ટાટા પછી હવે આ કંપનીની પણ લેબ-ગ્રોન ડાયમંડ્સ બજારમાં એન્ટ્રી

ટાટા ગ્રૂપની ટ્રેન્ટ કંપનીના POME બ્રાન્ડ લોંચ કર્યા પછી, હવે આદિત્ય બિરલા ગ્રૂપની ઇન્દ્રિયા પણ લેબ-ગ્રો ડાયમંડ માર્કેટમાં પ્રવેશ માટે વિચારી રહી છે. ઇન્દ્રિયા આગામી 18 મહિનામાં 100 નવા સ્ટોર ખોલવાની યોજના બનાવી રહી છે અને લેબ-ગ્રોન ડાયમંડમાં સેક્ટરમાં પણ ઉતરવાનું વિચારી રહી છે.

2024માં ₹5000 કરોડના રોકાણ સાથે શરૂ થયેલ ઇન્દ્રિયા હાલમાં નવી દિલ્હી, અમદાવાદ, પુણે અને ઇન્દોરમાં 12 સ્ટોર ચલાવે છે. જાન્યુઆરી 2025 સુધી આ સંખ્યા 14 સુધી પહોંચી શકે છે. કંપની ઝડપથી વિસ્તરણ માટે ફ્રેન્ચાઇઝી મોડલ પર વિચાર કરી રહી છે.

સીઇઓ સંદીપ કોહલીએ જણાવ્યું કે ઇન્દ્રિયા હજી પણ પ્રાકૃતિક ડાયમંડ પર જ ફોકસ કરી રહી છે. જોકે, જ્યારે લેબ-ગ્રો ડાયમંડ ઝડપથી લોકપ્રિય બની રહ્યા છે. ટાટા ગ્રૂપના પગલાંને જોતા, ઇન્દ્રિયા પણ ગ્રાહક માંગ મુજબ આ દિશામાં આગળ વધવા માટે તૈયાર છે.

ઇન્દ્રિયાનો હેતુ તનિષ્ક, રિલાયન્સ જ્વેલ્સ, કલ્યાણ જ્વેલર્સ, સેન્કો ગોલ્ડ, જોયાલુક્કાસ અને માલાબાર ગોલ્ડ જેવી અગ્રણી બ્રાન્ડ્સ સાથે સ્પર્ધા કરવાનો છે. ટાટા પછી બિરલા પણ લેબ-ગ્રો ડાયમંડ માર્કેટમાં પ્રવેશ કરી રહ્યો છે, જે ભારતના હીરા ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ તબક્કો સાબિત થઈ શકે છે.

ટાટા ગ્રૂપની ટ્રેન્ટ કંપનીએ POME બ્રાન્ડ લૉન્ચ કર્યું છે, જ્યારે ગોલ્ડિયમ ઈન્ટરનેશનલએ ORIGEM બ્રાન્ડ શરૂ કર્યું છે. તેમ છતાં, વધુ ઉત્પાદન અને કિંમતોના ચઢાવ-ઉતાર જેવી બાબતો આ સેક્ટરમાં ચિંતાનો વિષય છે. ઇન્દ્રિયાની વિસ્તરણ યોજના અને લેબ-ગ્રો ડાયમંડ પ્રત્યેનું તેનું વલણ ભારતીય જ્વેલરી ઉદ્યોગ માટે એક નવો દિશા સૂચવતો વલણ બની શકે છે.

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.