સુરતમાં રત્નકલાકારનો આપઘાત, મહેસાણામાં પશુપાલકે 30 ઉંઘની ગોળી ખાધી, કારણ સરખું

વ્યાજખોના અજગર ભરડાને નાથવા માટે પોલીસ છેલ્લાં કેટલાંક સમયથી કડક પગલાં લઇ રહી છે, છતા વ્યાજ ખોરીનું દુષણ દુર થવાનું નામ નથી લેતું. હજુ થોડા દિવસ પહેલાં રાજકોટમાં એક કોલસાના વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી પોતાની દુકાનમાં આપઘાત કરી લીધો હતો. તો હવે સુરતમાં પણ એક રત્નકલાકારે વ્યાજખોરોના આતંકથી કંટાળીને જીવન ટુંકાવી દીધું છે. મહેસાણામાં પણ વ્યાજખોરોની હેરાનગતિનો કિસ્સોસામે આવ્યો છે.

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી ગ્રીન વેલી બિલ્ડીંગમાં પરિવાર સાથે રહેતા અને રત્ન કલાકાર તરીકે કામ કરતા અમિત સાવલિયાએ લેણદારોથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. જાણવા મળેલી માહિતી મુજબ અમિત સાવલિયાને લેણદારો ફોન કરીને સતત ધમકી આપતા હતા, જેથી સાવલિયાએ અંતિમ પગલું ભરી લીધું હતું. સરથાણા પોલીસ વધુ તપાસ કરી રહી છે.

મહેસાણાના વિસનગરમાં રહેતા એક પશુપાલકે પશુ ખરીદવા માટે કિરીટ સેવંતીલાલ શાહ પાસેથી 22 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. જાણવા મળેલી માહિતી મુજબ પશુપાલકે 22 લાખની સામે 1 કરોડ રૂપિયાની રકમ ચુકવી દીધી હોવા છતા કિરીટ શાહ તેની પાસેથી વધુ 32 લાખ રૂપિયાની માંગણી કરતો હતો. વારંવારની ઉઘરાણીથી કંટાળી ગયેલા પશુપાલકે ઉંઘની એક સાથે 30 ગોળી ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

ગયા મહિને વિસનગરમાં જ આવો બનાવ બન્યો હતો. રેડીમેડનો ધંધો કરતા નવીન ચૌહાણે ધંધા માટે જયદીપ પટેલ પાસેથી પહેલા 1 લાખ અને પછી 6 લાખ રૂપિયા 3 ટકાના વ્યાજે લીધા હતા. એ પછી કોરોના મહામારીના સમયે નવીન ચૌહાણ રૂપિયા ચુકવી શક્યા નહોતા, પરંતુ એ પછી તેમણે 8.50 લાખ રૂપિયા ચુકવી દીધા હતા. આમ છતા જયદીપ પટેલે વધુ 6.40 લાખ રૂપિયાની માંગણી કરતા નવીન ચૌહાણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

હજુ થોડા દિવસ પહેલાંની જ વાત છે, રાજકોટમાં કોલસાના વેપાર સાથે સંકળાયેલા એક યુવાને પોતાની દુકાનમાં ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. યુવાને વ્યાજે પૈસા લીધી હતા અને તેની સામે 10 ગણી રકમ ચુકવી દીધા પછી પણ વ્યાજખોરોએ તેનું ઘર લખાવી લીધું હતું અને છતા રૂપિયાની માંગણી ચાલું રાખી હતી.વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આ યુવાને આપઘાત કરી લીધો હતો અને સાથે સ્યુસાઇડ નોટમાં વ્યાજખોરોના નામ પણ લખી દીધા હતા. પરિવારે વ્યાજખોરોની ધરપકડ ન થાય ત્યાં સુધી યુવાનનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી હતી.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.