દરેક સોનું ખરીદી રહ્યું છે, તો RBIએ કેમ બદલી પોતાની રણનીતિ? કારણ શું છે?

ભારતીય રિઝર્વ બેંક (RBI)2025માં સોનાની ખરીદીમાં ભારે ઘટાડો કર્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ મુજબ, RBI2025માં માત્ર 4.02 ટન સોનું ખરીદ્યું હતું, જ્યારે 2024માં 72.6 ટન હતું. એટલે જે આ એક જ વર્ષમાં લગભગ 94%નો મોટો ઘટાડો આવ્યો છે.

ભલે ખરીદીમાં ઘટાડો થયો હોય, પરંતુ RBIના કુલ સોનાના ભંડાર રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. હાલમાં RBI પાસે કુલ 880.2 ટન સોનું છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ છે. નવેમ્બર 2025 સુધીમાં RBIના સોનાના રિઝર્વનું મૂલ્ય 100 અબજ ડોલરને વટાવી ગયું છે. આટલું જ નહીં, ભારતના વિદેશી વિનિમય ભંડારમાં સોનાનો હિસ્સો પણ રેકોર્ડ ઉચ્ચ સ્તરે છે. એક વર્ષમાં સોનાનો હિસ્સો લગભગ 10% થી વધીને 16% થઇ ગયો છે. માર્ચ 2021માં, આ હિસ્સો માત્ર 5.87% હતો. એટલે કે 5 વર્ષમાં RBIએ તેના ભંડારમાં સોનાનું વજન લગભગ ત્રણ ગણું વધારી દીધું છે.

RBI2
paytm.com

અહેવાલ મુજબ, RBIએ સોનાની ખરીદી ઘટાડી કારણ કે તેના ભંડારમાં સોનાનો હિસ્સો પહેલાથી જ ખૂબ વધી ગયો હતો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનું માનવું છે કે ઊંચા ભાવ અને રિઝર્વમાં સોનાનો હિસ્સો વધતા RBI હવે વધુ સંતુલિત રીતે રિઝર્વનું સંચાલન કરી રહી છે.

RBIનું સોનું ક્યાં રાખ્યું છે?

RBIનું બધુ સોનું ભારતમાં રાખવામાં આવ્યું નથી. માર્ચ 2025 સુધી RBI પાસે 879.59 ટન સોનું હતું, જેમાંથી લગભગ 512 ટન ભારતમાં રાખવામાં આવ્યું હતું. બાકીનું સોનું બેન્ક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સ (BIS) પાસે સુરક્ષિત રાખવામા આવ્યું છે. કેટલુંક સોનું ગોલ્ડ ડિપોઝિટના રૂપમાં પણ રાખવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વભરની સેન્ટ્રલ બેંકો પણ મોટા પાયે સોનું ખરીદી રહી છે. ડિસેમ્બર 2025 સુધીમાં વૈશ્વિક સેન્ટ્રલ બેંકો પાસે કુલ 32,140 ટન સોનું છે.

gold
business-standard.com

વર્ષ 2022માં ખરીદી: 1082 ટન

વર્ષ 2023માં ખરીદી: 1037 ટન

વર્ષ 2024માં રેકોર્ડ: 1180 ટન

વર્ષ 2025માં પણ ખરીદી 1000 ટનથી ઉપર રહેવાની ધારણા છે.

ડોલર પછી સોનું હવે સેન્ટ્રલ બેંક રિઝર્વમાં બીજા ક્રમનું સૌથી મહત્ત્વપૂર્ણ એસેટ બની ગયું છે. સોનાનો હિસ્સો 20% સુધી પહોંચી ગયો છે, જે યુરો (16%) થી પણ વધુ છે. રસપ્રદ વાત એ છે કે, હવે સેન્ટ્રલ બેંકો પાસે US ટ્રેઝરી બોન્ડ કરતા વધુ સોનું વે છે. 1996 પછી પહેલી વાર આવું બન્યું છે.

સોનાના ભાવ કેમ વધ્યા?

2022થી સોનાના ભાવમાં લગભગ 175%નો વધારો થયો છે. તેનું મુખ્ય કારણ સેન્ટ્રલ બેંકો દ્વારા ભારે ખરીદી અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે છે. માત્ર 2025માં જ, સોનામાં 65% થી વધુનો વધારો થયો હતો કારણ કે રોકાણકારો તેને સુરક્ષિત રોકાણ માને છે. જ્યારે RBI ખરીદીમાં ભલે ઘટાડો થયો હોય, પરંતુ ભારતનું ગોલ્ડ રિઝર્વ પહેલા કરતા વધુ મજબૂત છે. એ સ્પષ્ટ છે કે RBI હવે વધુ પડતી ખરીદી કરવાને બદલે સ્માર્ટ મેનેજમેન્ટની રણનીતિ પર ચાલી રહ્યું છે.

About The Author

Related Posts

Top News

નાયબ મામલતદાર અને રેવન્યૂ તલાટીઓની જિલ્લા ફેર બદલી, જુઓ લિસ્ટ

થોડા સમય અગાઉ સરકાર દ્વારા IPS અધિકારીઓ IAS અધિકારીઓની રાજ્ય સરકાર દ્વારા બદલી કરવામાં આવી હતી. ત્યારે હવે રાજ્યમાં અલગ-અલગ...
Gujarat 
નાયબ મામલતદાર અને રેવન્યૂ તલાટીઓની જિલ્લા ફેર બદલી, જુઓ લિસ્ટ

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે વિમાન દુર્ઘટનામાં ગુમાવ્યો જીવ

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCPના વડા અજિત પવારે વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે. બુધવારે સવારે 8:45 વાગ્યે મહારાષ્ટ્રના બારામતીમાં...
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે વિમાન દુર્ઘટનામાં ગુમાવ્યો જીવ

નસીમુદ્દીન સિદ્દીકીના કોંગ્રેસ છોડી દેવાથી ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધીની પાર્ટી પર શું અસર પડશે, જાણો

BSP છોડ્યા પછી નસીમુદ્દીન સિદ્દીકી થોડા દિવસો માટે બ્રેક પર હતા. તેમણે પોતાની પાર્ટી બનાવીને પોતાને અને તેમના સમર્થકોને સુસંગત...
National 
નસીમુદ્દીન સિદ્દીકીના કોંગ્રેસ છોડી દેવાથી ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધીની પાર્ટી પર શું અસર પડશે, જાણો

સની દેઓલની ફિલ્મ 'બોર્ડર 2' પર 6 દેશોમાં લાગ્યો પ્રતિબંધ

નિધિ દત્તા અને અનુરાગ સિંહની ફિલ્મ 'બોર્ડર 2' 23 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. દેશભરમાં રિલીઝ કરવામાં આવેલી...
Entertainment 
સની દેઓલની ફિલ્મ 'બોર્ડર 2' પર 6 દેશોમાં લાગ્યો પ્રતિબંધ

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.