મગફળીનું જબ્બર વાવેતર પણ પીળી પડી રહી છે, નિષ્ણાતો બતાવે છે આ ઉપાય

સૌરાષ્ટ્રની આર્થિક જીવાદોરી મગફળી અને 10 લાખ ખેડૂતોની જીવન રેખા કપાઈ રહી છે.  આ ચોમાસામાં મગફળી પીળી પડી રહી છે. જે ખેડૂતોએ મગફળીનું ચોમાસા પહેલા આગોતરું વાવેતર કરેલું છે તે મગફળી વધું પીળી જોવા મળી રહી છે. વાદળો રહેવાના કારણે આમ થાય છે. 2018માં જૂનાગઢ જિલ્લામાં વ્યાપક પણે મગફળી પીળી પડી ગઈ હતી. તેથી ખેડૂતોએ તે કાઢી નાંખવી પડી હતી. આ પ્રક્રિયાને રાતડ કે ગેરુ રોગ કે પાણી લાગવું કહે છે. ભારે વરસાદ કે વાદળો રહેવાથી આ રોગ આવે છે. ખેતરોમાં પાણી ભરાઈ રહેવાથી અને સૂર્યપ્રકાશ ન મળતાં મગફળીને પોષક તત્વો મળતા બંધ થઈ જાય છે.

9 જૂલાઈ 2020 સુધીમાં 20 લાખ હેક્ટર મગફળીનું જબ્બર વાવેતર થયું છે. જે ગયા વર્ષ કરતાં 8 લાખ હેક્ટર વધું છે. સૌથી વધું વાવેતર રાજકોટમાં 2.90 લાખ હેક્ટર અને જૂનાગઢમાં 2.60 લાખ હેક્ટર મગફળીનું છે. ઉપરાંત જામનગર 2 લાખ હેક્ટર, પોરબંદર જેવા વિસ્તારોમાં મગફળી પીળી પડવા લાગી છે. 20 લાખ હેક્ટરમાંથી 25 ટકા વિસ્તારમાં આવી સમસ્યા હોવાનું ખેડૂતો સાથે વાત કરતાં સ્પષ્ટ થાય છે. તેથી ધાર્યું ઉત્પાદન ન મળે એવી સ્થિતી ઊભી થઈ છે. મગફળી 20 દિવસ સુધી પીળી પડી જવાથી તેનું ઉત્પાદન શૂન્ય થઈ જાય છે. આવી હાલત સૌરાષ્ટ્રમાં મોટા વિસ્તારમાં છે.

સૂયા બેસવાની અવસ્થા આવતાં મોટું નુકસાન ખેડૂતને થઈ રહ્યું છે. મગફળીનો છોડ પીળો પડે છે અને નવા પાન સફેદ નીકળે છે. મગફળીના પાકમાં ઉપરની ડૂંખ પીળી પડી સુકાતી જાય છે. આ પીળાશ ધીમે ધીમે નીચેના પાન તરફ વધતી જાય છે. જે સામાન્ય રીતે મગફળીમાં લોહ તત્વની ઉણપ દર્શાવે છે.

પ્રકાશ સંશ્લેષણની ખામી

વાદળો થઈ જતાં સૂર્ય પ્રકાશ મળતો બંધ થતાં સલ્ફેટનું ઉત્પાદન છોડમાં થતું નથી. તેથી મગફળી પીળી પડવા લાગી છે. જમીનમાં ફેરસ સલ્ફેટ ન હોય તો પણ પીળી પડે છે, જે જમીનમાં અગાઉથી કે પછીથી આપવામાં આવે છે. આગોતરું વાવેતર હોય તે વધું પીળા પડે છે. પોષક તત્વો લેવાનું કામ મંદ થઈ જાય છે. ફેરસ સલ્ફેટની ખામી સર્જાય છે.   મગફળીનું આખું પાન પીળું પડી ગયું હોય પરંતુ તેની મુખ્ય નસ તથા બીજી નસો લીલી હોય તો આ પીળાશ લોહતત્વની ખામીને લીધે હોય છે. મગફળીનો ખોરાક તેના પાનમાં બને છે. અટલે પાન એ રસોડુ છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં પૂર્વ ઉપકુલપતિ ડો.બી.કે.કીકાણી કહે છે, મગફળી પીળી પડે એટલે તે સૂકાઈ જાય છે. રસોડા તરીકે કામ કરતાં પાંદડા થકી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અટકી જાય છે. પરિણામે છોડને ખોરાક મળતો બંધ થઇ જાય છે. છોડનાં પાંદડાએ તેનું રસોડું છે એમ સમજી લો. છોડને ખોરાક ન મળે એટલે લોહતત્વની પણ ખામી સર્જાય છે. પાંદડા લીલાને બદલે પીળા દેખાવા માંડે છે.  લોહતત્વની ખામી દુર થઇ શકે.

