- Business
- સુરતના ઇતિહાસમાં પહેલીવાર સમાધાન થયા પછી પણ કે પી સંઘવીએ વેપારીઓ સામે કેસ કર્યા
સુરતના ઇતિહાસમાં પહેલીવાર સમાધાન થયા પછી પણ કે પી સંઘવીએ વેપારીઓ સામે કેસ કર્યા
3.jpg)
સુરતની જાણીતી ડાયમંડ કંપની કે. પી, સંઘવીએ કેટલાંક વેપારીઓ સાથે સમાધાન કરી લીધા પછી પણ તેમની સામે કેસ કર્યા હતા અને વેપારીઓએ જેલમાં જવાનો વારો આવ્યો હતો. આ વેપારીઓના પરિવારજનોએ સુરત ડાયમંડ એસોસિયેશનને રજૂઆત કરી હતી અને ધરણા પર બેસવાની ચીમકી આપી હતી.
સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ જગદીશ ખૂંટે કહ્યું કે, થોડા વર્ષો પહેલા 27 જેટલા વેપારીઓએ કે.પી સંઘવી પાસેથી રફ ડાયમંડની ખરીદી કરી હતી અને ટોટલ 8 કરોડનું પેમેન્ટ આપવાનું હતું. પરંતુ આ વેપારીઓ રૂપિયા આપી શક્યા નહોતા. એ બાબતે 10 મહિના પહેલા સુરત ડાયમંડ એસોસિયેશનની ઓફિસમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ગોવિંદ ધોળકીયાની હાજરીમાં સમાધાન થઇ ગયું હતું. કે. પી, સંઘવીએ પણ સમાધાન માની લીધેલું. પરંતુ પાછળથી આ વેપારીઓ સામે કેસ કર્યા. ખૂટેં કહ્યું કે, સુરતના હીરાઉદ્યોગમાં પહેલીવાર એવું બન્યું છે કે, સમાધાન થઇ ગયા પછી પણ રૂપિયાની માંગણી કરવામાં આવી હોય.
Related Posts
Top News
ભાવેશ રોજિયા: ગુજરાત પોલીસનું ગૌરવ, ગુનેગારો માટે સંકટ
દ.ગુ.ના બિલિમોરાના એક છોકરાએ ડોમેઇન ચેટGPTને 126 કરોડમાં વેચ્યું
'સિતારે જમીન પર'નું ટ્રેલર ખૂબ જ શક્તિશાળી છે...આ રહ્યા તેના 5 કારણ, જોરદાર કોમેડી, સંદેશ...
Opinion
