દૂધની કિંમત ગયા વર્ષની સરખામણી 10.5 ટકા વધી છે, આ છે કારણો

દુધ અને દુધના ઉત્પાદનોનાના ભાવમાં મોંઘવારી છેલ્લાં 20 મહિનામાં વધી છે અને તેમાં પણ છેલ્લાં 5 મહિનામાં દુધના ભાવોએ તો બધા રેકોર્ડ તોડી નાંખ્યા છે. દૂધ ઉદ્યોગ સાથે નજીકથી જોડાયેલા લોકોના મતે, પુરવઠા અને માંગના પરિબળોનું સંયોજન હોઈ શકે છે, જેમાં કોરોના મહામારી નોંધપાત્ર ભૂમિકા ભજવી રહી છે.

ફેબ્રુઆરી 2022 અને જુલાઈ 2022માં થોડો ઘટાડો સિવાય, ગ્રાહક ભાવ સૂચકાંકની 'દૂધ અને દૂધની બનાવટો' શ્રેણીમાં ફુગાવો જુલાઈ 2021 થી ફેબ્રુઆરી 2023 સુધી લગભગ દર મહિને ઝડપી બન્યો છે. ડેટા એ પણ દર્શાવે છે કે, ઑક્ટોબર 2022 થી, દૂધના ભાવમાં ફુગાવો દેશમાં ભાવ વધારાના સામાન્ય દર કરતાં વધી ગયો છે, અને તેનું પણ અંતર વધી રહ્યું છે.

ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સના પ્રાઇસ ડેટા અનુસાર, 4 એપ્રિલ, 2023ના રોજ એક લિટર દૂધની સરેરાશ કિંમત 51.4 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 4 એપ્રિલ, 2023ના રોજ 56.8 રૂપિયા થઈ ગઈ છે જે એક વર્ષમાં 10.5 ટકાનો વધારો દર્શાવે છે.

National Dairy Research Instituteve પૂર્વ પ્રિન્સિપાલ સાયન્ટિસ્ટ બી.એસ. ચંદેલે જણાવ્યું હતું કે, દૂધના ભાવમાં વધારો થવાનું મુખ્ય કારણ ઇનપુટ ખર્ચમાં વધારો છે, જેનો એક ભાગ ઘાસચારાના ભાવમાં વધારો થવાને કારણે છે. દૂધાળા પશુઓ માટે કમ્પાઉન્ડ ફીડમાં વપરાતા કન્સ્ટ્રેન્ટ અને મિનરલ્સની કિંમતમાં પણ વધારો થયો છે. તેમણે કહ્યું કે કોરોના મહામારી અને તે પછી કેરી ઓન ઇફેક્ટસને કારણે ઇનપૂટ કોસ્ટ વધી છે અને ફીડના વધેલા ભાવોને કારણે પણ દુધના ભાવ પર અસર પડી છે.

અમુલ ડેરીના પુર્વ મેનેજિંગ ડિરેકટર અને ભારત ડેરી સંઘના વર્તમાન પ્રમુખ આર એસ સોઢીએ કહ્યું કે, પુરવઠાના મુદ્દાઓ ચોક્કસપણે આમાં ભૂમિકા ભજવે છે, આ મુદ્દો એ હકીકતમાં પણ રહેલો છે કે દૂધ ઉત્પાદનોની માંગમાં વધારો થયો છે. સોઢીએ કહ્યું કે, કોરોના મહામારી અને લોકડાઉનને કારણે દુધની માંગમાં ઝડપથી ઘટાડો આવ્યો હતો જેની વ્યાપક અસર પડી.

સોઢીએ આગળ કહ્યું કે, લોકડાઉન દરમિયાન માંગમાં ઘટાડો થયો હોવા છતાં, તે એટલા માટે નથી કારણ કે દૂધાળા પ્રાણીઓએ દૂધનું ઉત્પાદન બંધ કરી દીધું હતું, અને તેથી દૂધ અને તેના ઉત્પાદનોના ભાવમાં તીવ્ર ઘટાડો થયો હતો.  પરિણામે, પછીના વર્ષમાં, ભાવમાં ઘટાડો થવાને કારણે, ખેડૂતોએ શક્ય તેટલું ઉત્પાદન વધારવાનો પ્રયાસ કર્યો ન હતો જેટલો પ્રયાસ તેઓ કરી શકતા હતા. પશુપાલન અને ડેરી વિભાગના આંકડા પરથી ખબર પડે છે કે ભારતમાં દુધનું ઉત્પાદન દર વર્ષે વધે છે, પંરતુ કોરોના મહામારી પછી ઉત્પાદનના વૃદ્ધિ દરમાં ઝડપથી ઘટાડો આવ્યો.