 સસ્તો ઉપાય

મગફળીની પીળાશ દૂર કરવા માટે સારો અને સસ્તો ઉપાય ખેડૂતો જાતે કરી શકે  છે. એક પંપનું માત્ર 3 રૂપિયા ખર્ચ આવે છે. હીરા કણી 100 ગ્રામ 10 ગ્રામ લીંબુના ફૂલ જે સાઈટ્રીક એસીડ હોય છે. બન્નેને પંપમાં એક પછી એક નાંખી ભેગા કરીને છાંટવા. હીરાકણી 24 કલાક પહેલાં પલાળી દેવી. જો હીરા કણી વધું નંખાય જાય તો મગફળીના પાન કાળા પડી શકે છે. અથવા તેના પર કાળા ટપકા થઈ શકે છે. બજારમાં રૂ.400થી રૂ.1 હજારનું એક લીટર આવું મોંઘુ તત્વ મળે છે. તેની સામે ખેડૂત જાતે એકદમ સસ્તો ઉપાય કરી શકે છે. 10-12 દિવસના અંતરે 2 થી 3 છંટકાવ કરવાથી પીળાશ કાબૂમાં આવે છે.  હેકટરે 500 લિટર પાણીનું પ્રમાણ જાળવવું. બીજો ઉપાય એ છે કે, ગંધક પાવડર 30 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.

યુરિયા ન આપવા ભલામણ

વરાપ થાય એટલી સાંતી ફેરવવું, પાણી ભરાયા હોય ત્યાંથી કાઢવું. સંયુક્ત ખેતી નિયામકની એવી ભલામણ છે. પીળી પડેલી મગફળીને માવજત માટે યુરીયા ખાતર આપવું ન જોઈએ. તેનાં મુળીયા હવામાંથી નાઇટ્રોજન મેળવી પાકને આપે છે. યુરીયા આપવાથી મગફળીનો ગ્રોથ વધી જશે. સુયા બેસવાની પ્રક્રિયા ધીમી થશે. આથી મગફળીનું ઉત્પાદન ઘટશે. જમીન કઠણ થઈ ગઈ હોય ત્યારે ઘણી વખત મગફળી પીળી પડી જતી હોય છે. આમા હવાની અવર જવર ન થવાથી પીળી પડી જતી હોય ત્યારે યુરિયા આપવું. રેચક પ્રકારની જમીનમાં વધારે પડતાં પિયત આપવાથી મગફળીના છોડના પાન નસો સાથે પીળા પડી જાય ત્યારે પિયત ઓછું કરી એમોનિયમ સલ્ફેટ વિઘે 15 કિલો આપવું. આવા સમયે 2 ટકા યુરિયાનું દ્રાવણ બે થી ત્રણ છંટકાવ 8 થી 10 દિવસના અંતરે કરવા.

Related Posts

Top News

શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

એવું લાગે છે કે વર્ષ 2025 યુદ્ધનું વર્ષ છે. માત્ર 7 મહિનામાં દુનિયાએ 3 યુદ્ધ જોયા છે. પહેલા ભારત અને...
World 
શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

ભારતીય શેરબજારમાં સતત ઘટાડો પોતાનું અસ્તિત્વ હજુ પણ ધરાવે છે. આજે પણ બજારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 720 પોઈન્ટથી વધુ...
Business 
સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી

બ્રિટનના પ્રવાસે ગયેલા  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન...
World  Politics 
‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી

ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...

અલીગઢ જિલ્લાના એક ગામમાં પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખતી વખતે 11 સોનાના સિક્કા મળી આવતા અફરતફરી મચી ગઈ હતી. લોકો...
National 
ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.