આ તારીખથી પંપો પર નહીં મળે CNG, અચોક્કસ મુદ્દતની હડતાળ પર જશે ડીલર્સ

રાજ્યમાં CNG વેચાણ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. CNG વાહન ચાલકો માટે આ મોટા સમાચાર છે કેમ કે, 3 માર્ચથી અચોક્કસ મુદ્દત સુધી CNG નહીં વેચાય. ડીલર માર્જિનમાં વધારો ના થાય ત્યાં સુધી CNG વેચાણ પર આ મામલે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું હતું.

શુક્રવારે સવારે 7 વાગ્યાથી CNG લોકોને મહીં મળી શકે, નવી જાહેરાત ના થાય ત્યાં સુધી આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે. 3 માર્ચ સુધી ઓચોક્કસ મુદ્દતની હડતાળ કરવામાં આવી છે.

55 મહિનાથી CNG વેચાણ મામલે માર્જિન ના વધતા આ નારાજગી જોવા મળી રહી છે. અચોક્કસ મુદ્દતે હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. સરકારે CNG પરનો વેટ 15 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો છે ત્યારે બીજી તરફ માર્જિન મામલે નારાજગી જોવા મળી રહી છે. જેથી આ માર્જિન નહીં વધારવામાં આવે તો વેચાણ બંધ કરશે. જે માટે 10 ટકા વધારાની માંગ કરવામાં આવી રહી છે.

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસેએશન દ્વારા આ જાહેર કરવામાં આવી છે. અગાઉ પણ CNG મામલે દક્ષિણ ગુજરાતના CNG પંપ બંધ રહ્યા હતા. આ ઉપરાંત અવાર નવાર આ પ્રકારે વિરોધ જોવા મળ્યો છે ત્યારે ફરી એકવાર ડીલર માર્જિનમાં વધારો ના થાય ત્યાં સુધી CNG વેચાણ પર આ મામલે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું હતું. નવી જાહેરાત ના થાય ત્યાં સુધી CNG નહીં આપવાનો હાલ પૂરતો નિર્ણય લેવામાં આવ્યો છે.

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.