સોના-ચાંદીનો ફૂગ્યો ફૂટ્યો! ચાંદીનો ભાવ 85000 સુધી ઘટી ગયો, સોનામાં પણ કડાકો

શુક્રવારે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદીના ભાવ 24 કલાકમાં રૂ. 85000 ઘટી ગયા. જ્યારે સોનાના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. આટલો મોટો ઘટાડો ત્યારે થયો છે, જ્યારે ચાંદી રૂ. 4.20 લાખ સુધી પહોંચી ગઈ હતી અને સોનું રૂ. 2 લાખની નજીક પહોંચી ગયું હતું.

શુક્રવારે, બપોરે 3:30 વાગ્યે, MCX પર માર્ચ ફ્યુચર્સ માટે 1 કિલો ચાંદીનો ભાવ આશરે રૂ. 65,000 ઘટીને રૂ. 3,35,001 થયો હતો, પરંતુ ગુરુવારે સાંજે, ચાંદીના ભાવ વધીને રૂ. 4,20,048ની પોતાની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયા હતા. એટલે આમ જોવા જઈએ તો, ચાંદીના ભાવ માત્ર 24 કલાકમાં જ આશરે રૂ. 85000 ઘટી ગયા છે.

gold-silver1
newsonair.gov.in

એ જ રીતે, સોનાના ભાવમાં પણ મોટા પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે. 29 જાન્યુઆરી, ગુરુવારના રોજ સોનું 1,93,096 રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું, પરંતુ શુક્રવારે રૂ. 16000 ઘટીને 1,67,406 રૂપિયા થયું હતું. આનો અર્થ એ થયો કે 24 કલાકમાં સોનાનો ભાવ 25,500 રૂપિયા ઘટી ગયો છે.

ગુરુવારે, વાયદા બજારમાં ચાંદીનો ભાવ રેકોર્ડ બનાવીને પ્રતિ કિલોગ્રામ રૂ. 4 લાખનો આંકડો ન તો ફક્ત તેનાથી ઉપર ગયો, પરંતુ ત્યાંથી પણ તેનામાં ઘણો ભારે ઉછાળો જોવા મળ્યો. ગુરુવારે ચાંદીના ભાવ રૂ. 34,000 વધીને રૂ. 4,20,048ના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યા. તેવી જ રીતે, 29 જાન્યુઆરીના રોજ વાયદા બજારમાં સોનાનો ભાવ રૂ. 16,000 વધીને રૂ. 1,93,096ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો. જોકે, હવે આ બંને કિંમતી ધાતુઓમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે.

નિષ્ણાતો કહે છે કે, આ નફા-બુકિંગ છે, કારણ કે સોના અને ચાંદીના ભાવ ઘણા દિવસોથી વધી રહ્યા છે, જે દરરોજ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી રહ્યા હતા. ચાંદીએ તો ફક્ત થોડા જ અઠવાડિયામાં 3 લાખ રૂપિયાથી 4 લાખ રૂપિયાના આંકને પાર કરી ગઈ છે. તેવી રીતે સોનામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. એટલા માટે રોકાણકારો તેમના નફાને બચાવવા માટે નફો બુક કરી રહ્યા છે.

કેટલાક નિષ્ણાતો તો એવું પણ કહે છે કે, સોના અને ચાંદીમાં જેવું વેચાણનું દબાણ વધ્યું, કે તરત જ ટૂંકાગાળાના વેચાણ કરનારાઓએ બજારમાં પ્રવેશ કર્યો અને ટ્રેડિંગ દરમિયાન ચાંદીને શોર્ટ કરી, જેના કારણે તેના ભાવમાં તીવ્ર ઘટાડો થયો.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ચાંદી અને અન્ય ધાતુના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે ભારતમાં પણ MCX પર ભાવમાં ઘટાડો થયો.

gold-silver
ndtv.com

 

ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેઓ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલની જગ્યાએ તેમના પોતાની પસંદગીના ઉમેદવાર લાવવા માંગે છે, જેના કારણે ડૉલર મજબૂત થયો અને કેટલાક વૈશ્વિક તણાવમાં પણ ઘટાડો થયો, જેના કારણે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો.

સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડાને કારણે, ચાંદી અને સોનાના ETFના ભાવમાં પણ તીવ્ર ઘટાડો થયો છે. શેરબજાર બંધ થતાં સુધીમાં, ચાંદી અને સોનાના ETFના ભાવમાં 20 ટકા સુધીનો ઘટાડો થયો. ICICI સિલ્વર ETF 20.14 ટકા, નિપ્પોન ઇન્ડિયા સિલ્વર ETF 18.59 ટકા, ટાટા સિલ્વર ETF 13 ટકાનો ઘટાડો થયો. જ્યારે ગોલ્ડ ETFની વાત કરીએ તો, ટાટા ગોલ્ડ ETF 9.16 ટકા ઘટ્યો, નિપ્પોન ઇન્ડિયા ગોલ્ડ ETF 10.50 ટકા ઘટ્યો.

નોંધ: સોના-ચાંદી કે અન્ય કોઈપણ ETFમાં નાણાકીય રોકાણ કરતા પહેલા, તમારે તમારા નિષ્ણાંત નાણાકીય સલાહકારની મદદ લેવી આવશ્યક છે.

About The Author

Related Posts

Top News

જેફરી એપસ્ટિન ફાઇલ્સમાં PM મોદી અંગે વિદેશ મંત્રાલય (MEA)ની સ્પષ્ટ અને કડક પ્રતિક્રિયા

અમેરિકામાં તાજેતરમાં જાહેર કરાયેલી જેફરી એપસ્ટિનની ફાઇલ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ થતાં રાજકીય વિવાદ ઉભો થયો છે. આ અંગે...
National 
જેફરી એપસ્ટિન ફાઇલ્સમાં PM મોદી અંગે વિદેશ મંત્રાલય (MEA)ની સ્પષ્ટ અને કડક પ્રતિક્રિયા

ફ્લાયઓવર બનવામાં મોડું થતા અધિકારીઓ સામે જ FIR દાખલ કરી દેવામાં આવી

દિલ્હીમાં બારાપુલા ફેઝ-3 ફ્લાયઓવરનું કામ ઘણા મહિનાઓથી અટકી પડ્યું છે. દિલ્હી ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB)એ હવે પ્રોજેક્ટમાં...
National 
ફ્લાયઓવર બનવામાં મોડું થતા અધિકારીઓ સામે જ FIR દાખલ કરી દેવામાં આવી

પ્રેમીએ લગ્ન ન કર્યા તો બદલો લેવા પ્રેમિકાએ ડૉક્ટર બોયફ્રેન્ડની પત્નીને HIVનું ઇન્જેકશન આપી દીધું!

આંધ્રપ્રદેશના કુર્નૂલથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. એક મહિલાએ એક ડોક્ટરને HIVનું ઇન્જેક્શન આપી દીધું હતું. આ ઘટનાના...
National 
પ્રેમીએ લગ્ન ન કર્યા તો બદલો લેવા પ્રેમિકાએ ડૉક્ટર બોયફ્રેન્ડની પત્નીને HIVનું ઇન્જેકશન આપી દીધું!

ASP અનુજ ચૌધરી વિરુદ્ધ FIRનો આદેશ આપનારા જજનું 12 વર્ષમાં 15 ટ્રાન્સફર થયું છે

સંભલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) વિભાંશુ સુધીરની બદલીએ નોકરશાહી, રાજકારણ અને ન્યાયતંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. સંભલ હિંસા...
National 
ASP અનુજ ચૌધરી વિરુદ્ધ FIRનો આદેશ આપનારા જજનું 12 વર્ષમાં 15 ટ્રાન્સફર થયું છે

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.