ટામેટાએ ખેડૂતને બનાવી દીધો ધનવાન, 45 દિવસમાં કરી 4 કરોડ રૂપિયાની કમાણી

આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લાના એક ખેડૂત ચંદ્રમૌલી ચર્ચાઓમાં છવાયો છે. જેણે 45 દિવસોમાં ટામેટાં વેચીને 4 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેમાં 3 કરોડ રૂપિયાનો ભારે નફો થયો છે. તેણે જણાવ્યું કે, ટામેટાને લઈને આશ્વસ્ત હતો કે ખર્ચ નીકળી જશે, પરંતુ આ વખત તો જોરદાર કમાણીએ બધા રેકોર્ડ તોડી દીધા છે. એપ્રિલમાં ટામેટાના છોડ રોપ્યા હતા અને પોતાની 22 એકર જમીન પર સારી ટેક્નિક દ્વારા તેણે આ છોડવાઓની દેખરેખ કરી અને 45 દિવસોની અવધિમાં ટામેટાની 40 હજાર કેરેટ વેચી છે. 

તેણે પોતાનું ઉત્પાદન કર્ણાટકના કોલાર બજારમાં વેચ્યું, જે તેના મૂળ સ્થાનની નજીક છે. બજારમાં 15 કિલોની કેરેટની કિંમત 1000 રૂપિયાથી 1500 રૂપિયા વચ્ચે હતી. જ્યારે તેણે છેલ્લા 45 દિવસોમાં 40 હજાર કેરેટ વેચી છે. ખેડૂત ચંદ્રમૌલીએ કહ્યું કે, અત્યાર સુધી જે મેં ઉત્પાદન હાંસલ કર્યું છે, તેમાં મેં લગભગ 4 કરોડ રૂપિયાની કમાણી કરી છે. કુલ મળીને મને ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે પોતાની 22 એકર જમીનમાં 1 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડ્યું હતું. તેમાં કમિશન અને પરિવહન ચાર્જ પણ સામેલ છે. એટલે નફો 3 કરોડ રૂપિયા રહેશે.

ખેડૂત ચંદ્રમૌલીએ કહ્યું કે, 22 એકર ખેતીની જમીનમાં દુર્લભ પ્રકારના ટામેટાના છોડ રોપ્યા હતા. તેની દેખરેખ કરી અને ઇરિગેશન જેવી ટેક્નિકથી છોડની દરેક જરૂરિયાત પૂરી કરી. અમે ઘણા વર્ષોથી ટામેટાં ઉગાડતા આવી રહ્યા છીએ અને આ વર્ષે અમારા અનુભવનો લાભ મળ્યો છે. ટામેટાંની આકાશ આંબતી કિંમતોના કારણે અમારી કમાણી પણ રેકોર્ડ બનાવ્યો છે. ટામેટાંની ખેતી જ નહીં, પરંતુ તેની માર્કેટિંગ, સ્ટોક કરવા અને બજાર સુધી પહોંચાડવા જરૂરી હોય છે. એવા બધા પહેલુઓનું ધ્યાન રાખવામાં આવ્યું. ખેડૂત ચંદ્રમૌલીએ આગળ કહ્યું કે, હવે ઉત્તર ભારત સુધી ટામેટાં જઈ રહ્યા છે અને તે ઑગસ્ટ સુધી મોંઘા રહેવાની આશા છે.

ઉલ્લેખનીય છે કે, ટામેટાંની કિંમતોમાં વધારા બાદ સરકારી એજન્સી NCCF અને NAFEDએ આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રના માર્કેટોમાંથી ટામેટાંની ખરીદી કરી છે. તેમને એ મોટા ઉપભોક્તા સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યા છે જ્યાં ટામેટાંની ખુદરા કિંમતો છેલ્લા એક મહિના સૌથી વધુ છે. સરકારના જણાવ્યા મુજબ, ટામેટાંની વધતી કિંમતોનું કારણ વરસાદથી ખરાબ થયેલો પાક છે. ટામેટાંની કિંમત તો કેટલીક જગ્યા પર 250 રૂપિયા કિલો સુધી પહોંચી ગઈ છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.