કાશીના આ કુંડ પર શ્રાદ્ધ કરતા જ પિતૃઓ માટે ખુલી જાય છે મુક્તિના દ્વાર

હિંદુ ધર્મમાં પિતૃની પૂજાને ખૂબ જ વધારે મહત્વ આપવામાં આવ્યું છે અને આ પૂજા માટે દર વર્ષે અશ્વિન માસમાં પિતૃપક્ષના 15 દિવસ ખૂબ જ વધારે અગત્યના માનવામાં આવે છે. પંચાગ અનુસાર, આ વર્ષે પિતૃપક્ષ 29 સપ્ટેમ્બર 2023 શુક્રવારથી લઇ 14 ઓક્ટોબર 2023 શનિવાર સુધી રહેશે. પિતૃપક્ષમાં શ્રાદ્ધ માટે ભારતમાં ઘણાં તીર્થ છે. પણ કાશી નગરી જેને મોક્ષની નગરી માનવામાં આવે છે, ત્યાં સ્થિત પિશાચ મોચન કુંડનું ખૂબ જ વધારે મહત્વ માનવામાં આવે છે. જાણો આ કુંડનું શું મહત્વ છે અને અહીં કયા પ્રકારે શ્રાદ્ધ કરવામાં આવે છે.

કાશીના આ કુંડ પર શ્રાદ્ધનું મહત્વ

હિંદુ માન્યતાઓ અનુસાર, કાશી કે પછી વારાણસીમાં સ્નાન અને ધ્યાનની સાથે દાન વગેરેનું ઘણું મહત્વ છે. પણ આ પ્રાચીન નગરીમાં પિતૃઓની પૂજાનું પણ ખાસ મહત્વ માનવામાં આવે છે. એજ કારણ છે કે દર વર્ષે પિતૃપક્ષ આવતા જ કાશીમાં સ્થિત પિશાચ મોચન કુંડમાં અચાનકથી શ્રાદ્ધ કરનારાઓની ભીડ વધી જાય છે. હિંદુ માન્યતા અનુસાર, કાશીના પિશાચ મોચન કુંડમાં ત્રિપિંડી શ્રાદ્ધ કરાવવાથી ભટકતી આત્માઓને શાંતિ મળી જાય છે. માન્યતા છે કે, અહીં પર કરવામાં આવતા ત્રિપિંડી શ્રાદ્ધથી ભટકતી આત્મા અને પિતૃઓની મુક્તિનો માર્ગ ખુલી જાય છે અને તેઓ વૈકુંઠ ધામ પહોંચી જાય છે.

કોના માટે કરવામાં આવે છે ત્રિપિંડી શ્રાદ્ધ

હિંદુ માન્યતાઓ અનુસાર, જે લોકોનું અકાળ મૃત્યુ થઇ જાય છે તેમને મોટે ભાગે મોક્ષની પ્રાપ્તિ માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે અને તેઓ પ્રેત એટલે કે યોનિમાં ભટકતા રહે છે. એવામાં પિતૃઓને પ્રેત યોનિમાંથી મુક્તિ આપીને તેમને મોક્ષ અપાવવા માટે કાશીના પિશાચ મોચન કુંડ પર વિશેષ કરીને ત્રિપુંડી શ્રાદ્ધ કરાવવામાં આવે છે. ખાસ વાત એ છે કે, ત્રિપિંડી શ્રાદ્ધ માત્ર કાશીના પિશાચ મોચન કુંડ પર કરવામાં આવે છે. જેને કરવા પર પિતૃ આત્માઓ પ્રેત યોનિમાંથી મુક્ત થઇ જાય છે અને તેમનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

આ પૂજાથી મળે છે પિતૃઓને મુક્તિ

હિંદુ માન્યતાઓ અનુસાર, કાશીના પિશાચ મોચન તીર્થ પર એક પીપળાનું વૃક્ષ છે. જેમાં ભટકતી આત્માઓને પીપળાના ઝાડમાં કીલ થોકીને બેસાડવામાં આવે છે. સાથે જ અહીં પર પિતૃઓની પૂજા કરતા સમયે એક સિક્કો પણ મૂકાવવામાં આવે છે જેથી તેઓ દરેક પ્રકારના દેવા અને બાધાઓથી મુક્ત થઇને શ્રીલોક પર પ્રસ્થાન કરે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 12-05-2025 દિવસ: સોમવાર મેષ: આજનો દિવસ તમે આધ્યાત્મિકતાના કામમાં વિતાવશો, પરંતુ કાર્યક્ષેત્રમાં તમારે તમારા ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું પડશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનને લાગ્યો વધુ એક ઝટકો, આ દેશે સીરિઝ રમવાનો કરી દીધો ઇનકાર

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે શનિવાર, 10 મેના રોજ જાહેરાત કરી હતી કે મેન્સ રાષ્ટ્રીય ટીમ 2 મેચની T20 ઇન્ટરનેશનલ સીરિઝ...
Sports 
પાકિસ્તાનને લાગ્યો વધુ એક ઝટકો, આ દેશે સીરિઝ રમવાનો કરી દીધો ઇનકાર

ભારતની સ્પષ્ટ વાત- પાકિસ્તાન સાથે PoK પાછું લેવા અંગે જ વાત થશે, કોઈ મધ્યસ્થીની પણ અમને જરૂર નથી

ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર યુદ્ધવિરામ હોવા છતાં, રાજદ્વારી યુદ્ધ હજુ પણ ચાલુ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે...
National 
ભારતની સ્પષ્ટ વાત- પાકિસ્તાન સાથે PoK પાછું લેવા અંગે જ વાત થશે, કોઈ મધ્યસ્થીની પણ અમને જરૂર નથી

દરેક જણ માતાના પ્રેમ વિશે વાત કરે છે પરંતુ કોઈ પિતાના ત્યાગ વિશે નથી બોલતું

(ઉત્કર્ષ પટેલ) દરેક જણ માતાના પ્રેમ વિશે વાત કરે છે પરંતુ કોઈ પિતાના ત્યાગ વિશે નથી બોલતું. માતાનો પ્રેમ એ...
Opinion 
દરેક જણ માતાના પ્રેમ વિશે વાત કરે છે પરંતુ કોઈ પિતાના ત્યાગ વિશે નથી બોલતું
Copyright (c) Khabarchhe All Rights Reserved.