વધતી માંગથી સરકાર ચિંતિત, શું સોના-ચાંદીને લઈને બજેટમાં ખેલ થવાનો છે?

ભાવ વધી રહ્યા છે, છતા લોકો તેમની ખરીદી રહ્યા છે. સોના અને ચાંદીની વાત થઈ રહી છે, અને હવે સરકાર આ વધતી કિંમતોને કાબૂમાં લેવા માંગે છે. જોકે, ભાવ વધારા પાછળ આંતરરાષ્ટ્રીય કારણો છે. પરંતુ, ભારતમાં સોના અને ચાંદીમાં ઝડપથી થઈ રહેલું રોકાણ સરકાર માટે ચિંતાનો વિષય છે. બજેટ આવી રહ્યું છે, જે થોડા દિવસોમાં રજૂ કરવામાં આવશે, જેમાં સરકાર સોના અને ચાંદી અંગે મોટા નિર્ણયો લઈ શકે છે.

એવા સમાચાર મળી રહ્યા છે કે સરકાર સોના અને ચાંદી પર આયાત ડ્યૂટી વધારવાના વિકલ્પ પર વિચાર કરી રહી છે. આનું મોટું કારણ એ છે કે ભાવમાં ઝડપી વધારા છતા સોના અને ચાંદીની આયાત રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, જેથી રૂપિયા પર દબાણ વધી રહ્યું છે અને વેપાર નુકસાનમાં વધારો થઇ રહ્યો છે. તાજેતરના અહેવાલો અનુસાર, ઊંચા ભાવ હોવા છતા ભારતમાં સોના અને ચાંદીની માંગ ઘટી રહી નથી.

gold-silver1
newsonair.gov.in

વર્ષ 2025માં ભારતની સોનાની આયાત લગભગ 59 અબજ ડોલર સુધી પહોંચી ગઈ, જ્યારે ચાંદીની આયાત વાર્ષિક ધોરણે 44 ટકા વધીને લગભગ 9 અબજ ડોલર થઈ ગઈ. આટલી મોટી માત્રામાં આયાતથી વિદેશી હૂંડિયામણ પર દબાણ આવ્યું છે અને રૂપિયાનું મૂલ્ય નબળું પડ્યું છે. ભારતના કુલ 750 અબજ ડોલરના આયાત બિલમાં બંને કિંમતી ધાતુઓનો હિસ્સો લગભગ 9% છે. હાલમાં, દેશમાં સોના અને ચાંદી પર 6 ટકા આયાત ડ્યૂટી લાગૂ છે. અગાઉ, આ દર 15 ટકા સુધીનો હતો.

નિષ્ણાતોનું કહેવું છે કે વૈશ્વિક અનિશ્ચિતતા, ભૂ-રાજકીય તણાવ અને શેરબજારની અસ્થિરતાને કારણે રોકાણકારો સોના અને ચાંદી જેવા સેફ હેવન એસેટ્સ તરફ વળ્યા છે. આ ઉપરાંત સોના અને ચાંદીના ETFમાં રેકોર્ડ રોકાણોએ માંગને વધુ મજબૂત બનાવી છે.

સરકાર હવે આયાતને નિયંત્રિત કરવાના પડકારનો સામનો કરી રહી છે. એટલે, આયાત ડ્યૂટી વધારવાને એક વિકલ્પ તરીકે જોવામાં આવે છે જેથી બિન જરૂરી આયાતને કાબુમાં લઈ શકાય અને ચાલુ ખાતાનું નુકસાન થોડું ઓછું કરી શકાય. જો કે, ડ્યૂટી વધારવાથી તસ્કરીનું જોખમ પણ વધે છે.

gold-silver
outlookmoney.com

ઘણા અહેવાલો અનુસાર, બજેટ 2026 અગાઉ આ મુદ્દા પર ગંભીર ચર્ચા ચાલી રહી છે. જો સરકાર ડ્યૂટી વધારવાનો નિર્ણય લે છે, તો તે સ્થાનિક સોના અને ચાંદીના ભાવ, જ્વેલરી ઈન્ડસ્ટ્રીઝ અને રોકાણકારોને અસર કરી શકે છે. હાલમાં, બજાર અને ઉદ્યોગની નજર સરકારના આગામી પગલા પર છે.

28 જાન્યુઆરી, 2026ના રોજ સોનાનો ભાવ વધીને 1,64,000 પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો હતો, જ્યારે ચાંદીનો ભાવ રેકોર્ડ 3,84,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો. જોકે, ઇતિહાસ બતાવે છે કે આયાત ડ્યૂટીમાં વધારો કરવાથી સોનાની માંગ પર અંકુશ લગાવવામાં કોઈ ખાસ સફળતા મળી નથી. ઓગસ્ટ 2013માં, સોના પરની આયાત ડ્યૂટી 2% થી વધારીને 10% કરવામાં આવી હતી, છતા પણ માંગ યથાવત રહી.

About The Author

Top News

ચૈત્ર નવરાત્રી: ગુરુવારથી થશે શક્તિની આરાધનાનો પ્રારંભ, જાણો શુભ મુહૂર્ત, પૂજાવિધિ

હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર મનાતી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ આવતીકાલથી થઈ રહ્યો છે. નવ દિવસ સુધી ચાલતો આ મહોત્સવ આદ્યશક્તિ...
Astro and Religion 
ચૈત્ર નવરાત્રી: ગુરુવારથી થશે શક્તિની આરાધનાનો પ્રારંભ, જાણો શુભ મુહૂર્ત, પૂજાવિધિ

12GB RAM વાળો ‘Lava Bold 2 5G’ ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

15,000 રૂપિયા સુધીના બજેટમાં નવો ફોન શોધી રહેલા ગ્રાહકો માટે Lavaએ એક નવો બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ‘Lava...
Tech and Auto 
12GB RAM વાળો ‘Lava Bold 2 5G’ ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

ટ્રમ્પ સરકારને ઝટકો, NCTCના ડિરેક્ટરનું રાજીનામું, કહ્યું- ઈરાન અમેરિકા માટે ખતરો નહોતો

ઈરાન સામેના યુદ્ધને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે પોતાના જ વહીવટીતંત્રમાં ઘેરાતા જોવા મળી રહ્યા છે. વિપક્ષી સાંસદોના વિરોધ...
World 
ટ્રમ્પ સરકારને ઝટકો, NCTCના ડિરેક્ટરનું રાજીનામું, કહ્યું- ઈરાન અમેરિકા માટે ખતરો નહોતો

શક્તિસિંહ ગોહિલ-ગુજરાત કોંગ્રેસના એક 'રોયલ હિપ્પી' હવે શું કરશે?

ગુજરાત કોંગ્રેસના મોટા નેતા શક્તિસિંહ ગોહિલે હાલની રાજ્યસભામાં પોતાનું છેલ્લું ભાષણ આપ્યું. લીમડાના રાજવી પરિવારમાં જન્મેલા શક્તિસિંહ કહ્યું કે તેઓ...
Politics 
શક્તિસિંહ ગોહિલ-ગુજરાત કોંગ્રેસના એક 'રોયલ હિપ્પી' હવે શું કરશે?

Opinion

શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શંકરભાઈ લાઘડીરભાઈ ચૌધરી એક એવા વ્યક્તિ છે જેમણે...
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ
કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.