વધતી માંગથી સરકાર ચિંતિત, શું સોના-ચાંદીને લઈને બજેટમાં ખેલ થવાનો છે?

ભાવ વધી રહ્યા છે, છતા લોકો તેમની ખરીદી રહ્યા છે. સોના અને ચાંદીની વાત થઈ રહી છે, અને હવે સરકાર આ વધતી કિંમતોને કાબૂમાં લેવા માંગે છે. જોકે, ભાવ વધારા પાછળ આંતરરાષ્ટ્રીય કારણો છે. પરંતુ, ભારતમાં સોના અને ચાંદીમાં ઝડપથી થઈ રહેલું રોકાણ સરકાર માટે ચિંતાનો વિષય છે. બજેટ આવી રહ્યું છે, જે થોડા દિવસોમાં રજૂ કરવામાં આવશે, જેમાં સરકાર સોના અને ચાંદી અંગે મોટા નિર્ણયો લઈ શકે છે.

એવા સમાચાર મળી રહ્યા છે કે સરકાર સોના અને ચાંદી પર આયાત ડ્યૂટી વધારવાના વિકલ્પ પર વિચાર કરી રહી છે. આનું મોટું કારણ એ છે કે ભાવમાં ઝડપી વધારા છતા સોના અને ચાંદીની આયાત રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, જેથી રૂપિયા પર દબાણ વધી રહ્યું છે અને વેપાર નુકસાનમાં વધારો થઇ રહ્યો છે. તાજેતરના અહેવાલો અનુસાર, ઊંચા ભાવ હોવા છતા ભારતમાં સોના અને ચાંદીની માંગ ઘટી રહી નથી.

gold-silver1
newsonair.gov.in

વર્ષ 2025માં ભારતની સોનાની આયાત લગભગ 59 અબજ ડોલર સુધી પહોંચી ગઈ, જ્યારે ચાંદીની આયાત વાર્ષિક ધોરણે 44 ટકા વધીને લગભગ 9 અબજ ડોલર થઈ ગઈ. આટલી મોટી માત્રામાં આયાતથી વિદેશી હૂંડિયામણ પર દબાણ આવ્યું છે અને રૂપિયાનું મૂલ્ય નબળું પડ્યું છે. ભારતના કુલ 750 અબજ ડોલરના આયાત બિલમાં બંને કિંમતી ધાતુઓનો હિસ્સો લગભગ 9% છે. હાલમાં, દેશમાં સોના અને ચાંદી પર 6 ટકા આયાત ડ્યૂટી લાગૂ છે. અગાઉ, આ દર 15 ટકા સુધીનો હતો.

નિષ્ણાતોનું કહેવું છે કે વૈશ્વિક અનિશ્ચિતતા, ભૂ-રાજકીય તણાવ અને શેરબજારની અસ્થિરતાને કારણે રોકાણકારો સોના અને ચાંદી જેવા સેફ હેવન એસેટ્સ તરફ વળ્યા છે. આ ઉપરાંત સોના અને ચાંદીના ETFમાં રેકોર્ડ રોકાણોએ માંગને વધુ મજબૂત બનાવી છે.

સરકાર હવે આયાતને નિયંત્રિત કરવાના પડકારનો સામનો કરી રહી છે. એટલે, આયાત ડ્યૂટી વધારવાને એક વિકલ્પ તરીકે જોવામાં આવે છે જેથી બિન જરૂરી આયાતને કાબુમાં લઈ શકાય અને ચાલુ ખાતાનું નુકસાન થોડું ઓછું કરી શકાય. જો કે, ડ્યૂટી વધારવાથી તસ્કરીનું જોખમ પણ વધે છે.

gold-silver
outlookmoney.com

ઘણા અહેવાલો અનુસાર, બજેટ 2026 અગાઉ આ મુદ્દા પર ગંભીર ચર્ચા ચાલી રહી છે. જો સરકાર ડ્યૂટી વધારવાનો નિર્ણય લે છે, તો તે સ્થાનિક સોના અને ચાંદીના ભાવ, જ્વેલરી ઈન્ડસ્ટ્રીઝ અને રોકાણકારોને અસર કરી શકે છે. હાલમાં, બજાર અને ઉદ્યોગની નજર સરકારના આગામી પગલા પર છે.

28 જાન્યુઆરી, 2026ના રોજ સોનાનો ભાવ વધીને 1,64,000 પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો હતો, જ્યારે ચાંદીનો ભાવ રેકોર્ડ 3,84,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો. જોકે, ઇતિહાસ બતાવે છે કે આયાત ડ્યૂટીમાં વધારો કરવાથી સોનાની માંગ પર અંકુશ લગાવવામાં કોઈ ખાસ સફળતા મળી નથી. ઓગસ્ટ 2013માં, સોના પરની આયાત ડ્યૂટી 2% થી વધારીને 10% કરવામાં આવી હતી, છતા પણ માંગ યથાવત રહી.

About The Author

Top News

CRPF પોલીસ અધિકારી રાત્રે 2 વાગ્યે તેની પરિણીત પ્રેમિકાને મળવા ગયો, લોકોએ માર માર્યો

ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાંથી પ્રેમ પ્રકરણનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવક તેની પરિણીત પ્રેમિકાના ઘરે રાત્રે 2 વાગ્યે...
National 
CRPF પોલીસ અધિકારી રાત્રે 2 વાગ્યે તેની પરિણીત પ્રેમિકાને મળવા ગયો, લોકોએ માર માર્યો

આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના પુંગનુર શહેરમાં એક ગોઝારી ઘટના બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. આ ઘટનામાં...
National 
આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે મધ્ય પૂર્વમાં તણાવ વધાર્યો છે. મધ્ય પૂર્વ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ અને...
Business 
LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઘણીવાર પોતાના અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં છવાયેલો રહે છે. તાજેતરમાં, તે તેની નવી...
Sports 
હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...
Copyright (c) Khabarchhe All Rights Reserved.