કાશીના આ કુંડ પર શ્રાદ્ધ કરતા જ પિતૃઓ માટે ખુલી જાય છે મુક્તિના દ્વાર

હિંદુ ધર્મમાં પિતૃની પૂજાને ખૂબ જ વધારે મહત્વ આપવામાં આવ્યું છે અને આ પૂજા માટે દર વર્ષે અશ્વિન માસમાં પિતૃપક્ષના 15 દિવસ ખૂબ જ વધારે અગત્યના માનવામાં આવે છે. પંચાગ અનુસાર, આ વર્ષે પિતૃપક્ષ 29 સપ્ટેમ્બર 2023 શુક્રવારથી લઇ 14 ઓક્ટોબર 2023 શનિવાર સુધી રહેશે. પિતૃપક્ષમાં શ્રાદ્ધ માટે ભારતમાં ઘણાં તીર્થ છે. પણ કાશી નગરી જેને મોક્ષની નગરી માનવામાં આવે છે, ત્યાં સ્થિત પિશાચ મોચન કુંડનું ખૂબ જ વધારે મહત્વ માનવામાં આવે છે. જાણો આ કુંડનું શું મહત્વ છે અને અહીં કયા પ્રકારે શ્રાદ્ધ કરવામાં આવે છે.

કાશીના આ કુંડ પર શ્રાદ્ધનું મહત્વ

હિંદુ માન્યતાઓ અનુસાર, કાશી કે પછી વારાણસીમાં સ્નાન અને ધ્યાનની સાથે દાન વગેરેનું ઘણું મહત્વ છે. પણ આ પ્રાચીન નગરીમાં પિતૃઓની પૂજાનું પણ ખાસ મહત્વ માનવામાં આવે છે. એજ કારણ છે કે દર વર્ષે પિતૃપક્ષ આવતા જ કાશીમાં સ્થિત પિશાચ મોચન કુંડમાં અચાનકથી શ્રાદ્ધ કરનારાઓની ભીડ વધી જાય છે. હિંદુ માન્યતા અનુસાર, કાશીના પિશાચ મોચન કુંડમાં ત્રિપિંડી શ્રાદ્ધ કરાવવાથી ભટકતી આત્માઓને શાંતિ મળી જાય છે. માન્યતા છે કે, અહીં પર કરવામાં આવતા ત્રિપિંડી શ્રાદ્ધથી ભટકતી આત્મા અને પિતૃઓની મુક્તિનો માર્ગ ખુલી જાય છે અને તેઓ વૈકુંઠ ધામ પહોંચી જાય છે.

કોના માટે કરવામાં આવે છે ત્રિપિંડી શ્રાદ્ધ

હિંદુ માન્યતાઓ અનુસાર, જે લોકોનું અકાળ મૃત્યુ થઇ જાય છે તેમને મોટે ભાગે મોક્ષની પ્રાપ્તિ માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે અને તેઓ પ્રેત એટલે કે યોનિમાં ભટકતા રહે છે. એવામાં પિતૃઓને પ્રેત યોનિમાંથી મુક્તિ આપીને તેમને મોક્ષ અપાવવા માટે કાશીના પિશાચ મોચન કુંડ પર વિશેષ કરીને ત્રિપુંડી શ્રાદ્ધ કરાવવામાં આવે છે. ખાસ વાત એ છે કે, ત્રિપિંડી શ્રાદ્ધ માત્ર કાશીના પિશાચ મોચન કુંડ પર કરવામાં આવે છે. જેને કરવા પર પિતૃ આત્માઓ પ્રેત યોનિમાંથી મુક્ત થઇ જાય છે અને તેમનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

આ પૂજાથી મળે છે પિતૃઓને મુક્તિ

હિંદુ માન્યતાઓ અનુસાર, કાશીના પિશાચ મોચન તીર્થ પર એક પીપળાનું વૃક્ષ છે. જેમાં ભટકતી આત્માઓને પીપળાના ઝાડમાં કીલ થોકીને બેસાડવામાં આવે છે. સાથે જ અહીં પર પિતૃઓની પૂજા કરતા સમયે એક સિક્કો પણ મૂકાવવામાં આવે છે જેથી તેઓ દરેક પ્રકારના દેવા અને બાધાઓથી મુક્ત થઇને શ્રીલોક પર પ્રસ્થાન કરે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.