સોઢીએ કહ્યું, બીજું પરિબળ એ છે કે કોવિડ-19 દરમિયાન પશુઓનું કૃત્રિમ ગર્ભાધાન થઈ શકતું ન હતું, જેના કારણે તેમના વાછરડામાં વિલંબ થયો હતો. તેની અસર બે વર્ષ પછી જોવા મળી.

ઉપરાંત, અહેવાલો સૂચવે છે કે લંપી ચામડીનો રોગ, જે છેલ્લા એક વર્ષમાં ભારતમાં પશુઓને મોટા પ્રમાણમાં અસર કરી રહ્યો છે, તેણે દેશમાં દૂધ ઉત્પાદન પર બહુ અસર કરી નથી.

પુરાવા સૂચવે છે કે આ રોગ મોટાભાગે  એપશુઓને અસર કરે છે જે પહેલાથી જ વૃદ્ધ અને બીમાર છે, અને તેથી કોઈ પણ સંજોગોમાં વધુ દૂધ આપતા નથી.

About The Author

Related Posts

Top News

એપલ સાથે તીવ્ર સ્પર્ધા માટે ગૂગલની તૈયારી, લાવી રહ્યું છે એક નવું પ્લેટફોર્મ, એન્ડ્રોઇડ અને ક્રોમOS મર્જ થઇ જશે

ગુગલ એક મોટી યોજના તૈયાર કરી રહ્યું છે અને આગામી દિવસોમાં એન્ડ્રોઇડ અને ક્રોમOSને જોડીને એક શક્તિશાળી સિંગલ...
Tech and Auto 
એપલ સાથે તીવ્ર સ્પર્ધા માટે ગૂગલની તૈયારી, લાવી રહ્યું છે એક નવું પ્લેટફોર્મ, એન્ડ્રોઇડ અને ક્રોમOS મર્જ થઇ જશે

ટેસ્લા મોડેલ Y ભારતમાં 60 લાખમાં થશે ઉપલબ્ધ, જાણો અન્ય દેશોમાં તે કેટલી કિંમતમાં વેચાય છે

આખરે, વિશ્વની લોકપ્રિય ઇલેક્ટ્રિક વાહન કંપની ટેસ્લાએ સત્તાવાર રીતે ભારતમાં પગ મૂક્યો છે. ટેસ્લાએ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (...
Tech and Auto 
ટેસ્લા મોડેલ Y ભારતમાં 60 લાખમાં થશે ઉપલબ્ધ, જાણો અન્ય દેશોમાં તે કેટલી કિંમતમાં વેચાય છે

રેલવેના ડબ્બામાં 75 સીટ અને 400 મુસાફરો, હવે આ નહીં ચાલે... ભીડ ઘટાડવા જનરલ કોચ માટે ફક્ત 150 ટિકિટ જ અપાશે!

લોકોની મુસાફરીને સરળ બનાવવા માટે રેલ્વે સતત ફેરફારો કરી રહ્યું છે. આ અંતર્ગત, છેલ્લા કેટલાક દિવસોમાં રેલ્વેએ ઘણા મોટા...
Business 
રેલવેના ડબ્બામાં 75 સીટ અને 400 મુસાફરો, હવે આ નહીં ચાલે... ભીડ ઘટાડવા જનરલ કોચ માટે ફક્ત 150 ટિકિટ જ અપાશે!

દિલ્હી હાઈકોર્ટે 'ઉદયપુર ફાઇલ્સ' પર સ્ટે મૂક્યો, નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટનો કર્યો સંપર્ક

2022નો ચર્ચિત કન્હૈયા લાલ હત્યા કેસ પર આધારિત ક્રાઈમ ડ્રામા થ્રિલર ફિલ્મ 'ઉદયપુર ફાઇલ્સ' આજકાલ તેના સંવેદનશીલ વિષયોને કારણે સમાચારમાં...
National 
 દિલ્હી હાઈકોર્ટે 'ઉદયપુર ફાઇલ્સ' પર સ્ટે મૂક્યો, નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટનો કર્યો સંપર્ક
Copyright (c) Khabarchhe All Rights Reserved.