દાખના સામાજિક કાર્યકર સોનમ વાંગચુકની અટકાયતનો બચાવ કર્યો હતો. સરકારે દલીલ કરી હતી કે વાંગચુકના...
National 
સોનમ વાંગચુક લદ્દાખને 'બાંગ્લાદેશ' બનાવવા માંગે છે, તેમના નિવેદનો રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરોઃ સરકાર

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -03-02-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પોસ્ટમેન લાવ્યો એક જ સરનામે 22 પાસપોર્ટ, પરંતુ ત્યાં કોઈ રહેતું નહોતું, પોસ્ટ માસ્ટર પણ હતો શામેલ

ક્યારેક, એકદમ સરળ માહિતીથી પણ મોટામાં મોટો ગુનો ઉકેલાઈ જતો હોય છે. ગાઝિયાબાદમાં આ નકલી પાસપોર્ટ કેસ આવો જ...
National 
પોસ્ટમેન લાવ્યો એક જ સરનામે 22 પાસપોર્ટ, પરંતુ ત્યાં કોઈ રહેતું નહોતું, પોસ્ટ માસ્ટર પણ હતો શામેલ

રામલીલામાં રાવણ પર ચલાવેલું તીર આંખમાં વાગ્યું, રામ વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ કેસ નોંધાયો

રામલીલા દરમિયાન, રામે રાવણને મારવા માટે તીર છોડ્યું, પરંતુ તીર રાવણની ભૂમિકા ભજવતા અભિનેતાની આંખમાં વાગ્યું, જેના...
National 
રામલીલામાં રાવણ પર ચલાવેલું તીર આંખમાં વાગ્યું, રામ વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ કેસ નોંધાયો

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.