રામલલા માટે સોનાનું સિંહાસન, દેશના આ મંદિરો પાસે છે અખૂટ ધનનો ભંડાર

અમદાવાદના રહેનારા મુકેશ પટેલનું નામ કદાચ તમે સાંભળ્યું હશે. તેમણે અંબાજી શક્તિપીઠમાં 25 કિલો સોનાના ચઢાવો આપ્યો હતો. એક ભક્તે અયોધ્યાના રામ મંદિરમાં રામલલા માટે એક કિલો સોનાનું સિંહાસન આપવાની વાત કહી છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના રોજ થશે. આંધ્ર પ્રદેશના રહેનારા સી.શ્રીનિવાસન રામલલાને સોનાના સિંહાસન ઉપરાંત 8 કિલો ચાંદીની ચરણ પાદુકા પણ દાન કરશે.

જણાવીએ કે, દેશમાં એવા ઘણાં મંદિરો છે જ્યાં ભક્તો દ્વારા સોનાનું દાન કરવામાં આવે છે. ભક્તો દ્વારા દાન કરવામાં આવેલા સોનાને મંદિરના ટ્રસ્ટમાં સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખવામાં આવે છે. આ દાનને લીધે દેશમાં એવા મંદિરો છે જેમની પાસે અખૂટ ધનનો ભંડાર છે. જાણો દેશના એવા પ્રમુખ મંદિરો વિશે જ્યાં સૌથી વધારે સોના-ચાંદી અને અન્ય કિંમતી ચીજો છે.

શ્રી પદ્મનાભસ્વામી મંદિર

પદ્મનાભસ્વામી મંદિરને દુનિયાનું સૌથી અમીર મંદિર માનવામાં આવે છે. અનુમાન અનુસાર, મંદિરમાં મોજૂદ સોના અને કિંમતી પથ્થરોની કિંમત 1.20 લાખ કરોડથી પણ વધારે આંકવામાં આવી છે. આ મંદિર તરફ લોકોનું ધ્યાન 2011માં ત્યારે ગયું જ્યારે સુપ્રીમ કોર્ટના એક આદેશ પછી મંદિરના પરિસરની અંદર ગુપ્ત લોકરોને ખોલવાની પરવાનગી આપવામાં આવી.

તિરુપતિ મંદિર

10મી સદીમાં બનાવવામાં આવેલ આ મંદિર સંપત્તિના મામલામાં બીજા સ્થાને છે. ભક્તો પાસેથી મળનારા દાનના આધારે અહીં વાર્ષિક આવક લગભગ 300 મિલિયન ડૉલર હોવાની આશા છે. અહીં રોજ દર્શન કરવા માટે આવતા લગભગ 30 હજાર ભક્તો 60 લાખ ડૉલર એટલે કે 50 કરોડથી વધારાનું દાન કરે છે.

ગુરુવાયુરપ્પન મંદિર

આ મંદિરમાં લગભગ 50 હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરવા રોજ આવે છે. મંદિરની કુલ સંપત્તિ લગભગ 2500 કરોડ હોવાનું અનુમાન છે. તમિલનાડુમાં સ્થિત આ મંદિરમાં પાછલા દિવસોમાં મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની પત્ની દુર્ગા સ્ટાલિને સોનાનું મુકુટ ભેટ આપ્યું હતું.

શિરડી સાંઈબાબા મંદિર

શિરડીના સાંઈ મંદિરમાં ભક્તોની લાઇનો લાગી હોય છે. મુંબઈથી લગભગ 300 કિમી દૂર સ્થિત આ મંદિર પાસે લગભગ 300 કિલો સોનાનો ભંડાર છે. આ ઉપરાંત મંદિર ટ્રસ્ટની પાસે લગભગ 1800 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

સિદ્ધિવિનાયક મંદિર

મુંબઈ સ્થિત આ મંદિર દેશ અને દુનિયાના સૌથી અમીર મંદિરોમાં સામેલ છે. વર્ષ 1900થી આ મંદિરમાં આવનારા શ્રદ્ધાળુઓની હંમેશા ભીડ લાગી હોય છે. મંદિરની કુલ સંપત્તિ લગભગ 125 કરોડ રૂપિયા છે. એવી માન્યતા છે કે મુંબઈ આવનારા લોકોએ સિદ્ધિવિનાયકના દર્શન જરૂર કરવા જોઇએ.

 

ખેર, પાછલા દિવસોમાં રામ મંદિર બનાવવામાં અત્યાર સુધીમાં લગભગ 900 કરોડ રૂપિયા ખર્ચ થયા છે, એવી મીડિયા રિપોર્ટ સામે આવી હતી. જેના અનુસાર 3000 કરોડ રૂપિયા હજુ પણ રામ મંદિર ટ્રસ્ટના બેંક ખાતામાં છે.

About The Author

Related Posts

Top News

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.