ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંચાગ

તા. 02-07-2019

વાર: મંગળ

વિક્રમ સંવતઃ 2075

મહાવીર જૈન સંવતઃ 2545

શાલીવાહન શક સંવત: 1941

ખ્રિસ્તી સંવત: 2019

માસઃ જેઠ

પક્ષઃ વદ

તિથિ: અમાસ

પારસી તા.: 20

મુસ્લિમ તા.: 28

નક્ષત્રઃ મૃગશિર્ષ

યોગ: વૃદ્ધિ

કરણ: ચતુષ્પાદ

દિશાશૂલ: ઉત્તર દિશામાં યાત્રા કરવાથી મૂંઝવણ રહે.

રાહુકાળ: 15.00થી 16.30 સુધી રાહુકાળમાં કોઇપણ કાર્યનો શુભારંભ કરવો નહીં.

ચંદ્ર રાશિઃ આજે જન્મેલા બાળકોની રાશિ મિથુન છે, તેથી જન્મેલા બાળકોના નામ ક.છ.ઘ. અક્ષર પર રાખી શકાય

આજનું ભવિષ્ય...

મેષ(અ.લ.ઈ): એકાંતપ્રિય વાતાવરણના શોખીન બનશો. કામ કરવામાં ઉત્સાહ અને ઉમંગ વધશે. સુંદરતા પ્રત્યે આકર્ષણ વધશે. સ્થાયી પ્રોપર્ટી સુખમાં વધારો થાય. દાંપત્યજીવનમાં કડવાશ અનુભવશો.

વૃષભ(બ.વ.ઉ): નવા સ્નેહ સંબંધોમાં વધારો થાય. માંગલિક પ્રસંગો ઉજવાય. રમણીય સ્થળોથી લાભ થાય. સ્નેહીજનના મીઠા-મધુર સમાચાર મળે. આવકની સ્થિતિ યથાવત જળવાઇ રહેશે.

મિથુન(ક.છ.ઘ): આશાઓ ફળિભૂત થતા મનમાં આશાના કિરણો જાગૃત થાય. નવા સાહસોમાં સિદ્ધિનું શિખર માપી શકશો. મોજશોખના પ્રસાધનની ખરીદી કરી શકશો.

કર્ક(ડ.હ.): કાયદાકીય બાબતમાં સ્પષ્ટ રહેવું. નોકરીયાત વર્ગને અધિકારી વર્ગનો ઠપકો મળે. સંતાન સાથે વૈચારિક મતભેદ ટાળવા. વિવાદની સ્થિતિમાંથી માર્ગ મળે.

સિંહ(મ.ટ.): મિશ્રફળની અનુભૂતિ થાય. નવા મકાનની ખરીદી કરી શકશો. સુખ-સમૃદ્ધિમાં વધારો થાય. ઇત્તર પ્રવૃત્તિમાં ભાગ લઇ શકશો. મહેનતના પ્રમાણમાં સારું ફળ પ્રાપ્ત કરી શકશો.

કન્યા(પ.ઠ.ણ.): ટૂંકી મુસાફરી લાભદાયી નીવડે. પારિવારિક સુખ-સમૃદ્ધિમાં વધારો થાય. શૃંગાર સજાવટની વસ્તુઓની ખરીદી કરી શકશો. દાંપત્યજીવનમાં ઉતાર-ચઢાવ જોવા મળે.

તુલા(ર.ત.): કાર્યક્ષેત્રે આગવી પ્રતિભા વિકસાવી શકશો. મનોરંજનના પ્રસાધનોની ખરીદી કરી શકશો. વિલંબમાં પડેલા કાર્યોને પતાવી શકશો. જાહેર સામાજિક ક્ષેત્રે લાભદાયી પ્રવૃત્તિઓ થાય.

વૃશ્ચિક(ન.ય.): વડીલ વ્યક્તિના સ્વાસ્થ્ય બાબતે ચિંતા રહે. કોઇને મદદ કરવા જતા પોતે જ કટોકટીમાં ફસાઇ ન જાવ તેની તકેદારી રાખવી. મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળશે.

ધન(ભ.ધ.ફ.ઢ.): શુભ સમાચારથી મન આનંદ વિભોર બની જાય. પત્ની સાથે વાતાવરણ મધુર બને. આરોગ્ય વિષયક ચિંતા હળવી થતી જણાય. કાર્યક્ષેત્રે આકસ્મિક લાભ થાય.

મકર(જ.ખ.): સ્થાયી પ્રોપર્ટીથી લાભ થાય. કાર્યક્ષેત્રે નવા આયોજનો લાભદાયી નીવડે. મોસાળ પક્ષથી લાભ થાય. પારકાના વિવાદમાં પડવું નહીં. આવકના સાધનો વધે.

કુંભ(ગ.શ.સ.): વધુ ચંચળ અને સ્પષ્ટવક્તા બનવાથી ધારેલા કાર્યો પૂર્ણ કરી શકશો. જીવનસાથીનો કાર્યક્ષેત્રે પૂર્ણ સહકાર મળી રહેશે. ધાર્મિક કાર્યો નિમિત્તે પ્રવાસનું આયોજન સરળ બનશે.

મીન(દ.ચ.ઝ.થ.): કુટુંબીજનો સાથે સંબંધોમાં તિરાડ પડે. આવેશશીલ સ્વભાવના કારણે મૂંઝવણમાં વધારો થાય. કોઇની સાથે વધુ પડતી ચર્ચા વિચારણા કરવાનું ગમશે નહીં.

------

જ્યોતિષાચાર્ય ડૉ.મહેશ દશોરા

619, ITC બિલ્ડિંગ, મજુરા ગેટ, રિંગરોડ, સુરત. સંપર્કઃ 94261 35316, 0261-2477880

મુલાકાતનો સમયઃ સોમથી શુક્ર, બપોરે 1થી 7

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.