વધતી માંગથી સરકાર ચિંતિત, શું સોના-ચાંદીને લઈને બજેટમાં ખેલ થવાનો છે?

ભાવ વધી રહ્યા છે, છતા લોકો તેમની ખરીદી રહ્યા છે. સોના અને ચાંદીની વાત થઈ રહી છે, અને હવે સરકાર આ વધતી કિંમતોને કાબૂમાં લેવા માંગે છે. જોકે, ભાવ વધારા પાછળ આંતરરાષ્ટ્રીય કારણો છે. પરંતુ, ભારતમાં સોના અને ચાંદીમાં ઝડપથી થઈ રહેલું રોકાણ સરકાર માટે ચિંતાનો વિષય છે. બજેટ આવી રહ્યું છે, જે થોડા દિવસોમાં રજૂ કરવામાં આવશે, જેમાં સરકાર સોના અને ચાંદી અંગે મોટા નિર્ણયો લઈ શકે છે.

એવા સમાચાર મળી રહ્યા છે કે સરકાર સોના અને ચાંદી પર આયાત ડ્યૂટી વધારવાના વિકલ્પ પર વિચાર કરી રહી છે. આનું મોટું કારણ એ છે કે ભાવમાં ઝડપી વધારા છતા સોના અને ચાંદીની આયાત રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, જેથી રૂપિયા પર દબાણ વધી રહ્યું છે અને વેપાર નુકસાનમાં વધારો થઇ રહ્યો છે. તાજેતરના અહેવાલો અનુસાર, ઊંચા ભાવ હોવા છતા ભારતમાં સોના અને ચાંદીની માંગ ઘટી રહી નથી.

gold-silver1
newsonair.gov.in

વર્ષ 2025માં ભારતની સોનાની આયાત લગભગ 59 અબજ ડોલર સુધી પહોંચી ગઈ, જ્યારે ચાંદીની આયાત વાર્ષિક ધોરણે 44 ટકા વધીને લગભગ 9 અબજ ડોલર થઈ ગઈ. આટલી મોટી માત્રામાં આયાતથી વિદેશી હૂંડિયામણ પર દબાણ આવ્યું છે અને રૂપિયાનું મૂલ્ય નબળું પડ્યું છે. ભારતના કુલ 750 અબજ ડોલરના આયાત બિલમાં બંને કિંમતી ધાતુઓનો હિસ્સો લગભગ 9% છે. હાલમાં, દેશમાં સોના અને ચાંદી પર 6 ટકા આયાત ડ્યૂટી લાગૂ છે. અગાઉ, આ દર 15 ટકા સુધીનો હતો.

નિષ્ણાતોનું કહેવું છે કે વૈશ્વિક અનિશ્ચિતતા, ભૂ-રાજકીય તણાવ અને શેરબજારની અસ્થિરતાને કારણે રોકાણકારો સોના અને ચાંદી જેવા સેફ હેવન એસેટ્સ તરફ વળ્યા છે. આ ઉપરાંત સોના અને ચાંદીના ETFમાં રેકોર્ડ રોકાણોએ માંગને વધુ મજબૂત બનાવી છે.

સરકાર હવે આયાતને નિયંત્રિત કરવાના પડકારનો સામનો કરી રહી છે. એટલે, આયાત ડ્યૂટી વધારવાને એક વિકલ્પ તરીકે જોવામાં આવે છે જેથી બિન જરૂરી આયાતને કાબુમાં લઈ શકાય અને ચાલુ ખાતાનું નુકસાન થોડું ઓછું કરી શકાય. જો કે, ડ્યૂટી વધારવાથી તસ્કરીનું જોખમ પણ વધે છે.

gold-silver
outlookmoney.com

ઘણા અહેવાલો અનુસાર, બજેટ 2026 અગાઉ આ મુદ્દા પર ગંભીર ચર્ચા ચાલી રહી છે. જો સરકાર ડ્યૂટી વધારવાનો નિર્ણય લે છે, તો તે સ્થાનિક સોના અને ચાંદીના ભાવ, જ્વેલરી ઈન્ડસ્ટ્રીઝ અને રોકાણકારોને અસર કરી શકે છે. હાલમાં, બજાર અને ઉદ્યોગની નજર સરકારના આગામી પગલા પર છે.

28 જાન્યુઆરી, 2026ના રોજ સોનાનો ભાવ વધીને 1,64,000 પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો હતો, જ્યારે ચાંદીનો ભાવ રેકોર્ડ 3,84,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો. જોકે, ઇતિહાસ બતાવે છે કે આયાત ડ્યૂટીમાં વધારો કરવાથી સોનાની માંગ પર અંકુશ લગાવવામાં કોઈ ખાસ સફળતા મળી નથી. ઓગસ્ટ 2013માં, સોના પરની આયાત ડ્યૂટી 2% થી વધારીને 10% કરવામાં આવી હતી, છતા પણ માંગ યથાવત રહી.

About The Author

Related Posts

Top News

જેફરી એપસ્ટિન ફાઇલ્સમાં PM મોદી અંગે વિદેશ મંત્રાલય (MEA)ની સ્પષ્ટ અને કડક પ્રતિક્રિયા

અમેરિકામાં તાજેતરમાં જાહેર કરાયેલી જેફરી એપસ્ટિનની ફાઇલ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ થતાં રાજકીય વિવાદ ઉભો થયો છે. આ અંગે...
National 
જેફરી એપસ્ટિન ફાઇલ્સમાં PM મોદી અંગે વિદેશ મંત્રાલય (MEA)ની સ્પષ્ટ અને કડક પ્રતિક્રિયા

ફ્લાયઓવર બનવામાં મોડું થતા અધિકારીઓ સામે જ FIR દાખલ કરી દેવામાં આવી

દિલ્હીમાં બારાપુલા ફેઝ-3 ફ્લાયઓવરનું કામ ઘણા મહિનાઓથી અટકી પડ્યું છે. દિલ્હી ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB)એ હવે પ્રોજેક્ટમાં...
National 
ફ્લાયઓવર બનવામાં મોડું થતા અધિકારીઓ સામે જ FIR દાખલ કરી દેવામાં આવી

પ્રેમીએ લગ્ન ન કર્યા તો બદલો લેવા પ્રેમિકાએ ડૉક્ટર બોયફ્રેન્ડની પત્નીને HIVનું ઇન્જેકશન આપી દીધું!

આંધ્રપ્રદેશના કુર્નૂલથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. એક મહિલાએ એક ડોક્ટરને HIVનું ઇન્જેક્શન આપી દીધું હતું. આ ઘટનાના...
National 
પ્રેમીએ લગ્ન ન કર્યા તો બદલો લેવા પ્રેમિકાએ ડૉક્ટર બોયફ્રેન્ડની પત્નીને HIVનું ઇન્જેકશન આપી દીધું!

ASP અનુજ ચૌધરી વિરુદ્ધ FIRનો આદેશ આપનારા જજનું 12 વર્ષમાં 15 ટ્રાન્સફર થયું છે

સંભલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) વિભાંશુ સુધીરની બદલીએ નોકરશાહી, રાજકારણ અને ન્યાયતંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. સંભલ હિંસા...
National 
ASP અનુજ ચૌધરી વિરુદ્ધ FIRનો આદેશ આપનારા જજનું 12 વર્ષમાં 15 ટ્રાન્સફર થયું છે

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.