અમદાવાદના આ વિસ્તારની બિલ્ડીંગમાં ફાયર NoC નહોતી એટલે પાણી જોડાણ કાપી નાખ્યા

અમદાવાદમાં સરદાર પટેલ નગરના પાણીના જોડાણ એએમસી દ્વારા કાપવામાં આવતા ત્યાંના રહીશો માટે મુશ્કેલી સર્જાઈ છે. ફાયર એનઓસી ના અભાવે આ જોડાણ કાપવા પડ્યા છે, પરંતુ રહીશોની લાચારી પણ એ છે કે, અગાઉ તેમણે સરકારી આવાસના આ મકાનો ફાળવવામાં આવ્યા છે. જેમને અગાઉ નોટીસ પણ પાઠવવામાં આવી હતી અગાઉ ગુજરાત હાઉસીંગ બોર્ડ સમક્ષ રજૂઆત કરી છતાં પણ પરીણામ ના આવતા તેઓ મજબુર બન્યા છે, જેના કારણે રહીશોને પણ આ જોડાણ કપાતા ભારયુક્ત પાણી પીવા અને વાપરવા માટે ઉપયોગ લેવું પડી રહ્યું છે.

શહેરના નારણપુરા વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 28 ટાવરમાં બનેલા સરદારપટેલ નગરનું પાણીનું કનેક્શન કપાતા મુશ્કેલી વધી છે. એપ્રિલ-2017માં ગુજરાત હાઉસિંગ બોર્ડે નારણપુરા વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 1568 ફ્લેટ બાંધ્યા હતા.

એપ્રિલ-2017માં ગુજરાત હાઉસિંગ બોર્ડે નારણપુરા વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 1568 ફ્લેટ બાંધ્યા અને લાભાર્થીઓને મકાનો ફાળવ્યા. સરદાર પટેલ નગર તરીકે ઓળખાતી આ આવાસ યોજનાના રહીશોના જણાવ્યા અનુસાર 14 માળના 28 ટાવરમાં 1568 ફ્લેટ છે. ગુજરાત હાઉસિંગ બોર્ડે લાભાર્થીઓને મકાનો ફાળવ્યા તે સમયે જ હલકી ગુણવત્તાવાળી પાઈપો લગાવવામાં આવી હોવાથી પાઈપમાં લીકેજની સમસ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ આ પાઇપ બદલવામાં આવી નથી.

ફાયર એનઓસીના અભાવે આ મુશ્કેલી સર્જાઈ છે. જે માટે કેટલાક દિવસથી રહીશો સરકારી તંત્રની કચેરીઓમાં ધક્કા ખાઇ રહ્યા છે.

About The Author

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.