એક એવું મંદિર જ્યાં નવરાત્રિ દરમિયાન મહિલાઓ-પુરૂષો પ્રવેશી શકતા નથી

નવરાત્રિ શરૂ થતાની સાથે જ મંદિરોના દરવાજા ભક્તો માટે ખોલી દેવામાં આવે છે, પરંતુ બિહારમાં એક એવું મંદિર છે જ્યાં આ 9 દિવસો દરમિયાન કોઈ પણ પુરુષ કે મહિલાના મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે. માતાનું આ મંદિર નવાદામાં છે. આશાપુરી મંદિરમાં તંત્ર વિદ્યા હેઠળ પૂજા કરવામાં આવે છે.

નવરાત્રિની શરૂઆત સાથે જ આખો દેશ માતા દુર્ગાની પૂજામાં વ્યસ્ત છે. પરંતુ બિહારના નાલંદામાં એક એવું મંદિર છે જ્યાં નવરાત્રિના 9 દિવસ સુધી મંદિરમાં કોઈપણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ છે.

હકીકતમાં, નાલંદા જિલ્લાના ગિરિયક બ્લોકના ઘોષરાવા ગામમાં મા આશાપુરી મંદિર છે. અહીં નવરાત્રીના 9 દિવસ સુધી મંદિરમાં મહિલાઓ અને પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ છે. આ 9 દિવસો દરમિયાન, મહિલાઓ મંદિર પરિસરમાં અને ગર્ભગૃહમાં પ્રવેશતી શકતી નથી, જ્યારે પુરુષોને મંદિર પરિસરમાં જ પૂજા કરવાની છૂટ છે.

નવરાત્રીના 9 દિવસ સુધી અહીં નવ દેવીઓની પૂજા કરવામાં આવે છે. નવમી પર પૂજા-હવન કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન, ગર્ભગૃહમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેના પ્રવેશ પર પ્રતિબંધ છે. નવરાત્રિ શરૂ થતાં રવિવારથી મહિલાઓને મંદિરમાં પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે.

મા આશાપુરી મંદિર એક ખૂબ જ પ્રાચીન મંદિર છે, જે પાવાપુરી વળાંકથી લગભગ 5 કિલોમીટરના અંતરે ઘોષરાવા ગામમાં આવેલું છે. આ મંદિર મગધ સામ્રાજ્ય દરમિયાન બનાવવામાં આવ્યું હતું. અહીં મા દુર્ગાની અષ્ટભુજાવાળી મૂર્તિ સ્થાપિત છે.

એવું કહેવાય છે કે, મા આશાપુરી મંદિરમાં તંત્ર વિદ્યા હેઠળ પૂજા કરવામાં આવે છે અને મા દુર્ગાની પૂજા કરવામાં આવે છે. આ જ કારણ છે કે અહીં 9 દિવસ સુધી મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે.

આ પ્રાચીન મંદિરની વિશેષતા એ છે કે, જે લોકો અહીં સાચી ભાવનાથી માનતા માને છે તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે, તેથી જ આ મંદિરનું નામ આશાપુરી પણ રાખવામાં આવ્યું છે. બંગાળ, ઝારખંડ, ઓડિશા, બિહાર સહિત ઘણા રાજ્યોમાંથી લોકો અહીં ભક્તિભાવ સાથે દર્શન કરવા આવે છે.

મંદિરના પૂજારીઓનું કહેવું છે કે, આ 9 દિવસો દરમિયાન મંદિરમાં તંત્ર-મંત્ર વિધિ દ્વારા દેવીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન વિશ્વભરમાંથી તાંત્રિકો અહીં આવે છે. નવરાત્રિના છેલ્લા દિવસે તાંત્રિક અહીં નિશા પૂજા અને ખાસ પ્રકારનો હવન કરે છે. ત્યાર પછી મહિલાઓ અને યુવતીઓને અહીં આવવાની મંજૂરી આપવામાં આવે છે.

એવું કહેવાય છે કે, તંત્ર-મંત્ર દરમિયાન ખરાબ શક્તિઓ આસપાસ હોય છે, જે મહિલાઓના શરીરમાં પ્રવેશ કરી શકે છે. જેના કારણે પૂજા સંપૂર્ણપણે નિષ્ફળ થઈ શકે છે. તો આ જ કારણ છે કે, નવરાત્રિના 9 દિવસ સુધી મહિલાઓ મંદિરમાં પ્રવેશતી નથી, જેથી કરીને અહીં કરવામાં આવતી પૂજા નિષ્ફળ ન જાય.

મંદિરની પરંપરા તૂટે નહીં અને મહિલાઓની પૂજા પણ બંધ ન થાય તે માટે મંદિરના પ્રાંગણમાં અલગ મંદિર બનાવવામાં આવ્યું છે. નવરાત્રિ દરમિયાન મહિલાઓ અહીં આવીને પૂજા કરી શકે છે. એવું કહેવાય છે કે, આ મંદિર માત્ર તંત્ર-મંત્ર અને સિદ્ધિઓ માટે જ જાણીતું નથી, પરંતુ એવું કહેવાય છે કે, જો અહીં કોઈ ભક્ત સાચા મનથી કંઈપણ માંગે તો માતા તેની મનોકામના અવશ્ય પૂરી કરે છે. જેના કારણે અહીં માતા આશાપુરા તરીકે પ્રખ્યાત થયા છે.

About The Author

Related Posts

Top News

નેહા સાથે લગ્ન કર્યાના 15 દિવસમાં પતિએ પોલીસ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા

હાપુરની એક નવપરિણીત દુલ્હનની ખુશીને ત્યારે મોટો ઝટકો લાગ્યો જ્યારે તેનો પતિ લગ્નના 15 દિવસ પછી જ તેને છોડીને મંદિરમાં...
National 
નેહા સાથે લગ્ન કર્યાના 15 દિવસમાં પતિએ પોલીસ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા

હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

દક્ષિણ અભિનેતા કમલ હાસન આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ 'ઠગ લાઈફ'ને લઈને સમાચારમાં છે. અભિનેતા તેના પ્રમોશનમાં...
Entertainment 
હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

સુરત: ગુજરાત અને સુરતના જાણીતા ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધીને ન્યુરોવાસ્ક્યુલર અને પેરિફેરલ વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન રેડિયોલોજીના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ...
Gujarat 
સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન

સુરતઃ શેલ્બી હોસ્પિટલ્સ લિમિટેડ, સુરતના સ્પાઈન સર્જરી વિભાગના વડા ડૉ. ગૌરવ ખંડેલવાલ દેશના અગ્રણી સ્પાઈન સર્જન તરીકે ઓળખાય છે. તેમણે...
Gujarat 
ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.