શું અદાણીના ચક્કરમાં સરકારી બેંક અને LIC ડુબી જશે? SEBI બધી ડીલની તપાસ કરશે

શુક્રવારે સતત બીજા સત્રમાં અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો નોંધાયો હતો. તેની અસર બેંક અને નાણાકીય શેરો પર પણ જોવા મળી હતી. ભારતીય બેંકોએ અદાણી ગ્રુપની કંપનીઓને લગભગ 80,000 કરોડ રૂપિયાની લોન આપી છે. બીજી તરફ LIC અદાણી ગ્રુપની કંપનીઓમાં રૂ. 70,000 કરોડનું રોકાણ ધરાવે છે. આ લોન અને રોકાણ ડૂબી જવાના ભયને કારણે બેંકો અને LICના શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી.

બેન્ક ઓફ બરોડાનો શેર સાત ટકાથી વધુ ઘટ્યો હતો જ્યારે SBIનો શેર 4.69 ટકા ઘટ્યો હતો. દેશની સૌથી મોટી વીમા કંપની LICનો શેર એક તબક્કે 4.3 ટકા જેટલો તૂટ્યો હતો, પરંતુ બાદમાં 3.25 ટકા ઘટીને બંધ થયો હતો.

WealthMills Securities Pvtના ચીફ માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ ક્રાંતિ બાથાનીએ કહ્યુ કે બજાર પર નેગેટીવ સેન્ટીમેન્ટ હાવી થઇ ગયું છે જેની અસર બેંક સ્ટોક્સમાં પણ જોવા મળી રહી છે.જેનું કારણ અદાણી ગ્રુપ વિશે આવેલો એક રિપોર્ટ છે. અદાણી ગ્રુપની ટોપ 5 કંપનીઓનું છેલ્લાં 4 વર્ષમાં દેવું બમણું થઇ ગયું છે. બ્રોકરેજ ફર્મ CLSAના એક રિપોર્ટ મુજબ અદાણી ગ્રુપના કુલ દેવામાં ભારતીય બેંકોની હિસ્સેદારી 40 ટકા કરતા પણ ઓછી છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ અદાણીના કુલ દેવામાં બેંકોના 38 ટકા, બોન્ડસ અને કોર્મશિયલ પેપર્સના 37 ટકા અને નાણાકીય સંસ્થાના 11 ટકા છે. નાણાંકીય વર્ષ 2022માં અદાણી ગ્રુપ પર 2 લાખ કરોડ રૂપિયાનું  દેવું હતું, જેમાંથી લગભગ 80,000 કરોડ રૂપિયા બેંકના હતા.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે એક નિવેદનમાં કહ્યું કે સરકારી બેંકોએ અદાણી ગ્રુપને ખાનગી બેંકોની તુલનામાં ડબલ ધિરાણ આપ્યું છે. એમાંથી 40 ટકા ધિરાણ SBIએ આપ્યું છે.આ કારણે જે લોકોએ પોતાની મહેનતની કમાણી LIC અને SBIમાં રોકી છે તેમના પૈસા ડૂબવાના આરે છે.   જયરામ રમેશે કહ્યું કે જો અદાણી ગ્રુપ સામેના આરોપો સાચા હોય તો SBI જેવી જાહેર ક્ષેત્રની બેંકોને ભારે નુકસાન થઈ શકે છે. આદર્શ પરસરામપુરિયાની આગેવાની હેઠળના વિશ્લેષકોએ તાજેતરની નોંધમાં જણાવ્યું હતું કે અદાણી જૂથ ખાનગી બેંકો કરતાં જાહેર ક્ષેત્રની બેંકોમાં વધુ એક્સ્પોઝર ધરાવે છે. SBIનું કહેવું છે કે અદાણી ગ્રુપની કંપનીઓમાં તેની લોન મર્યાદા કરતા ઓછી છે. જોકે બેંકે આ રકમનો ખુલાસો કર્યો નથી.

LICએ અદાણીની ગ્રુપ કંપનીઓમાં પોતાનું રોકાણ વધાર્યું છે. 30 સપ્ટેમ્બર 2022 સુધીના આંકડા મુજબ LICનો કુલ ઇક્વિટી પોર્ટફોલિયો 10.27 લાખ કરોડ રૂપિયા હતો. જેમાંથી અદાણીની ગ્રુપ કંપનીઓમાં LICનું રોકાણ 7 ટકા જેટલું છે. તાજેતરના મહિનાઓમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ અદાણીની કંપનીમાં તેમનું રોકાણ ઘટાડ્યું છે.

LICએ તાજેતરમાં અદાણી એન્ટરપ્રાઇઝીસ, અદાણી ટોટલ ગેસ અને અદાણી ટ્રાન્સમિશનમાં રોકાણ વધાર્યું છે. 30 સપ્ટેમ્બર સુધીમાંLICનું અદાણી એન્ટરપ્રાઇઝીસમાં 4.02 ટકા એટલે કે 17.966 કરોડ રૂપિયા, અદાણી ટોટલ  ગેસમાં5.77 ટકા , અદાણી ટ્રાન્સમિશનમાં 3.46 ટકા અને અદાણી ગ્રીન એનર્જિમાં 1.15 ટકા, અદાણી પોર્ટસમાં 11.9 ટકા હિસ્સેદારી છે.

અદાણી ગ્રુપની આ કંપનીઓના શેરોમાં શુક્રવારે 20 ટકા સુધીનો ઘટાડો આવ્યો હતો જેને કારણે LICને 16.300 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે.

રોઇટર્સના એક અહેવાલ મુજબ સેબી અદાણી ગ્રુપના બધા સોદાની બારીકીથી તપાસ કરશે. અદાણીએ તાજેતરમાં અનેક મોટા ડીલ કર્યા છે. તાજેતરમાં જ અદાણીએ ગુજરાત અંબૂજા સીમેન્ટ અને એસીસીને ટેઇક ઓવર કરી હતી. સાથે જ અમેરિકાની શોર્ટ સેલર કંપની Hindenburg Researchના રિપોર્ટનો પણ અભ્યાસ કરવામાં આવશે. આ રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર ગંભીર આરોપો લાગ્યો છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.