આ સમાચાર તમારા કામના છે હોળી કયા દિવસે પ્રકટાવવાની તે અસમંજસ દૂર થશે

વર્ષ 2022માં હોળી કયારે પ્રકટાવવાની છે તેની તારીખ અને મુહૂર્ત વિશે લોકોમાં અસંમજસ છે. લોકોમાં ચર્ચા છે કે આ વખતે હોળી દહન કયારે છે 17 કે 18 માર્ચ. તો આ વાંચશો એટલે તમારુ કન્ફયૂઝન દુર થશે.

દર વર્ષે ફાગણ મહિનાના શુક્રલ પક્ષની પૂર્ણિમા તિથિ પર હોળી દહનનો તહેવાર મનાવવામાં આવે છે અને બીજા દિવસે રંગોના ઉત્સવ ધૂળેટી મનાવાય છે.હોળીના તહેવાર બુરાઇ પર અચ્છાઇની જીતનો તહેવાર છે જયારે ધૂળેટી ઉત્સાહનો ઉત્સવ છે. હોળી દહનનના આઠ દિવસ પહેલાંથી હોળાષ્ટક લાગૂ થઇ જાય છે. આ દરમ્યાન કોઇ શુભ કાર્ય કરવામાં આવતા નથી.

હવે વાત કરીએ કે આ વર્ષે હોળી કયા દિવસે પ્રકટવવાની છે. તો 17 માર્ચે પૂર્ણિમા તિથિ 17 માર્ચે છે 17 માર્ચે છે. હોળી દહનનું મુહૂર્ત 17 માર્ચે બપોરે 1 વાગ્યેને 29 મિનિટથી શરૂ કરીને 18 માર્ચ 12 બપોરે 12 વાગ્યેને 47 મિનિટ સુધી છે. જયોતિષ શાસ્ત્રના કહેવા મુજબ હોળી પ્રકટાવવાનું મુહૂર્ત 17 માર્ચે રાત્રે 9 વાગ્યેને 20 મિનિટથી રાત્રે 10 વાગ્યેને 31 મિનિટ સુધી રહેશે. હોળી દહન માટે 1 કલાકને 10 મિનિટનો સમય રહેશે.18 માર્ચે ધૂળેટી મનાવવાની રહેશે.

હોળી દહનનુ મુહૂર્ત કોઇ પણ તહેવાર કરતા વધારે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ધર્મશાસ્ત્રોની માન્યતા મુજબ હોળીની પુજા મુર્હૂતના યોગ્ય સમય પર ન થાય તો મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

હિંદુ ધર્મશાસ્ત્રોમાં કહેવા મુજબ હોળીનું દહન પૂર્ણિમા તિથિમાં પ્રદોષ કાળ દરમ્યાન કરવાની હોય છે. ભદ્રા રહિત, પ્રદોષ વ્યાપિની પૂર્ણિમા તિથિ હોળી દહન માટે યોગ્ય માનવામાં આવે છે. જો કોઇ સંજોગોમાં એવો યોગ ન આવે તો ભદ્રા સમાપ્ત થયા પછી હોળી દહન થઇ શકે છે. એ વાતનું ધ્યાન રાખજો કે ભદ્રા મુખમાં હોળીનું દહન કરવુ વર્જિત છે. એવું માનવામાં આવે છે કે ભદ્રા મુખમાં હોળી કરવાથી માત્ર હોળી દહન કરનારનું જ નહી પણ તેમની સાથે જોડાયેલા લોકોનું પણ અહિત થાય છે.

ફાગણ મહિનાના શુક્રલ પક્ષની અષ્ટમી તિથિથી હોળાષ્ટક શરૂ થાય છે અને હોળી દહનના દિવસે પુરા થાય છે. આ વખતે 10 માર્ચ સવારે 2 વાગ્યેને 56 મિનિટથી હોળાષ્ટક શરૂ થશે અને 17 માર્ચે પુરા થશે. હોળાષ્ટકના સમયગાળામાં શુભ કે માંગલિક પ્રસંગો થતા નથી.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.