આ 2 કંપનીના માલિક નથી ગૌતમ અદાણી, અદાણી ગ્રુપનું નિવેદન આવ્યું

અદાણી ગ્રુપે ગુરુવારે એક મોટો ખુલાસો કર્યો છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી ગ્રૂપની વિવિધ લિસ્ટેડ કંપનીઓના પ્રમોટર્સ ગ્રૂપનો હિસ્સો છે. પ્રથમ વખત આ માહિતી ગ્રુપ દ્વારા જાહેર કરવામાં આવી છે. અદાણી જૂથે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, ગૌતમ અદાણી અને રાજેશ અદાણી જૂથની વિવિધ લિસ્ટેડ કંપનીઓના વ્યક્તિગત પ્રમોટર્સ છે. આ સિવાય વિનોદ અદાણી વ્યક્તિગત પ્રમોટરોના નજીકના સંબંધી છે. જૂથે જણાવ્યું હતું કે વિનોદ અદાણી ભારતીય નિયમો અનુસાર અદાણી જૂથની વિવિધ લિસ્ટેડ કંપનીઓમાં 'પ્રમોટર્સ ગ્રૂપ'નો ભાગ છે.

અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે, અદાણી ગ્રૂપે વિનોદ અદાણી સાથેના સંબંધો છુપાવ્યા છે. અહેવાલને નકારી કાઢતાં અદાણી ગ્રૂપે કહ્યું હતું કે, વિનોદ અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓમાં કોઈ હોદ્દો ધરાવતા નથી. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે કંપનીઓના કામકાજમાં તેમની કોઈ દખલગીરી નથી.

હિંડનબર્ગ રિસર્ચે અહેવાલમાં જણાવ્યું હતું કે, ગૌતમ અદાણીના મોટાભાઈ વિનોદ અદાણી અદાણી જૂથમાં છેતરપિંડી માટે ઓફશોર કંપનીઓના નેટવર્કનું સંચાલન કરતા હતા. આ અઠવાડિયાની શરૂઆતમાં, મોર્નિંગ કોન્ટેક્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, વિનોદ અદાણી અંબુજા સિમેન્ટ્સ અને ACCની માલિકી ધરાવતી કંપનીઓને નિયંત્રિત કરે છે.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અદાણી ગ્રૂપે અંબુજા અને ACCને સ્વિસ સિમેન્ટ કંપની હોલ્સિમ પાસેથી 10.5 બિલિયન ડોલરમાં હસ્તગત કરી હતી. આ પછી અદાણી ગ્રૂપ આદિત્ય બિરલા ગ્રૂપની અલ્ટ્રાટેક સિમેન્ટ પછી દેશનું બીજું સૌથી મોટું સિમેન્ટ ઉત્પાદક બન્યું. અદાણી ગ્રૂપે આ એક્વિઝિશન માટે ટ્રાન્ઝેક્શન એન્ડેવર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ દ્વારા કર્યું હતું.

જો કે, અહેવાલો દાવો કરે છે કે, યુનિટ મોરેશિયસમાં સ્થિત છે અને તેની માલિકી વિનોદ અદાણીની છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આનો અર્થ એ થયો કે, ભારતમાં અદાણી એન્ટરપ્રાઈઝ કે અદાણી ગ્રુપની અન્ય લિસ્ટેડ કંપનીઓએ અંબુજા સિમેન્ટ્સ અને ACCને હસ્તગત કર્યા નથી.

અદાણી જૂથે ગુરુવારે તેના નિવેદનમાં કહ્યું, 'હકીકત એ છે કે એન્ડેવર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ (વિનોદ અદાણી દ્વારા નિયંત્રિત એકમ), ACC લિમિટેડ અને અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ અદાણી જૂથની છે. આ અંગેની માહિતી 19 ઓગસ્ટ, 2022ના જાહેર ઓફર દસ્તાવેજના પેજ નંબર 22 પર આપવામાં આવી છે, જે અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ અને સ્ટોક એક્સચેન્જની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે.'

વિનોદ અદાણી ગૌતમ અદાણીના મોટા ભાઈ છે. તેણે એન્જિનિયરિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. વિનોદ અદાણીએ મુંબઈ સ્થિત VR ટેક્સટાઈલ નામની પાવર લૂમ્સ કંપનીમાં ખૂબ જ નાની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું અને તે પછી તરત જ તેઓ ખાંડ, તેલ જેવી કોમોડિટીઝના વેપારમાં જોડાયા. આ પછી તેણે સિંગાપોર અને મિડલ ઈસ્ટમાં પોતાનો બિઝનેસ સ્થાપ્યો.

તે 1994થી દુબઈમાં રહે છે અને ત્યાંનો તેમજ સિંગાપોર અને જકાર્તામાં બિઝનેસ બિઝનેસનું સંચાલન કરે છે. હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં વિનોદ અદાણી પર ગંભીર આક્ષેપો કર્યા હતા. અમેરિકન રિસર્ચ ફર્મે તેના રિપોર્ટમાં ગૌતમ અદાણીનું નામ 54 વખત અને વિનોદ અદાણીનું નામ 151 વખત લેવામાં આવ્યું હતું.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.