અમદાવાદના આ વિસ્તારની બિલ્ડીંગમાં ફાયર NoC નહોતી એટલે પાણી જોડાણ કાપી નાખ્યા

અમદાવાદમાં સરદાર પટેલ નગરના પાણીના જોડાણ એએમસી દ્વારા કાપવામાં આવતા ત્યાંના રહીશો માટે મુશ્કેલી સર્જાઈ છે. ફાયર એનઓસી ના અભાવે આ જોડાણ કાપવા પડ્યા છે, પરંતુ રહીશોની લાચારી પણ એ છે કે, અગાઉ તેમણે સરકારી આવાસના આ મકાનો ફાળવવામાં આવ્યા છે. જેમને અગાઉ નોટીસ પણ પાઠવવામાં આવી હતી અગાઉ ગુજરાત હાઉસીંગ બોર્ડ સમક્ષ રજૂઆત કરી છતાં પણ પરીણામ ના આવતા તેઓ મજબુર બન્યા છે, જેના કારણે રહીશોને પણ આ જોડાણ કપાતા ભારયુક્ત પાણી પીવા અને વાપરવા માટે ઉપયોગ લેવું પડી રહ્યું છે.

શહેરના નારણપુરા વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 28 ટાવરમાં બનેલા સરદારપટેલ નગરનું પાણીનું કનેક્શન કપાતા મુશ્કેલી વધી છે. એપ્રિલ-2017માં ગુજરાત હાઉસિંગ બોર્ડે નારણપુરા વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 1568 ફ્લેટ બાંધ્યા હતા.

એપ્રિલ-2017માં ગુજરાત હાઉસિંગ બોર્ડે નારણપુરા વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 1568 ફ્લેટ બાંધ્યા અને લાભાર્થીઓને મકાનો ફાળવ્યા. સરદાર પટેલ નગર તરીકે ઓળખાતી આ આવાસ યોજનાના રહીશોના જણાવ્યા અનુસાર 14 માળના 28 ટાવરમાં 1568 ફ્લેટ છે. ગુજરાત હાઉસિંગ બોર્ડે લાભાર્થીઓને મકાનો ફાળવ્યા તે સમયે જ હલકી ગુણવત્તાવાળી પાઈપો લગાવવામાં આવી હોવાથી પાઈપમાં લીકેજની સમસ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ આ પાઇપ બદલવામાં આવી નથી.

ફાયર એનઓસીના અભાવે આ મુશ્કેલી સર્જાઈ છે. જે માટે કેટલાક દિવસથી રહીશો સરકારી તંત્રની કચેરીઓમાં ધક્કા ખાઇ રહ્યા છે.

About The Author

Top News

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપથી બહાર થવાનો નિર્ણય લીધો છે. BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (...
Sports 
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

મુંબઈમાં રવિવારે કંઈક એવું થયું, જે અધિકારીઓને હંમેશાં યાદ રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જ્યારે એક સાર્વજનિક મંચ...
National 
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો

હરિયાણા સ્થિત યૂટ્યૂબર ધ્રૂવ રાઠી દ્વારા શીખ ગુરુઓ પર બનાવેલા વીડિયો પર વિવાદ થયો છે. 'બંદા સિંહ બહાદુર કી...
National 
ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.