બ્રિટનના પૂર્વ PM બોરિસ જોનસનના ભાઇએ અદાણી સાથે જોડાયેલી કંપનીમાંથી રાજીનામું

બ્રિટનના પૂર્વ વડાપ્રધાન જોનસનના નાના ભાઇ લોર્ડ જો જોનસને અદાણી એન્ટરપ્રાઇસીસના ફોલો ઑન પબ્લિક ઓફર (FPO) સાથે જોડાયેલી કંપનીના ગેર કાર્યકારી ડિરેક્ટરના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ બ્રિટનનું એક ફર્મ છે, જેણે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપનીના FPOમાં રોકાણ કર્યું છે. એક દિવસ અગાઉ જ અદાણીએ પોતાના FPOને પરત લેવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ કંપનીના શેરમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે.

‘ધ ફાઇનાન્શિયલ ટાઇમ્સ’ અખબારના UK કંપનીઝ હાઉસના રેકોર્ડનો સંદર્ભ આપતા ખુલાસો કર્યો કે 51 વર્ષીય લોર્ડ જોનસનને ગયા વર્ષે જૂનમાં લંડન સ્થિત એલારા કેપિટલ PLCના ડિરેક્ટરના રૂપમાં નિમણૂક કરવામાં આવી હતી, જેવા જ અદાણી ગ્રુપે બુધવારે પોતાના FPOને પરત લેવાની જાહેરાત કરી, જો જોનસને રાજીનામું આપી દીધું. એલારા એક પૂંજી બજારમાં રોકાણ કરનારી કંપની છે, જે ભારતીય કોર્પોરેટ્સ માટે ધન ભેગું કરવાનું કામ કરે છે.

તે FPO દ્વારા પૈસા બનાવે છે. લોર્ડ જો જોનસને જણાવ્યું કે તેમણે કંપનીનું સારી સ્થિતિનું આશ્વાસન આપ્યું અને ડોમેન વિશેષજ્ઞતાની કમીના કારણે તેમણે પદ છોડી દીધું છે. રાજીનામાના સમાચાર સામે આવવા પર તેમણે કહ્યું કે, હું UK-ભારત વેપાર અને રોકાણ સંબંધોમાં યોગદાન કરવાની આશામાં ગત જૂનમાં એક સ્વતંત્ર ગેરકાર્યકારી ડિરેક્ટરના રૂપમાં લંડન સ્થિત એક ભારત કેન્દ્રિત રોકાણ ફર્મ એલારા કેપિટલના બોર્ડમાં સામેલ થયો હતો. મને એલારા કેપિટલ તરફથી સતત બતાવવામાં આવ્યું કે આ કંપની કાયદાકીય દાયિત્વને અનુરૂપ છે.

હિંડનબર્ગના રિપોર્ટ બાદ એક અઠવાડિયામાં અદાણી ગ્રુપની કંપનીઓને 100 અબજ ડોલરના માર્કેટ કેપિટલાઇઝેશનનું નુકસાન થયું. હિંડનબર્ગના આ રિપોર્ટમાં અદાણી ગ્રુપની કંપનીઓના નાણાકીય કામકાજ પર સવાલ ઉઠાવ્યા હતા. આ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરોમાં ભારે ઘટાડો આવ્યો છે. જો કે, ગૌતમ અદાણીના નેતૃત્વવાળા ગ્રુપે આ આરોપોને નિરાધાર અને ભ્રામક બતાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે આ રિપોર્ટમાં જનતાને ભરમાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અદાણી ગ્રુપે આ મામલાને કોર્ટમાં લઇ જવાની વાત પણ કહી હતી.

 દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર હિંડેનબર્ગના રિપોર્ટમાં સનસનીખેજ આરોપો બાદ વિપક્ષે સંસદમાં સરકાર વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. સરકાર પર વિરોધ લગાવતા વિપક્ષે આજે પણ સંસદના બંને સદનોમાં જોરદાર હોબાળો કર્યો. વિપક્ષ ગૌતમ અદાણી પર રિપોર્ટને લઇને હાઇ લેવલ તપાસની માગ કરી રહ્યું છે. ત્યારબાદ સદનની કાર્યવાહી બપોર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા અને રાજ્ય સભાની કાર્યવાહી અઢી વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.